SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने धर्मास्तिकायाद्या निर्जरान्ताः ७-१६ सूत्राणि એ આઠ પ્રકારના લોકનું કેવલજ્ઞાન વડે જોવાપણું સામાન્ય હોવાથી એકપણું કહ્યું છે. IFપી લોકની વ્યવસ્થા, તેના પ્રતિપક્ષભૂત અલોક છતે થાય છે માટે હવે અલોક કહે છે–જો મનોર' અનંતપ્રદેશાત્મકપણે છતાં પણ તેની વિરક્ષા ન કરવા વડે એક અલોક છે. લોક શબ્દના નિષેધથી અલોક છે પણ ન જોવાપણાએ નહિ; કારણ કે કેવલજ્ઞાનરૂપી પ્રકાશ વડે અલોકનું પણ જોવાપણું છે. શંકા-લોકના એક દેશ (વિભાગ)ના પ્રત્યક્ષપણાથી અને તેના દેશાંતરને પણ બાધક પ્રમાણનો અભાવ હોવાથી અમે લોકની સંભાવના કરીએ છીએ, પરંતુ જે આ અલોકનું દેશથી પણ અપ્રત્યક્ષપણું હોવાથી આ અલોક છે એવો નિશ્ચય કરવા માટે કેમ શક્તિમાન થશો? જે કારણથી તમે એકત્રપણાએ પ્રરૂપો છો? સમાધાનઅનુમાનથી એ પ્રમાણે કહીએ છીએ. તે આ પ્રમાણેલોક, વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનું કથન (નામ) હોવાથી વિદ્યમાન વિપક્ષવાળો છે. અહિં જે વસ્તુ વ્યુત્પત્તિવાળા શુદ્ધ શબ્દ વડે કહેવાય છે, તેનો વિપક્ષ હોય છે એમ જાણવા યોગ્ય છે. જેમ ઘટનો [વિપક્ષ] અઘટ છે તેમ વ્યુત્પત્તિ વિશિષ્ટ શુદ્ધ પદવાચ્ય લોક છે તે કારણથી વિપક્ષ સહિત છે. જે લોકનો વિપક્ષ તે અલોક, તે કારણથી અલોક છે. વળી શંકા-ન નો: મતો:–એમ કહેવાથી ઘટ, પટ વગેરેમાં જ કોઈ પણ એક વસ્તુ (અલોક) થશે. અહિં બીજી વસ્તુની કલ્પના વડે શું? (અર્થાત્ અલોકની જુદી કલ્પના શા માટે કરી?). સમાધાન-એમ કહેવું નહિં. જે હેતુથી નિષેધના સદ્ભાવથી નિષેધ્ય-નિષેધ કરવા યોગ્યના અનુરૂપ વડે સમાનપણે નિષેધ હોવું જોઈએ. નિષેધ્ય લોક છે, તે આકાશવિશેષ જીવાદિ દ્રવ્યનું પાત્ર છે, આથી ચોક્કસ અલોક પણ આકાશવિશેષરૂપ હોવું જોઈએ. જેમ અહિં પબ્લિત' એમ કહે છતે વિશિષ્ટ જ્ઞાનરહિત ચેતન જ જણાય છે પરંતુ અચેતન ઘટાદિ નહિં, તેની માફક અલોક પણ લોક સમાન હોવું જોઈએ. કહ્યું છે કે लोगस्सऽस्थि विवक्खो, सुद्धत्तणओ घडस्स अघडो व्व । [प्रेरकः] स घडादी चेव मती [गुरुः], न निसेहाओ तदणुरूवो ॥६३।। [विशेषावश्यक० १८५१ त्ति] વળી જેમ ઘટનો પ્રતિપક્ષી અઘટ છે તેમ શુદ્ધ પદ હોવાથી લોકનો પ્રતિપક્ષી અલોક છે. તે અલોક ઘટપટાદિ હશે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કારણ કે નિષેધથી તેના અનુરૂપ પદાર્થની જ કલ્પના થાય છે.(૬૩) IslI લોકઅલોકના વિભાગનો કરનાર ધર્માસ્તિકાય હોવાથી તેનું સ્વરૂપ કહે છે ને ધને સૂળા, ગષને ફૂટ ૮ , વધે તૂ II,ને મોહે સૂ૨ ને પુછો તૂ II, જે પાવે તૂરા , ને મારો સૂરસા, ને સંવરે સૂ૦ ૨૪ I વેયTI II II, નિન્ના //સૂદ્દા (મૂ૦) એક ધર્માસ્તિકાય છે. Iol/ એક અધમસ્તિકાય છે. Iટા એક બંધ છે. Pell એક મોક્ષ છે. //holi એક પુણ્ય છે. /૧૧// એક પાપ છે. /૧૨// એક આશ્રવ છે. /૧૭l/ એક સંવર છે. 7/૧૪ો એક વેદના છે. 7/૧૫// એક નિર્જરા છે. I/૧૬/L (ટી.) પ્રદેશાર્થપણે અસંખ્યાત પ્રદેશાત્મક હોવા છતાં પણ દ્રવ્યાર્થપણે તેનું એકત્વ હોવાથી ધમસ્તિકાય એમ છે. ગમનપરિણામને પામેલા જીવ અને પુદ્ગલોનું સ્વાભાવિક ક્રિયાવતુપણું છતે ગતિસ્વભાવને ધારણ કરવાથી (સહાયક થવાથી) ધર્મ અને અસ્તિ-પ્રદેશો તેઓના સમૂહાત્મકપણાથી કાય તે અસ્તિકાય અર્થાત્ ધર્માસ્તિકાય. હવે તેના વિપક્ષરૂપ અધર્મનું સ્વરૂપ કહે છે-' મધને દ્રવ્યથી જ એક છે. ધર્મ નહિં તે અધર્મ અર્થાત્ અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલોને ગમનમાં સહાય કરનાર છે. આ અધમસ્તિકાય), તેના (ધમસ્તિકાય)થી વિપરીત હોવાથી સ્થિર થવામાં મદદ કરનાર છે. શંકા–ધમસ્તિકાય અને અધમસ્તિકાયનું અસ્તિત્વ (હોવાપણું) કેમ જાણી શકાય? સમાધાન–અમે પ્રમાણથી કહીએ છીએ. 1. અહિં પ્રસહ્ય પ્રતિષેધથી 'ન' સમાસ કરવો, પરંતુ પર્યદાસથી નહિ, તોળ: મતો: 22
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy