SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने दण्डक्रियालोकालोकाः ३-४-५-६ सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ફળને આપનારા થાય છે, તેથી તેમને હિતેચ્છુ આર્યપુરુષો નમસ્કાર કરે છે. ર આત્માનું એકપણું ઉપર કહેલ રીતિથી સ્વીકાર કર્યા છતાં પણ કેટલાએકો (દર્શનકારો) વડે આત્માનું નિષ્ક્રિયપણું સ્વીકાર કરાયેલું છે. આ કારણથી તેનું નિરાકરણ (ખંડન) કરવા માટે આત્માનું ક્રિયાવાનપણું કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર ક્રિયાના કારણભૂત દંડનું સ્વરૂપ પ્રથમ કહે છે– ને કે સૂળ રૂાશિરિયા ટૂ૦ ૪ પ નો સૂપા ને ગોર | સૂ૦ દા. (મૂ૦) દંડ એક છે. /al ક્રિયા એક છે. /// લોક એક છે. //પી અલોક એક છે. /s // (ટી0) "જો દંડે-વિશેષ વિવેક્ષા ન કરવાથી એક, ટૂંક્યતે–જ્ઞાનાદિરૂપી ઐશ્વર્યના હરણ કરવાથી આત્મા નેનાવડે સાર રહિત કરાય છે તે દંડ, તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે. દ્રવ્યથી લાકડી વગેરે ભાવથી ખરાબ રીતે પ્રવર્તાવેલ મન વગેરે. |૩|| તે દંડ વડે આત્મા ક્રિયા કરે છે એટલે ક્રિયાને કહેવામાં આવે છે. આ ઋિરિયા' વિશેષ વિવક્ષા ન કરવા વડે કરણ માત્રની વિવેક્ષા હોવાથી એક છે. કરવું તે ક્રિયા. કાયિકી વગેરે તેનાં પ્રકારો છે અથવા 'ને ડેપII વિરિયા'ત્તિ-આ બને સૂત્ર વડે અક્રિયાપણાના નિષેધ વડે આત્માનું સક્રિયપણે કહેલ છે. જે કારણથી દંડ અને ક્રિયા શબ્દ વડે તેર ક્રિયાનાં સ્થાનો પ્રતિપાદન કરેલ છે તેમાં ૧ અર્થદંડ, ૨ અનર્થદંડ, ૩ હિંસાદંડ, ૪ અકસ્માતૃદંડ અને પ દૃષ્ટિવિપર્યાસદંડ–એ પાંચ પ્રકારે દંડ, તે પરના પ્રાણહરણસ્વરૂપ દંડ શબ્દથી ગ્રહણ કરેલ છે. વધનું સમાનપણું હોવાથી દંડનું એકપણું જાણવું. ક્રિયા શબ્દ વડે તો ૧ મૃષાપ્રત્યયા, ૨ અદત્તાદાનપ્રત્યયા, ૩ આધ્યાત્મિકી, ૪ માનપ્રત્યયા, ૫ મિત્રદ્રષપ્રત્યયા, ૬ માયાપ્રત્યયા, ૭ લોભપ્રત્યયા, ૮ ઐર્યાપથિકી—આ પ્રમાણે આઠ પ્રકારે ક્રિયા કહેલ છે. તેનું એકપણે તો કરણ માત્રના સમાનપણાથી જાણવું. દંડ અને ક્રિયાનું વિશેષ સ્વરૂપ તેના વિવરણ પ્રસંગે જ કહેશું. આત્માને અક્રિયવાનપણું માનનારનું ખંડન આ પ્રમાણે છે–જેઓએ નિશ્ચય આત્માનું અક્રિયવાનપણું સ્વીકારેલ છે તેમ તેઓએ ભોઝૂંપણું સ્વીકારેલ છે. ભોઝૂંપણું સ્વીકારવાથી ભોગક્રિયાની ઉત્પત્તિનું સામર્થ્ય છતે ભોક્તાપણું ઉત્પન્ન થાય છે. તે જ ક્રિયાપણું છે. હવે વાદી કહે છે કે–પ્રકૃતિ કરે છે અને પુરુષ (આત્મા) ભોગવે છે. પ્રતિબિંબ ન્યાય વડે એ પ્રમાણે કહેવું અયુક્ત છે, કારણ કે કથંચિત્ સક્રિયપણા વિના પ્રકૃતિનો સંબંધ છતે પણ પ્રતિબિંબભાવની ઉત્પત્તિ નહીં થાય; કેમકે રૂપાંતરનું પરિણમનરૂપી પ્રતિબિંબ છે. વળી જો કહેશો કે પ્રકૃતિના વિહારરૂપી બુદ્ધિથી જ સુખાદિ અર્થનું પ્રતિબિંબ પડે છે, પરંતુ આત્માથી પ્રતિબિંબ પડતું નથી. ત્યારે આત્માનું તે સ્થિતિમાં રહેવાપણું હોવાથી ભોફ્તત્વ ઘટી શકશે નહિ. અહિં ઘણું કહેવાનું છે તે તો સ્થાનાંતરથી જાણવું. જા ઉક્ત સ્વરૂપ વિશિષ્ટ આત્માના આધારનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે કહે છે–' તોપ' અસંખ્યાત પ્રદેશ વડે અને અધો, તિર્યમ્ આદિ દિશાના ભેદ વડે વિવેક્ષા ન કરવાથી એક લોક છે. તોmતે-કેવળજ્ઞાન વડે જે જોવાય છે તે લોક. તે ધમસ્તિકાયાદિ દ્રવ્યોનો આધારભૂત આકાશવિશેષ છે. આ સંબંધમાં કહ્યું છે કેધર્મલીનાં વૃત્તિદ્રવ્યાનાં મવતિ યત્ર તત્ ક્ષેત્રમ્ | વૈદ્રવ્યઃ સદ નોસ્તવિપરીત હતોરટ્યમ્ તિ–જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની પ્રવૃત્તિ થાય છે તે ક્ષેત્ર તે દ્રવ્યો સહિત લોક કહેવાય છે અને તેથી વિપરીત (એકલા આકાશની પ્રવૃત્તિ હોય) તે અલોક. અથવા લોક, નામાદિ ભેદથી આઠ પ્રકારે છે. કહ્યું છે કેनामं ठवणा दविए, खित्ते काले भवे य भावे य । पज्जवलोए य तहा, अट्ठविहो लोयनिक्खेवो ॥१२॥ [માવથ નિહ ૨૦૭૦] ૧ નામ અને ર સ્થાપના સુગમ છે. ૩ દ્રવ્યલોક-જીવ-અજીવદ્રવ્યરૂપ, ૪ ક્ષેત્રલોક-અનંતદેશાત્મક આકાશમાત્ર, ૫ કાલલોક-સમય, આવલિકાદિ, ૬ ભવલોક-નારક વગેરે, પોતપોતાના ભાવમાં વર્તતા, જેમકે મનુષ્યલોક, દેવલોક, ૭ ભાવલોકઔદંયિકાદિ છ ભાવો. ૮ પર્યાયલોક-દ્રવ્યોના પર્યાયમાત્રરૂપ. આ આઠ પ્રકારે લોકનો નિક્ષેપો જાણવો. (૬૨). – 21
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy