SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने पुण्यसत्ता ११ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ નારકાદિ પર્યાય, તે જ સંસાર છે, અને એ નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી. એટલે તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે. (૬૮). 'અહિં સમાધાન-નારકાદિ પર્યાયરૂપ સંસારનો અભાવ છતે અર્થાન્તર ન હોવાથી નારકાદિ પર્યાયસ્વરૂપની જેમ સર્વથા જીવનો અભાવ જ છે તેમ જ કહેવું તે અયુક્ત છે, કારણ અનર્થાન્તર હતુ, અનેકાન્તિક છે. કારણ? સુવર્ણ અને મુદ્રિકાનું અનર્થાન્તરપણું સિદ્ધ છે પણ મુદ્રિકા (વીંટી)ના આકારનો નાશ થયે છતે સોનાનો નાશ થતો નથી, તેની માફક નારકાદિ પર્યાય માત્રનો નાશ થયે છતે સર્વથા જીવનો નાશ થશે નહિ. ભાષ્યકાર કહે છે કેन हि नारगादिपज्जायमेत्तनासंमि सव्वहा नासो। जीवद्दव्वस्स मओ, मुद्दानासे व्व हेमस्स ।।६९।। [विशेषावश्यक० १९७९ त्ति] મુદ્રાનો નાશ થયે છતે જેમ સુવર્ણનો નાશ થતો નથી, તેમ નારકાદિ પર્યાયમાત્રનો જ નાશ થવાથી જીવ દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. (૬૯) વળી પણ ભાષ્યકાર કહે છે કેकम्मकओ संसारो, तन्नासे तस्स जुज्जए नासो । जीवत्तमकम्मकयं, तन्नासे तस्स को नासो? ।।७।। [विशेष्यावश्यक० १९८० त्ति] સંસાર કર્મકૃત છે તેથી કર્મનો નાશ થયે સંસારનો નાશ ઘટે છે, પણ જીવપણું કર્મકૃત નથી એટલે કર્મનો નાશ થયે છતે જીવનો નાશ કેવી રીતે થાય? (૭૦) . અર્થાત્ ન જ થાય. //holl - મોક્ષ, પુણ્યપાપનો ક્ષય થવાથી થાય છે માટે પુણ્ય-પાપનું સ્વરૂપ કહેવા યોગ્ય છે. તેમાં પણ મોક્ષ અને પુણ્યના શુભ સ્વરૂપનું સાધર્યું હોવાથી પ્રથમ પુણ્યનું સ્વરૂપ કહે છે–'ને પુને' 'પુ' ધાતુ શુભ અર્થમાં છે. પુતિ-શુભ કરે છે અથવા 'પુનાતિ' આત્માને પવિત્ર કરે છે, માટે શુભ કર્મ છે. સાતવેદનીય વગેરે તેનાં બેંતાલીશ પ્રકારો છે. યથો — सायं उच्चागोयं, नरतिरिदेवाउ नाम एयाउ । मणुयदुगं देवदुर्ग, पंचेंदियजाति तणुपणगं ॥१॥ अंगोवंगतियंपिय, संघयणं वज्जरिसहनारायं । पढम चिय संठाणं, वत्राइचउक्क सुपसत्थं ।।७।। अगुरुलहु पराघायं, उस्सासं आयवं च उज्जोयं । सुपसत्था विहयगई, तसाइदसगं च णिम्माणं ।।३।। "તિયોનું સહિયા, નાવાતા પુvપાત્રો' 'ત્તિ. ૧ સાતવેદનીય, ૨ ઉચ્ચ ગોત્ર, ૩ મનુષ્યાયુ, ૪ તિર્યંચાયુ, ૫ દેવાય ૬-૭ મનુષ્યદ્ધિક' (મનુષ્યગતિ ને મનુષ્યાનુપૂર્વી), ૮-૯ દેવદ્રિક (દેવગતિ ને દેવાનુપૂર્વી), ૧૦ પંચેન્દ્રિય જાતિ, ૧૧૧૫ ઔદારિકાદિ પાંચ શરીર, ૧૬ ઔદારિકના અંગોપાંગ, ૧૭ વૈક્રિય અંગોપાંગ, ૧૮ આહારક અંગોપાંગ, ૧૯ વજ8ષભનારાચ સંઘયણ, ૨૦ સમચરિત્ર સંસ્થાન, ૨૧-૨૪ શુભ વદિ ચાર, ૨૫ અગુરુલઘુ, ૨૬ પરાઘાત, ૨૭ ઉચ્છવાસ, ૨૮ આત ૧, ૨૯ ઉદ્યોત, ૩૦ શુભ વિહાયો (શુભ ચાલવાની) ગતિ, ૩૧-૪૦ ત્રસાદિકદશક, ૪૧ નિર્માણ અને તીર્થકર નામકર્મ. આ પ્રમાણે બેંતાલીશ પ્રકારે છતાં પણ અથવા પુણ્યાનુબંધી અને પાપાનુબંધી ભેદથી બે પ્રકારે છતાં પણ, અથવા દરેક જીવો વિચિત્ર (ભિન્નભિન્ન) હોવાથી અનંત ભેદ છતાં પણ પુણ્યનું સમાનપણું હોવાથી એક પુણ્ય છે. શંકા–સસલાના શીંગડાની 1. પ્રથમની પાંચ પ્રકૃતિ છોડીને શેષ પ્રકૃતિઓ નામકર્મની છે. 2. શુક્લ, પીત અને રક્ત વર્ણ, સુરભિ ગંધ, મધુર, આમ્લ (ખાટો) અને કષાય રસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શ—એ અગ્યાર શુભ પ્રકૃતિઓ છે. 3. પરાઘાતનામકર્મનો જેને ઉદય હોય તેને અન્ય બલવાનું છતાં પણ જીતવું મુશ્કેલ થાય. 4. આતપનામકર્મનો ઉદય, (સૂર્યના વિમાનનાં રત્નોમાં જ) પૃથ્વીકાયિક જીવોને હોય, 5. નિમણનામ કર્મના ઉદયથી શરીરના અંગોપાંગની રચના, સુતારની માફક નિયમિત રીતે થાય છે. 25
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy