________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ आर्यादिप्रकाराः वृषभहस्तिदृष्टान्ता २८०-२८१ सूत्रे
કહેલા છે તે આ પ્રમાણે-કોઈક વૃષભ કુલસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી, કોઈક કુલસંપન્ન નથી પણ રૂપસંપન્ન છે, કોઈક કુલ અને રૂપ બનેથી સંપન્ન છે તેમજ કોઈક તે બન્નેથી સંપન્ન નથી. એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈક પુરુષ કુલસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી એવી રીતે કુલ અને રૂપ શબ્દની ચતુર્ભગી કરવી ૪૬ ચાર પ્રકારના વૃષભો કહેલા છે તે આ પ્રમાણે—કોઈક વૃષભ બલસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી, કોઈક બલસંપન્ન નથી પણ રૂપસંપન્ન છે, કોઈક બલ અને રૂપ બન્નેથી સંપન્ન છે તેમજ કોઈક બન્નેથી સંપન્ન નથી. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ બલસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી. એવી રીતે બલ અને રૂપશબ્દ વડે ચતુર્ભગી કરવી. ૪-૭ ચાર પ્રકારના હસ્તી કહેલ છે, તે આ પ્રમાણે–ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ. આ દષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ. ચાર પ્રકારના હસ્તી કહેલ છે, તે આ પ્રમાણે—કોઈએક હાથી જાતિ અને આકારથી ભદ્ર (પ્રશસ્ત) છે અને ભદ્રમનવાળો-પૈર્યવાળો છે, કોઈક જાતિ વગેરેથી ભદ્ર છે અને મંદ મનવાળો છે-અતિવીર નથી, કોઈક જાતિ વગેરેથી ભદ્ર અને મૃગમનવાળો–બીકણ છે તેમજ કોઈક જાતિ વગેરેથી ભદ્ર અને સંકીર્ણમનવાળો-વિચિત્ર સ્વભાવવાળો છે. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષ જાતિ વગેરેથી ઉત્તમ છે અને વૈર્ય મનવાળો છે, કોઈક જાતિ.વગેરેથી ભદ્ર છે પણ મંદ મનવાળો છે અર્થાત્ બહુ વૈર્યવાળો નથી, કોઈક જાતિ વગેરેથી ભદ્ર છે પણ મૃગમનવાળો–ભીરુ છે તેમજ કોઈક જાતિથી ભદ્ર છે પણ વિચિત્ર મનવાળો છે. ચાર પ્રકારના હસ્તી કહેલા છે, તે આ પ્રમાણે કોઈએક હસ્તી જાતિથી મંદ પણ ભદ્રમનવાળો છે, કોઈએક જાતિથી મંદ અને મંદ મનવાળો છે, કોઈએક હસ્તી જાતિથી મંદ પણ મૃગ (ભીરુ) મનવાળો છે તેમજ કોઈક હાથી જાતિથી મંદ પણ સંકીર્ણ મનવાળો છે. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ જાતિથી મંદ પણ ભદ્ર મનવાળો છે, હસ્તીની જેમ પુરુષમાં પણ એ રીતે ચાર ભાંગા કહેવા. ચાર પ્રકારના હાથી કહેલા છે. તે આ પ્રમાણે—કોઈક હાથી જાતિથી મૃગ પણ ભદ્ર મનવાળો છેધીર છે, કોઈક જાતિથી મૃગ અને મંદ મનવાળો છે, કોઈક જાતિથી મૃગ અને મૃગ મનવાળો (ભી) છે. તેમજ કોઈએક હાથી જાતિથી મૃગ પણ સંકીર્ણ વિચિત્ર મનવાળો છે. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે તે આ પ્રમાણે—કોઈએક પુરુષ જાતિથી મૃગ પણ ભદ્ર મનવાળો છે. એવી રીતે હાથીની માફક ચાર ભાંગા પુરુષોમાં પણ કહેવા. ચાર પ્રકારના હાથી કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક હાથી જાતિથી સંકીર્ણ પણ ભદ્ર મનવાળો છે. કોઈએક હાથી જાતિથી સંકીર્ણ પણ મંદ મનવાળો છે, કોઈએક જાતિથી સંકીર્ણ પણ મૃગ (ભીરુ) મનવાળો છે તેમજ કોઈએક હાથી જાતિથી સંકીર્ણ અને સંકીર્ણ મનવાળો છે. મધની ગુટિકા જેવી પિંગલ-કંઈક રાતી અને કંઈક પીળી આંખોવાળો, યોગ્ય કાલે ઉત્પન્ન થયેલો, લાંબા પૂછડાવાળો, આગળનો ભાગ–મસ્તકનો ભાગ ઉંચો, વૈર્યવાળો અને પ્રમાણપત સર્વ અંગોપાગવાળો ભદ્ર જાતિનો હાથી હોય છે ૧, ઢીલી, જાડી અને વિષમ (લીલરી સહિત) ચામડીવાળો, સ્થૂલ મસ્તકવાળો, સ્થૂલ પૂંછડાના મૂલવાળો, સ્થૂલ નખ, દાંત તથા વાળવાળો અને સિંહના જેવા પિંગલ નેત્રવાળો મંદ જાતિનો હાથી હોય છે , કૃશ શરીર અને કૃશ (પાતળી) ગ્રીવાવાળો, કુશ ચામડી, કૃશ નખ, દાંત અને વાળવાળો, ભીરુ, ત્રાસ પામેલો, બંદવાળો, બીજાને ત્રાસ ઉત્પન્ન કરનાર મૃગ નામનો હાથી કહેવાય છે ૩, આ ઉપર્યુક્ત ત્રણ જાતિના હાથીના ગુણોનું રૂપ વડે અને સ્વભાવ વડે થોડું થોડું અનુસરણ કરનાર તે સંકીર્ણ જાતિનો હાથી જાણવો. ૪. ભદ્ર જાતિના હાથીનો મદ શરદ્ ઋતુમાં ઝરે છે, મંદ જાતિના હાથીનો મદ વસંત ઋતુમાં ઝરે છે,
મૃગ જાતિના હાથીનો મદ હેમંતઋતુમાં ઝરે છે અને સંકીર્ણ જાતિના હાથીનો મદ છએ ઋતુમાં ઝરે છે પ. /૨૮૧/ (ટી) આ સૂત્રો ગતાર્થ છે. વિશેષ એ કે—બે પ્રકારના આર્ય છે–૧. ઋદ્ધિપ્રાપ્ત અને ૨. અદ્ધિપ્રાપ્ત. ઋદ્ધિપ્રાપ્ત છ પ્રકારના છે-૧. તીર્થકર, ૨. ચક્રવર્તી, ૩. બલદેવ, ૪. વાસુદેવ, ૫. ચારણમુનિ અને ૬. વિદ્યાધર. અ&દ્ધિપ્રાપ્ત આર્ય નવ પ્રકારના છે
346.