________________
४ स्थानकाध्ययने उद्देशः २ आर्यादिप्रकाराः वृषभहस्तिदृष्टान्ता २८०-२८१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ तणुओ तणुतग्गीवो, तणुयततो तणुयदंत-णह-वालो । भीरू तत्थुव्विग्गो, तासी य भवे मिते णामं ॥३॥ एतेसिं हत्थीणं, थोवं-थोवं तु जो अणु हरति हत्थी। रूवेण व सीलेण व, सो संकिन्नो त्ति नायव्वो ॥४॥ भद्दो मज्जति सरए, मंदो उण मज्जते वसंतंमि । मिओ मज्जति हेमंते, संकिन्ने सव्वकालंमि ।।५।।।।सू० २८१।। (મૂ6) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–એક ક્ષેત્રથી આર્ય અને વળી પાપકર્મ ન કરવાથી આર્ય ૧, એક
ક્ષેત્રથી આર્ય પણ પાપકર્મને કરવાથી અનાર્ય ૨, એક ક્ષેત્રથી અનાર્ય પણ પાપકર્મને ન કરવાથી આર્ય૩, તેમજ એક ક્ષેત્રથી અનાર્ય અને પાપકર્મ કરવાથી પણ અનાર્ય ૪-૧, ચાર પ્રકારે પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–એક ક્ષેત્રથી આર્ય અને આર્ય પરિણામવાળો ૧, એક આર્ય અને અનાર્યપરિણત ૨, એક અનાર્ય પણ આર્યપરિણત ૩ તેમજ એક અનાર્ય અને અનાર્યપરિણત ૪-૨, એવી રીતે આર્ય રૂપ ૩, આર્ય મન ૪, આર્ય સંકલ્પ ૫, આર્ય પ્રજ્ઞ ૬, આર્ય દષ્ટિ ૭, આર્ય શીલાચાર ૮, આર્ય વ્યવહાર ૯, આર્ય પરાક્રમ ૧૦, આર્ય વૃત્તિ ૧૧, આર્ય જાતિ ૧૨, આર્ય ભાષી ૧૩, આર્ય અવભાસી ૧૪, આર્ય સેવી ૧૫, આર્યપર્યાય ૧૬, અને આર્ય પરિવાર ૧૭, જેવી રીતે દીન શબ્દ સાથે સત્તર આલાપકો કહેલા છે તેવી રીતે આર્ય શબ્દ સાથે પણ સત્તર આલાપકો કહેવા અર્થાત્ સત્તર ચતુર્ભાગીઓ કરવી. ફક્ત દીન’ શબ્દને સ્થાને આર્ય શબ્દ જોડવો અને “અદીન” ને સ્થાને અનાર્ય શબ્દ જોડવો. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક ક્ષેત્રથી આર્ય છે અને જ્ઞાનાદિગુણ યુક્ત હોવાથી આર્યભાવવાળો છે ૧, કોઈક ક્ષેત્રથી આર્ય પણ ક્રોધાદિથી અનાર્યભાવવાળો છે ૨, કોઈક ક્ષેત્રથી અનાર્ય પણ જ્ઞાનાદિથી આર્ય ભાવવાળો છે ૩, તેમજ કોઈક ક્ષેત્રથી અનાર્ય અને ક્રોધાદિકથી પણ અનાર્યભાવવાળો છે. ૨૮ll ચાર પ્રકારના વૃષભ-બળદો કહેલા છે, તે આ પ્રમાણે—માતાના પક્ષ વડે યુક્ત તે જાતિસંપન્ન, પિતાના પક્ષ વડે યુક્ત તે કુલસંપન્ન, ભાર વહન કરવાની શક્તિ યુક્ત તે બલસંપન્ન તેમજ શરીરના સૌંદર્ય વડે યુક્ત તે રૂપસંપન્ન. આ દિષ્ટતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—જાતિસંપન્ન, યાવત્ પદથી કુલસંપન્ન, બલસંપન્ન અને રૂપસંપન્ન. ૧. ચાર પ્રકારના બળદો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈક બળદ જાતિસંપન્ન છે પણ કુલસંપન્ન નથી ૧, કોઈએક કુલસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી. ૨, કોઈએક જાતિસંપન્ન અને કુલસંપન્ન પણ છે ૩, તેમજ કોઈ એક જાતિસંપન્ન પણ નથી અને કુલસંપન્ન પણ નથી. ૪. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે કોઈએક પુરુષ જાતિસંપન્ન છે પણ કુલસંપન્ન નથી ૧, કોઈએક કુલસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી ૨ કોઈક જાતિ અને કુલ બસેથી સંપન્ન છે ૩, તેમજ કોઈક જાતિ અને કુલ બસેથી સંપન્ન નથી. ૪-૨, ચાર પ્રકારના બળદો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક બળદ જાતિસંપન્ન છે પણ બલસંપન્ન નથી, કોઈક બલસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી, કોઈક જાતિ અને બલ બન્નેથી સંપન્ન છે તેમજ કોઈક જાતિ અને બલ બન્નથી સંપન્ન નથી. ૪, આ દૃષ્ટતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક પુરુષ જાતિસંપન્ન છે પણ બલસંપન્ન નથી, એવી રીતે જાતિ અને બલ શબ્દથી ચતુર્ભગી કરવી ૪-૩, ચાર પ્રકારના વૃષભો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક વૃષભ જાતિસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી, કોઈએક રૂપસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી, કોઈક જાતિ અને રૂપ બન્નેથી સંપન્ન છે તેમજ કોઈક બનેથી સંપન્ન નથી ૪, આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે કોઈએક પુરુષ જાતિસંપન્ન છે પણ રૂપ સંપન્ન નથી, એવી રીતે જાતિ અને રૂપ શબ્દની ચતુર્ભગી કરવી ૪-૪, ચાર પ્રકારના વૃષભો કહેલા છે, તે આ પ્રમાણે– કોઈક વૃષભ કુલસંપન્ન છે પણ બલસંપન્ન નથી. કોઈક કુલસંપન્ન નથી પણ બલસંપન્ન છે. કોઈક કુલ અને બલ બન્નેથી સંપન્ન છે તેમજ કોઈક બન્નેથી સંપન્ન નથી. આ દષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષ કુલસંપન્ન છે પણ બલસંપન્ન નથી એવી રીતે કુલ અને બલ શબ્દની ચતુર્ભગી કરવી ૪-૫. ચાર પ્રકારના વૃષભ
[345