SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः २ आर्यादिप्रकाराः वृषभहस्तिदृष्टान्ता २८०-२८१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ તે જણાવવા માટે ગાથા કહે છે કે— खेत्ते जाई कुल कम्म, सिप्प भासाए नाणचरणे य । दसणआरिय णवहा, मिच्छा सग-जवण-खसमाइ ॥८॥ ૧. આર્યક્ષેત્રમાં ઉત્પન્ન તે ક્ષેત્રાર્ય, ૨. જાતિઆર્યઅંબષ્ટ વગેરે જાતિમાં ઉત્પન્ન થયેલ, ૩. ઉગ્ર, ભોગ વગેરે કુલમાં ઉત્પન્ન થયેલ તે કુલઆર્ય, ૪. સૂતર અને રૂ વગેરે અનિંદિત કર્મકાર્ય કરનાર તે કર્મઆર્ય, ૫. ચિત્ર વગેરે કાર્ય કરનાર તે શિલ્પઆર્ય, ૬. અદ્ધમાગધી ભાષાને બોલનાર તે ભાષાઆર્ય, ૭. મતિજ્ઞાન વગેરે જ્ઞાનવાળો તે જ્ઞાનઆર્ય, ૮. ક્ષાયિક વગેરે સમતિવાળો તે દર્શનઆર્ય અને ૯. સામાયિક વગેરે ચારિત્રવાળો તે ચારિત્રઆર્ય. પૈયાપેય અને ભક્ષ્યાભઢ્ય વગેરેના વિવેક રહિત અને શાસ્ત્રાદિમાં અપ્રસિદ્ધ વેષવાળા અને એવી ભાષાને બોલનારા તે મ્લેચ્છ અનાર્યો થક, યવન અને ખસ વગેરે છે. (૮૮). ક્ષેત્રથી આર્ય, વળી પાપકર્મથી રહિત હોવાથી અપાપ-નિષ્પાપ એવો અર્થ છે. એવી રીતે જ સત્તર સૂત્ર જાણવા. સાયિકાદિ ભાવવાળા જ્ઞાનાદિ વડે યુક્ત તે આર્યભાવ, ક્રોધાદિવાળો તે અનાર્યભાવ. ૨૮૦ દૃષ્ટાંત અને દાર્જેતિક અર્થ સહિત પુરુષજાત-પ્રકરણ વિકથા સૂત્રની પહેલા કહેવાય છે, તે પાઠથી જ સિદ્ધ છે. વિશેષ એ કે-ગુણવાન માતાનો પક્ષ તે જાતિ, ગુણવાન પિતાનો પક્ષ તે કુલ, ભારને વહન કરવાનું સામર્થ્ય તે બળ અને શરીરનું સૌંદર્ય તે રૂપ. પુરુષો તો સ્વયં વિચારી લેવા ૨, ઉપર્યુક્ત દષ્ટાંતસૂત્રો પુરુષના દાષ્ટ્રતિક સૂત્રો સહિત તો જાતિ વગેરે ચાર પદોને પૃથ્વી ઉપર સ્થાપીને છ દિકસંયોગી “જાતિસંપન્ન પણ કુલસંપન્ન નહિ ઈત્યાદિ સ્થાન (ભાંગા) ના ક્રમ વડે છે જ ચતુર્ભગી વડે જાણી લેવા. હાથીના સૂત્રમાં ભદ્ર જાતિ વગેરે હાથીનો ભેદો, વનાદિવિષિત અને કહેવાતા લક્ષણવાળા છે, તે કહે છેभद्रो मन्दो मृगश्चेति विज्ञेयस्त्रिविधय गजाः। वनप्रचारः सारूप्य सत्त्वभेदोपलक्षिताः ॥८९।। ભદ્ર, મંદ અને મૃગ-આ ત્રણ પ્રકારના હાથીઓ જાણવા. તે વનમાં ફરવાથી, આકારથી અને સત્ત્વ-પરાક્રમના ભેદથી જણાય છે.” (૮૯) (૧) તેમાં ભદ્ર હાથી ધીરત્વ વગેરે ગુણો વડે યુક્ત હોવાથી ભદ્ર જ છે, મંદ હાથી અને વેગ વગેરે ગુણોમાં મંદ હોવાથી મંદ જ છે, મૃગ હાથી તનુત્વ (પાતળાપણું) અને બીકપણું વગેરે ગુણોથી મૃગ જ છે અને સંકીર્ણ હાથી ભદ્ર વગેરે હાથીઓનાં કંઈક ગુણો વડે મિશ્રિત હોવાથી સંકીર્ણ છે. પુરુષ પણ એવી રીતે (હાથીની માફક) વિચારવા. દાખતિક સહિત ચાર ઉત્તરસૂત્રો છે, તેની સ્થાપના-ભદ્ર વગેરે ચાર પદો પ્રથમ સ્થાપવા, તેની નીચે ક્રમ વડે ભદ્રમન વગેરે સ્થાપીને કોઈએક ભદ્રજાતિનો અને ભદ્રમનવાળો છે, તેનો ક્રમ નીચે પ્રમાણે જાણવો ૨ | | | | મ | મંદ| મં] મં| H | | કૃ| મૂ| 5: સંજીન સંજીનJસંજીજીના भद्र | मंद | मृग | संकीर्ण | भद्र | मंद मृग संकीर्ण | भद्र | मंद मृग संकीर्ण| भद्र | मंद | मृग | संकीर्ण મનામનામના | મનાઃ |મના | મનામના | મનામનામના મના | મનાય | મનાઃ | मनाः મનાઃ | મનાઃ - ભદ્ર-જાતિ અને આકાર વડે પ્રશસ્ત તથા ભદ્ર છે મન જેનું અથવા ભદ્રની જેમ છે મન જેનું તે ભદ્રમનવાળો અર્થાત્ ધીર, મંદ છે મન જેનું અથવા મંદની જેમ મન છે તે તે મંદમનવાળો અર્થાત્ અત્યંત ધીર નહિ. એવી રીતે મૃગમના–ભીરુ, સંકીર્ણમનવાળો એટલે ભદ્રાદિના લક્ષણયુક્ત-વિચિત્ર ચિત્તવાળો. પુરુષો તો કહેવાતા ભદ્રાદિ લક્ષણના અનુસાર પ્રશસ્ત અને અપ્રશસ્ત સ્વરૂપવાળા માનવા. ભદ્રાદિના લક્ષણ પ્રમાણે– મદુગાથા–મધની ગોળીની માફક પિંગળ નેત્ર છે જેના તે 1. જાતિ અને કુલ વડે ૧, જાતિ અને બળ વડે ૨, જાતિ અને રૂપ વડે ૩, કુલ અને બલ વડે ૪, કુલ અને રૂપ વડે ૫, તેમજ બલ અને રૂપ વડે ૬-આ પ્રમાણે છ ચતુર્ભગીઓ થાય છે. 347
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy