________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ हासः अन्तरं भृतकाः प्रतिसेविनः २६९ - २७२ सूत्राणि પત્તાન્ત મયા પન્નત્તા, તંનહા–વિસમયતે, નત્તામયતે, મુખ્વત્તમયતે, બ્બાતમયતે । સૂ॰ ૨૭।। - चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - संपागडपडिसेवी णामेगे णो पच्छन्नपडिसेवी, पच्छन्नपडिसेवी णामेगे णो संपागडपडिसेवी, एगे संपागडपडिसेवी वि पच्छन्नपडिसेवी वि, एगे नो संपागडपडिसेवी णो पच्छन्नपडिसेवी ॥ સૂ॰ ૨૭૨/
(મૂળ) ચાર કારણે હાસ્યની ઉત્પત્તિ થાય, તે આ પ્રમાણે—ભાંડ વગેરેની ચેષ્ટા જોઈને ૧, વિકારવાળાં વચનો બોલીને ૨, બીજાના વિકૃત વચનો સાંભળીને ૩ અને ચેષ્ટા વગેરેના શબ્દો મનમાં સંભારીને ૪ હસે છે. ।।૨૬૯॥ ચાર પ્રકારે અંતર (એક બીજાના ભેદ) કહેલ છે, તે આ પ્રમાણે—કાષ્ઠાંતર-લાકડા લાકડામાં અંતર ૧, પક્ષ્માંતરકપાસની પુણી પુણીમાં અંતર ૨, લોઢા લોઢામાં અંતર તે લોહાંતર ૩ અને પત્થર પત્થરમાં અંતર પત્થરાંતર ૪. એ જ દૃષ્ટાંતે સ્ત્રી સ્ત્રીમાં અંતર, પુરુષ પુરુષમાં અંતર ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—વિશિષ્ટ પદવીની યોગ્યતા વગેરેથી કાાંતર સમાન ૧, વાણીની કોમળતા વડે પદ્માંતર સમાન ૨, સ્નેહના છેદ કરવા વડે લોહાંતર સમાન ૩, અને ચિંતિત મનોરથ પૂરવા વડે જગવંદ્ય જે થાય તે પત્થરાંતર' સમાન. ૨૭/
ચાર ભૂતક–નોકરો કહેલા છે, તે આ પ્રમાણે—દરરોજના મૂલ્યથી જે કામ કરે છે તે દિવસભૃતક ૧, દેશાંતર ગમનપ્રસંગે અમુક રકમ લઈને મદદ કરનાર સેવક તે યાત્રાભૃતક ૨, મૂલ્ય અને કાલ (અમુક સમય) નો નિર્ણય કરીને જે નિયમિત કાર્ય કરનાર નોકર તે ઉચ્ચતામૃતક ૩, અને અમુક હસ્તપ્રમાણ ભૂમિ તારે ખોદવી અને અમુક મૂલ્ય આપીશ એમ ઠરાવપૂર્વક જે કામ કરનાર તે કબ્બાડભૂતક, ૪. ૨૭૧૫
ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈએક પુરુષ અગીતાર્થની સમક્ષ અકલ્પનીય ભાત વગેરે સેવનાર પણ પ્રચ્છન્ન (છાનું) સેવનાર નહિં તે બકુસ ૧, કોઈએક પુરુષ પ્રચ્છન્ન દોષને સેવે છે પણ પ્રગટ સેવતો નથી તે કષાયકુશીલ ૨, કોઈએક પુરુષ પ્રગટ દોષને સેવે છે અને પ્રચ્છન્ન પણ સૈવે છે તે પ્રતિસેવનાકુશીલ ૩, અને કોઈએક પુરુષ પ્રગટ અને પ્રચ્છન્ન દોષને સેવતો નથી તે સ્નાતક અથવા નિગ્રંથ. ૪. ૨૭/
(ટી૦) 'પડદ્દી'ત્યાદ્રિ હસવું તે હાસ્ય, હાસ્યમોહનીય કર્મના ઉદયજન્ય વિકારની ઉત્પત્તિ તે હાસ્યોત્પત્તિ, 'પાસિત્તે' ત્તિ વિદુષક વગેરેની ચેષ્ટાને ચક્ષુ વડે જોઈને ૧, વળી કંઈક વિકાર સહિત વચનને બોલીને ૨, બીજાએ કહેલ તથાવિધ હાસ્યકારી વાક્યને કાન વડે સાંભળીને ૩ અને હાસ્યકારી ચેષ્ટા અને વાક્ય વગેરેને યાદ કરીને હસે છે. ૪. એવી રીતે જોવું વગેરે હાસ્યના કારણો થાય છે. ।।૨૬।।
અસિદ્ધ (સંસારીઓ) નાં જ ધર્માન્તરનું નિરૂપણ કરવા માટે દૃષ્ટાંત અને દાતિક અર્થવાળાં બે સૂત્રને કહે છે– 'નવ્વિને' ત્યાદ્રિ કાષ્ટ કાષ્ટનો અંતર એટલે રૂપ, રચનાદિ વડે વિશેષ તે કાાંતર, એમ પણ્મ–કપાસ, રૂ વગેરેનો અર્થાત્ પદ્મ પદ્મનો (પૂણી પૂણીનો) વિશિષ્ટ સુકુમારતાદિ વડે અંતર તે પણ્માંતર ૨, અત્યંત છેદ કરનાર હોવાથી લોઢાનું અંતર ૩, ચિંતિત વસ્તુની પ્રાપ્તિ વગેરેથી પાષાણનો અંતર તે પ્રસ્તરાંતર. ૪, એવી રીતે કાષ્ઠાદિ અંતરની માફક અન્ય સ્ત્રીઓની અપેક્ષાએ સ્ત્રીનું અંતર અથવા અન્ય પુરુષોની અપેક્ષાએ પુરુષનું અંતર. અહિં બે 'વા' શબ્દ સ્ત્રી અને પુરુષના ચતુર્વિધત્વ પ્રત્યે સમાનતા જણાવવા માટે છે. કાષ્ટાંતર તુલ્ય, અંતરવિશેષ, અર્થાત્ વિશિષ્ટ પદવીની યોગ્યતાદિ વડે કાષ્ઠાંતર સમાન ૧, વચનની સુકોમલતા વડે જ પદ્માંતર સમાન ૨, સ્નેહનાં છેદ વડે અને પરીષહાદિને વિષે અભંગત્વ–ધૈર્ય વગેરેથી લોહાંતર સમાન ૩, ઇચ્છાથી અધિક મનોરથના પૂર્ણ ક૨વા વડે અને વિશિષ્ટ ગુણવાન પુરુષ વડે વંદન કરવા યોગ્ય પદવીની યોગ્યતાદિ વડે પ્રસ્તરાંતર સમાન ૪. I॥૨૦॥
1. અહિં વિશેષ રૂપથી વ્યાખ્યા કરેલ છે.
334