________________
४ स्थानकाध्ययने उद्देशः १ दृष्टिवादः प्रायश्चित्तञ्च २६२-२६३ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
आलोयण १ पडिक्कमणे २, मीस ३ विवेगे ४ तहा विउस्सग्गे [विउसग्गे] ५। तव ६ छेय ७ मूल ८ अणवट्ठया य ९ पारंचिए १० चेव ॥१४॥
[व्यवहार नि० १३ भा०५६ त्ति] આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ,મૂળ, અનવસ્થાપ્યતા અને પારાંચિત એ દશ ભેદ પ્રાયશ્ચિત્તના છે. (૬૪).
ગુરુની આગળ વચન વડે પાપના પ્રકાશવા માત્રથી જે પાપની શુદ્ધિ થાય તે આલોચના પ્રાયશ્ચિત્ત ૧, ફરીને ન કરવાની પ્રતિજ્ઞાપૂર્વક સ્વયં મિથ્યા દુષ્કૃત આપવા માત્રથી જે પાપની શુદ્ધિ થાય તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ૨, આલોચના અને પ્રતિક્રમણ એ બન્નેથી (ગુરુની સમક્ષ આલોચના કરીને ગુરુના આદેશપૂર્વક પ્રતિક્રમણ કરે અને પછી મિથ્યાદુકૃત આપવાથી) પાપની શુદ્ધિ થાય તે મિશ્રપ્રાયશ્ચિત્ત ૩, ત્યાગ કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે વિવેકપ્રાયશ્ચિત્ત, દા. ત. આધાકમદિ આહારનું ગ્રહણ કર્યો છતે તેનો ત્યાગ કરવાથી પાપની શુદ્ધિ થાય છે. ૪, કાયાની ચેષ્ટાના નિરોધરૂપ ઉપયોગ માત્રથી જે પાપની શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત, જેમ દુઃસ્વપ્નથી થયેલ પાપની કાયોત્સર્ગ માત્રથી શુદ્ધિ થાય છે ૫, જે પાપની શુદ્ધિ નીવી વગેરે છ માસ પર્યત તપ કરવાથી થાય છે તે તપ પ્રાયશ્ચિત્ત ૬, દુષ્ટ વ્યાધિથી દૂષિત થયેલ શરીરના અમુક ભાગના છેદનની જેમ જે પ્રાયશ્ચિત્તમાં સંયમના પૂર્વ પર્યાયની રક્ષા માટે અમુક પર્યાયનો છેદ કરાય છે તે છેદ પ્રાયશ્ચિત્ત ૭, જે પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયે છતે સમસ્ત સંયમપર્યાયનો છેદ કરીને ફરીથી મહાવ્રતનું આરોપણ કરાય છે અર્થાત્ ફરીથી દીક્ષા અપાય છે તે મૂલપ્રાયશ્ચિત્ત ૮, જેણે ફરીથી પ્રતિસેવના કરેલ તે ઉત્થાપના (ફરીથી મહાવ્રતારોપણ) માં અયોગ્ય છતો પણ વ્રતોમાં કિંચિત્ કાલ સ્થાપન કરાય છે તે અનવસ્થાપ્યતા, તે જ્યાં સુધી સ્વીકારેલું વિશિષ્ટ તપ પૂર્ણ નથી કર્યું ત્યાં સુધી વ્રત કે લિંગમાં સ્થાપન નથી કરાતો માટે અનવસ્થાપ્યતાપ્રાયશ્ચિત્ત ૯, જે દોષનું સેવન કર્યા પછી લિંગ, ક્ષેત્ર, કાલ અને તપથી દોષના પારને પામે છે તે પારાંચિત. અહિં મગ્ન ધાતુ ગતિના અર્થમાં છે. છેલ્લામાં છેલ્લું પ્રાયશ્ચિત્ત આ છે અને તે ઉત્કૃષ્ટ દોષમાં જ અપાય છે. ૧૦. આ પ્રતિસેવણા પ્રાયશ્ચિત્ત ૧. બીજું સંયોજન એટલે એક જાતિવાળા અતિચારનું મિલન–એકત્ર થવું તે સંયોજના, જેમ શય્યાતરપિંડ લીધેલ, તે પણ પાણીથી ભીંજાયેલ હસ્તાદિ વડે, વળી તે સામે લાવેલ, તે પણ આધાર્મિક, આ દોષોનું મિલન જેમાં છે તેનું પ્રાયશ્ચિત્ત તે સંયોજનાપ્રાયશ્ચિત્ત ૨. તથા એક અપરાધના પ્રાયશ્ચિત્તમાં ફરી ફરી દોષ સેવવા વડે વિજાતીય-અન્ય પ્રાયશ્ચિત્તનું આરોપણ કરવું તે આરોપણા, જેમ પાંચ અહોરાત્ર પ્રમાણ પ્રાયશ્ચિત્તને પામેલ, ફરીથી દોષને સેવ્ય છતે દશ અહોરાત્ર પ્રમાણ, ફરીથી સેવવામાં પંદર અહોરાત્ર પ્રમાણ, એવી રીતે ફરી ફરી દોષ લગાડવાથી યાવત્ છ માસ પર્યત તપ આપવું. તેથી અધિક તપ આવવા યોગ્ય નથી. શેષ (છ માસથી અધિક) તપ છ માસ તપમાં જ અંતર્ભત કરવા યોગ્ય છે, કેમકે આ વર્તમાન તીર્થમાં છ માસનું જ તપ કહેલ છે. કહ્યું પણ છે કે– __पंचाईयारोवण नेयव्वा जाव होंति छम्मासा । तेण पर मासियाणं, छण्हुवरि जोसणं कुज्जा ।।५।।
[વ્યવહારભાષ્ય૦ ૧૪૬ ]િ પાંચ અહોરાત્ર પ્રમાણ પ્રાયશ્ચિત્તિને એજ દોષ સેવવાથી પાંચ અહોરાત્ર ફરીથી આપવું એ આરોપણ. એમ છ માસ સુધી આપવું. એનાથી ઉપર માસિકાદિ તપ પણ એજ છ માસીમાં સમાવેશ કરવો. (૬૫)
આરોપણા વડે પ્રાયશ્ચિત્ત તે આરોપણાપ્રાયશ્ચિત્ત ૩, પરિકુંચન-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સંબંધી અપરાધનું ગોપવવું, અન્યથા-એક રીતે કર્યું હોવા છતાં બીજી રીતે કહેવું તે પરિકંચના અથવા પરિવંચના. કહ્યું છે કે . दव्वे खेत्ते काले, भावे पलिउंचणा चउवियप्प । [चोअगकप्पारोवण, इहहिं भणिया पुरिसजाया ॥६६॥']
[વ્યવહારના ૧૦ ]િ 1. આ ગાથા વ્યવહારભાષ્યની છે. અહિં ટીકાકારે પૂર્વાદ્ધ ભાગ લીધેલ છે. ગાથાવૃત્તિમાં ઉત્તરાદ્ધ ભાગ પણ આપેલ છે માટે અહિં સંપૂર્ણ લખેલ છે પરંતુ પ્રસ્તુત વિષયમાં તેનો સંબંધ નથી એટલે ઉત્તારાદ્ધનો અર્થ લખેલ નથી.
- 329