SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ अजीवास्तिकायाः, आमादि, सत्यप्रणिधानानि च २५२-२५४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ કહેવો ઇત્યાદિરૂપ. ચાર પ્રકારે પ્રણિધાન-પ્રયોગ કહેલ છે, તે આ પ્રમાણે–મનનું પ્રણિધાન, વચનનું પ્રણિધાન, કાયાનું પ્રણિધાન અને ઉપકરણ–વસ્ત્ર પાત્ર વગેરેનું પ્રણિધાન. એવી રીતે ચાર પ્રકારનું પ્રણિધાન નૈરયિકોને, પંચેન્દ્રિયોને થાવત્ વૈમાનિકોને હોય છે અર્થાત્ પંચેદ્રિયના સોળ દંડકમાં હોય છે. ચાર પ્રકારે સુપ્રણિધાન-સારો વ્યાપાર કહેલ છે, તે આ પ્રમાણે–મનનો ભલો વ્યાપાર, વચનનો ભલો વ્યાપાર, કાયાનો ભલો વ્યાપાર અને ઉપકરણનો ભલો વ્યાપાર. આ ચાર પ્રકારનું પ્રણિધાન સંયત (સાધુ) મનુષ્યોને જ હોય છે. ચાર પ્રકારે દુષ્પણિધાન કહેલ છે, તે આ પ્રમાણે—મનનું દુષ્પણિધાન, વચનનું દુષ્પણિધાન, કાયાનું દુષ્પણિધાન અને ઉપકરણનું દુષ્પણિધાન. એવી રીતે ચાર પ્રકારનું દુષ્પણિધાન પંચેન્દ્રિયોને યાવતું વૈમાનિકોને હોય છે અર્થાત્ સોળ દંડકમાં હોય છે. ll૧૪ll (ટી0) 'ત્થિાય'ત્તિપ્તિ એ નિપાત ત્રણ કાલનો બોધક છે. ભૂતકાળમાં હતા, વર્તમાન હોય છે અને ભવિષ્યમાં હશે એવી ભાવના છે. એટલે ત્રિકાલ વિષયક કાયો તે કોના? પ્રદેશોના સમુદાયો અથવા 'ગતિ' શબ્દ વડે કોઈક સ્થલમાં પ્રદેશો કહેવાય છે. તેથી તેઓ (પ્રદેશો) ના કાયો તે અસ્તિકાયો અને તે ચાર અસ્તિકાયો અચેતન હોવાથી અજીવકાયો છે. અસ્તિકાયો મૂર્ત અને અમૂર્ત હોય છે માટે અમૂર્ત અસ્તિકાયના પ્રતિપાદન માટે અરૂપી અસ્તિકાયનું સૂત્ર કહેલ છે. રૂપઆકારવાળું અર્થાત્ વર્ણ વગેરે સ્વરૂપવાળું છે જેઓને તે રૂપી અસ્તિકાય. તેના પથુદાસ-નિષેધથી અરૂપી અર્થાત્ અમૂર્ત અસ્તિકાયો. હમણાં જ જીવાસ્તિકાય કહ્યો, તેના વિશેષભૂત પુરુષના નિરૂપણ માટે લસૂત્ર કહે છે–આમ એટલે અપક્વ ફલ છતાં કાચા ફલની જેમ મધુર અર્થાત્ થોડું મધુર તે આમ મધુર ૧, તથા કાચું ફલ છતાં પક્વ-પાકા ફળની જેમ મધુર અર્થાત્ અત્યંત મધુર ૨, તથા પક્વ ફલ છતાં કાચા ફ્લની જેમ મધુર એટલે કે પૂર્વની જેમ થોડું મધુર ૩, તથા પક્વ લ છતાં પક્વ મધુર અર્થાત્ પૂર્વની જેમ અત્યંત મધુર ૪. પુરુષ તો આમ-વય અને શ્રુતથી અવ્યક્ત (કાચો) અને આમ મધુર ફ્લ સમાન, કેમ કે અલ્પ ઉપશમ વગેરે લક્ષણરૂપ માધુર્યના ભાવથી ૧, વય અને શ્રુતથી અવ્યક્ત અને પક્વ મધુર ફલ સમાન અર્થાત્ પક્વ ફલની જેમ મધુર સ્વભાવ કેમ કે શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણ યુક્ત હોવાથી ૨, તથા અન્ય પક્વન્વય અને શ્રુતથી પરિણત અને આમ મધુર ફલ સમાન કેમ કે ઉપશમાદિ માધુર્યનું અલ્પત્વ હોવાથી ૩, તથા અન્ય પક્વ તેમજ વય અને શ્રુતથી પક્વ મધુર ફલ સમાન, કેમ કે શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણ યુક્ત હોવાથી ૪. ll૨૫all હમણાં પક્વ મધુર કહ્યો તે સત્ય ગુણના યોગથી હોય છે એ હેતુથી સત્ય અને તેનું વિપર્યય મૃષા તથા સત્ય-અસત્ય નિમિત્તવાળા પ્રણિધાન પ્રત્યે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે તે સૂત્રો કહે છે વ્યિ સંજો' ફત્યાથીનિકહેલ અર્થવાળા આ સૂત્રો છે. વિશેષ એ કે-ઋજુક-માયા રહિતનો ભવ અથવા કર્મ [કાય] તે ઋજુકતા સિરલતા], કાયાની જુકતા તે કાયઋજુકતા, એવી રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે–ભાવ એટલે મન, કાયજુકતા વગેરે શરીર, વાણી અને મનની યથાવસ્થિત અર્થ (યથાર્થ) સ્વરૂપ જણાવવા માટે પ્રવૃત્તિઓ છે તથા અજાપણાથી ગાય વગેરેને અશ્વ વગેરે જે કહે છે અથવા કોઈના માટે કંઈક સ્વીકારીને જે કરતો નથી તે વિસંવાદન, તેના વિપક્ષથી યોગ-સંબંધ તે અવિસંવાદનાયોગ “નારે' ત્તિ મૃષા-અસત્ય, કાયાની સરલતા નહિ અથતુ વક્રતા ઇત્યાદિ વાક્ય છે. પ્રથ–પ્રણિધાન અર્થાત્ પ્રયોગ તેમાં મનનું પ્રણિધાન–આર્ત, રૌદ્ર, ધર્મ વગેરે સ્વરૂપ વડે પ્રયોગ તે મનપ્રણિધાન, એવી રીતે વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન પણ જાણવું. ઉપકરણ–લૌકિક અને લોકોત્તરરૂપ વસ્ત્ર પાત્રાદિ સંયમ અને અસંયમના ઉપકાર માટે પ્રણિધાનપ્રયોગ તે ઉપકરણપ્રણિધાન છે. 'વ' નિતિ. જેવી રીતે સામાન્યથી કહ્યું તેમ નરયિકોને પણ કહેવું. વળી કહેલ ચોવીશ દંડકના મળે પણ વૈમાનિક પર્યત જે પંચેદ્રિયો છે તેઓને પણ એવી જ રીતે ચાર પ્રણિધાનો કહેવા. એકેંદ્રિયાદિને મન વગેરેનો અસંભવ હોવાથી પ્રણિધાનનો પણ અસંભવ છે. પ્રણિધાન સુપ્રણિધાન અને દુષ્પણિધાન એમ બે પ્રકારના છે માટે તે બંને સૂત્રો છે. 1. પ્રદેશોનો અધ્યાહાર કરેલ છે. _ 321
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy