SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ आपातभद्रकादि २५५ सूत्रम् શોભન-સંયમના હેતવાળું હોવાથી સારું પ્રણિધાન અર્થાત્ મન વગેરેનું પ્રયોજન “સુમાં પ્રવર્તાવવું તે સુપ્રણિધાન. આ સુપ્રણિધાન ચોવીશ દંડકના નિરૂપણમાં મનુષ્યોને છે, તેમાં પણ સંયતોને જ હોય છે કેમ કે–સુપ્રણિધાન ચારિત્રની પરિણતિરૂપ હોય છે. સૂત્રકાર કહે છે 'પર્વ સંન' ત્યા૦િ દુપ્પણિધાનનું સૂત્ર સામાન્ય સૂત્રની માફક જાણવું. વિશેષ એ કે-દુષ્પણિધાનઅસંયમ માટે મન વગેરેનો વ્યાપાર કરવો તે. ll૨૫૪ હવે પુરુષના અધિકારથી બીજી રીતે પુરુષ સંબંધી ૧૪ સૂત્રો કહે છે – चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-आवातभद्दते णाममेगे णो संवासभइते १, संवासभद्दए णाममेगे णो आवातभद्दए २, एगे आवातभद्दते वि संवासभद्दते वि ३, एगे णो आवायभद्दते नो संवासभद्दए ४ (१)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा-अप्पणो नाममेगे वज्जपासति, णो परस्स, परस्स णाममेगे वज्जं पासति ४ (२)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा-अप्पणो णाममेगे वज्जं उदीरेति णो परस्स ४ (३)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-अप्पणो नाममेगे वज्ज उवसामेति णो परस्स ४ (४)। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा-अब्भुट्टेइ नाममेगे णो अब्भुट्ठावेति (५)। एवं वंदति णाममेगे णो वंदावेइ (६)। વંસલાડુ (૭), સન્માતિ (૮), પૂરૂ (૧), વારૂ (૧૦), પડછતિ (૨૨),પુછડ (૨૨), ગાાતિ (શરૂ) સુધરે णाममेगे णो अत्थधरे, अत्थधरे नाममेगे णो सुत्तधरे (१४) ।। सू० २५५।। (મૂળ) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ આપાતભદ્રક એટલે પ્રથમ મિલાપમાં મધુર વચનાદિ વડે સુખકારી પણ સંવાસ–ઘણા કાલના વસવાટમાં સારો નહિં ૧, એક પુરુષ સંવાસ–ઘણા કાલના વસવાટમાં સારો પણ આપાત-પ્રથમ મિલાપમાં સારો નહિં અર્થાત્ મધુરભાષી નહિં ૨, એક પુરુષ પ્રથમ મિલાપમાં પણ સારો અને પછી સંવાસમાં પણ સારો ૩, અને કોઈએક પુરુષ આપાત-પ્રથમ મિલાપમાં પણ સારો નહિં તથા પછી પણ સારો નહિં ૪ (૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે કોઈએક પુરુષ પોતાના પાપકર્મ (દોષ) ને જુએ છે પરંતુ બીજાના પાપકર્મ (દોષ) ને જોતો નથી ૧, કોઈ એક પુરુષ બીજાના દોષને દેખે છે પરંતુ પોતાના દોષને જોતો નથી ૨, કોઈએક પુરુષ પોતાના અને પારકા દોષને જુએ છે ૩, અને કોઈક પુરુષ પોતાના કે પારકા દોષને જોતો નથી ૪ (૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે કોઈએક પુરુષ પોતાના પાપને બીજા પાસે કહે છે પરંતુ બીજાના પાપને કહેતો નથી ૧, કોઈએક પુરુષ બીજાના પાપ (દોષ) ને કહે છે પરંતુ પોતાના દોષને કહેતો નથી ૨, કોઈએક પુરુષ પોતાના અને પારકા દોષને કહે છે ૩, અને કોઈએક પુરુષ પોતાના કે પારકા દોષને કહેતો નથી ૪ (૩) કોઈએક પુરુષ પોતાના પાપનું નિવર્તન (દૂર કરવું) કરે છે પરંતુ બીજાના પાપનું નિવર્તન કરતો નથી ૧, કોઈએક પુરુષ બીજાના પાપનું નિવર્તન કરે છે પરંતુ પોતાના પાપનું નિવર્તન કરતો નથી ૨, કોઈએક પુરુષ પોતાના અને પારકા પાપનું નિવન કરે છે ૩ અને કોઈએક પુરુષ પોતાના કે પારકા પાપનું નિવર્તન કરતો નથી ૪ (૪) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ (સંવિજ્ઞપાક્ષિકાદિ સાધુ) આસનથી ઊભો થાય છે પણ અન્યને ઊઠવા દેતો નથી ૧, કોઈએક પુરુષ બીજાને ઊઠવા દે છે પણ પોતે ઊભો થતો નથી તે ગુરુ ૨, સ્વયં ઊભો થાય છે અને બીજાને પણ ઊભો થવા દે છે તે સ્થવિર મુનિ ૩ અને કોઈએક પુરુષ સ્વયં ઊભો થતો નથી અને બીજાને આસનથી ઊભો થવા દેતો નથી તે જિનકલ્પિક વગેરે ૪ (૫) એવી જ રીતે કોઈક પુરુષ સ્વયં વંદન કરે છે પણ બીજા પાસે વંદાવતો નથી (૧), કોઈક પુરુષ બીજા પાસે વંદાવે છે પણ પોતે વંદન કરતો નથી ૨, કોઈક પુરુષ પોતે વંદન કરે છે ને બીજા પાસે વંદન કરાવે છે ૩ તેમજ કોઈએક પુરુષ સ્વયં વંદન કરે નહિં અને અન્ય પાસે વંદન કરાવે પણ નહિ ૪ (૬) એવી જ રીતે સત્કાર કરે પણ કરાવે નહિં ૧, સત્કાર કરાવે પણ કરે નહિ ૨, સ્વયં 322
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy