SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ देवस्थितिः संवासः कषायाश्च २४८- २४९ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પોતાના અને અન્યના નિમિત્તવાળો તે ઉભયપ્રતિષ્ઠિત, આક્રોશાદિ કારણની અપેક્ષા સિવાય, કેવળ ક્રોધમોહનીયના ઉદયથી જે ક્રોધ થાય છે તે અપ્રતિષ્ઠિત. કહ્યું છે કે— सापेक्षाणि च निरपेक्षाणि च कर्माणि फलविपाकेषु । सोपक्रमं च निरुपक्रमं च दृष्टं यथाऽऽयुष्कम् ॥४७॥ ફલના અનુભવોમાં કર્યો, સાપેક્ષ અને નિરપેક્ષ છે.’ એમ આયુષ્યકર્મ, સોપક્રમ અને નિરુપક્રમ કહેલ છે તેમ લના અનુભવોમાં કર્મો અપેક્ષા સહિત અને અપેક્ષા રહિત હોય છે. (૪૭) વળી આ ચોથો ભેદ જીવને વિષે રહેલ છે, તથાપિ સ્વ–પર વગેરેનાં વિષયમાં (કારણ વડે) ઉત્પન્ન ન થવાથી અપ્રતિષ્ઠિત કહેલ છે, પરંતુ સર્વથા અપ્રતિષ્ઠિત નથી, કેમ કે ચારેને પ્રતિષ્ઠિતપણાના અભાવનો પ્રસંગ આવી જાય. ક્રોધનું આત્માદિ પ્રતિષ્ઠિતપણું, એકેંદ્રિય અને વિકલેંદ્રિયોને જે કહેલ છે તે પૂર્વભવને વિષે તે પરિણામપરિણત મરણ વડે ઉત્પન્ન થયેલાને આત્માદિપ્રતિષ્ઠિતપણું હોય છે. એવી રીતે માન, માયા અને લોભ વડે પણ અન્ય દંડક ત્રણનું સૂત્ર કહેવું. ના૨ક વગેરેનું ક્ષેત્ર પોતપોતાના ઉત્પતિસ્થાનને આશ્રયીને, એમ વસ્તુ–સચિત્તાદિ પદાર્થ અથવા વાસ્તુ-ઘર, ખરાબ આકારવાળું શરીર, જે જેનું ઉપકરણ તે ઉપધિ, એકેંદ્રિયોને ઉપધિ ભવાંતરની અપેક્ષાએ જાણવી, એવી રીતે માન, માયાદિક ત્રણ સૂત્રપાઠ કહેવા. અનંત ભવને જે નિરંતર બાંધે છે–અનંત ભવની પરંપરાને કરે છે એવા સ્વભાવવાળો જે કષાય તે અનંતાનુબંધી, અથવા અનંત અનુબંધ છે જેનો તે અનંતાનુબંધી, સમ્યગ્દર્શનના સહભાવી [સાથે થનાર] ક્ષમાદિ સ્વરૂપ ઉપશમ વગેરે ચારિત્રના લવ (લેશ) ને અટકાવનાર છે, કેમ કે અનંતાનુબંધી ચારિત્રમોહનીયરૂપ છે. ઉપશમાદિ [લક્ષણ] વડે જ ચારિત્રી કહેવાય નહિં, કેમ કે અલ્પ સંજ્ઞા હેાવાથી જેમ અમનસ્ક સંશી કહેવાય નહિં, પરંતુ મનની સંજ્ઞા વડે જ સંશી કહેવાય તેમ મહાન મૂલગુણાદિરૂપ ચારિત્ર વડે જ ચારિત્રી કહેવાય છે. આ કારણથી જ ત્રિવિધ દર્શનમોહનીય અને પચ્ચીસ પ્રકારે ચારિત્રમોહનીય છે. શંકા–'પઢમિજીયાન ૩૬ નિયમે' ત્યાદ્રિ॰ [આવશ્ય નિવૃત્તિ ૨૦૮ ત્તિ] પ્રથમ કષાયના ઉદયમાં નિશ્ચયે સમકિતનો અભાવ હોય છે, પરંતુ ચારિત્રને રોકનાર કષાયની સમ્યક્ત્વનો અટકાવ કરવામાં ઉત્પત્તિ નહિં થાય, આ હેતુથી સાત પ્રકારે દર્શનમોહનીય અને એકવીશ પ્રકારે ચારિત્રમોહનીય છે, એ મત યોગ્ય જણાય છે. સમાધાન—'પઢમેલ્જીયાને' ત્યાવિ॰ જે કહેલું છે તે અનંતાનુબંધી કષાયોને સમ્યક્ત્વનો અટકાવ કરવા વડે કહેલ નથી, પરંતુ સમ્યક્ત્વના સહભાવી ઉપશમ વગેરેના અટકાવ કરવા વડે કહેલ છે. જો એમ નહિં માનીએ તો અનંતાનુબંધી કષાયો વડે જ સમ્યક્ત્વનું આવૃત (આચ્છાદન) પડ્યું હોવાથી અન્ય (કારણભૂત) મિથ્યાત્વથી શું પ્રયોજન છે? આવૃતનું પણ આવરણ કરવામાં અનવસ્થા (દોષ) નો પ્રસંગ આવશે, તે કારણથી જેમ 'જેવતિયનાળાંમો નન્નત્ય ૩ સાયાન' [આવશ્ય નિયુક્ત્તિ ૨૦૪ ff] કષાયોનો ક્ષય થયા સિવાય કેવલજ્ઞાનનો લાભ ન થાય, આ પ્રસંગમાં કષાયોનું કેવલજ્ઞાનને આવરણ ક૨વાપણું ન છતે પણ કષાયનો ક્ષય, કેવલજ્ઞાનપણાએ કહેલ છે; કેમ કે કષાયનો ક્ષય થયે છતે જ કેવલજ્ઞાનનો ભાવ હોય છે. એવી રીતે અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમમાં જ સમ્યક્ત્વનો લાભ કહેવાય છે. અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ છતે સમકિતનો લાભ હોય છે જેથી અનંતાનુબંધી કષાયોનો ઉદય હોતે છતે મિથ્યાત્વ ક્ષયોપશમને પામતો નથી અને ક્ષયોપશમના અભાવથી સમ્યક્ત્વ થતું નથી. વળી મતાંત૨માં જે સપ્તવિધ સમ્યગ્દર્શનમોહનીય કહેલ છે, તે સમ્યક્ત્વના સાહચર્ય વડે ઉપશમ વગેરે ગુણોમાં સંમ્યક્ત્વનો ઉપચા૨ ક૨વાથી, અર્થાત્ ચારિત્રના અંશરૂપ ઉપશમાદિ ગુણોને વિષે સમ્યક્ત્વ કહ્યું છે, એમ અમે માનીએ છીએ. અણુવ્રતાદિરૂપ પ્રત્યાખ્યાન જેને વિષે વિદ્યમાન નથી તે અપ્રત્યાખ્યાન કષાય, તે દેશવિરતિને આવરણ કરનાર છે. મર્યાદા વડે સર્વવિરતિપણાને જે આવરણ કરે છે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય. સર્વ સાવદ્યની વિરતિને પણ સંજ્વલન ક૨ે છે, તપાવે છે અર્થાત્ અતિચાર દોષને કરાવે છે, અથવા ઇંદ્રિયના વિષયના વિષયની પ્રાપ્તિને વિષે પ્રદીપ્ત થાય છે તે સંજ્વલન કષાય, તે 1. આચારાંગસૂત્રની ટીકામાં સક્ષવિધ દર્શનમોહનીય અને એકવીશ પ્રકારે ચારિત્રમોહનીય કહેલ છે. 317
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy