SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ देवस्थितिः संवासः कषायाश्च २४८ - २४९ सूत्रे વૈમાનિકો પર્યંત ચોવીશ દંડકમાં જાણવા. ચાર પ્રકારે ક્રોધ કહેલ છે, તે આ પ્રમાણે—૧. અનંતાનુબંધી ક્રોધ, તે પર્વતની રેખા (ફાટ) સરખો, ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ, તે પૃથ્વીની ફાટ સરખો, ૩. પ્રત્યાખ્યાની ક્રોધ, તે રેતીની રેખા સરખો અને ૪. સંજ્વલન ક્રોધ, તે જલની રેખા સરખો. એ પ્રમાણે નૈરયિકને યાવત્ વૈમાનિકોને ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે. એવી રીતે માન, માયા અને લોભ વૈમાનિક પર્યંત ચોવીશ દંડકમાં ચાર પ્રકારે હોય છે. ચાર પ્રકારે ક્રોધ કહેલ છે. તે આ પ્રમાણે—૧. આભોગનિવર્તિત–ક્રોધના ફ્લને જાણતા છતાં પણ ક્રોધ કરવો તે. ૨. અનાભોગનિવર્જિતક્રોધના ફ્લુને નહિ જાણતાં છતાં ક્રોધ કરવો તે. ૩. ઉપશાંત–ઉદય અવસ્થામાં નહિ આવેલ ક્રોધ અને ૪. અનુપશાંતઉદયમાં આવેલ ક્રોધ. એવી રીતે ચાર પ્રકારનો ક્રોધ ભૈરયિકને યાવત્ વૈમાનિકોને હોય છે. એવી જ રીતે ચાર પ્રકારે માન, માયા અને લોભ યાવત્ વૈમાનિક પર્યંત ચોવીશ દંડકમાં હોય છે. ।।૨૪૯॥ (ટી0) સ્થિતિઃ—ક્રમ, મનુષ્યની સ્થિતિ માફક દેવોમાં પણ રાજા, પ્રધાન વગેરેની મર્યાદા છે. દેવ સામાન્ય માત્ર, 'નામે'તિ શબ્દ વાક્યાલંકારમાં છે. કોઈએક દેવ સ્નાતક (પ્રધાન), દેવ પોતે જ સ્નાતક અથવા દેવોનો સ્નાતક, એવો સમાસ કરવો. એવી રીતે બાકીના બે ભેદમાં પણ સમાસ કરવો. વિશેષ એ કે-પુરોહિત એટલે શાંતિ કર્મ કરનાર, 'પન્નાને'ત્તિ માગધભાટ–ચારણની જેમ પ્રશંસા કરવાથી બીજા દેવોને પ્રજ્વલન ક૨ે–તેસ્વી કરે તે પ્રજ્વલન. દેવની સ્થિતિના પ્રસંગથી દેવના વિશેષભૂત સંવાસસૂત્રને કહેલ છે. તે સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે–સંવાસ–મૈથુન માટે એકત્ર વસવું, 'છવિ' ત્તિ ત્વચા (ચામડી) ના યોગથી ઔદારિક શરીર અને તે શરીરવાળી મનુષ્યણી કે તિર્યંચણી અથવા તે શરીરવાળા મનુષ્ય કે તિર્યંચ છવી કહેવાય. હમણાં જ સંવાસ કહ્યો, તે વેદસ્વરૂપ મોહના ઉદયથી હોય છે, માટે મોહના વિશેષભૂત કષાય પ્રકરણને કહે છે— 'પત્તારિ સાથે'ત્યાવિ તત્ર કર્મરૂપ ક્ષેત્રને જે ખડે છે, અર્થાત્ સુખદુઃખના લને યોગ્ય કરે છે. અથવા જીવને મલિન કરે છે, આ નિરુક્તિ વિધિ વડે તે કષાયો કહેવાય છે. કહ્યું છે કે— सुहदुक्खबहुसईयं, कम्मक्खेत्तं कसंति ते जम्हा । कलुसंति जं च जीवं, तेण कसाय त्ति वुच्चति ।। ४५ ।। જેનાથી સુખ દુઃખની પ્રાપ્તિ ઘણી થાય એવા કર્મરૂપી ક્ષેત્રને જે ખેડે તે કષાય. અથવા જે જીવને કલુષિત ક૨ે તેથી તેને કષાય કહેવાય છે. (૪૫) અથવા પ્રાણીઓને પતિ—હણે છે તે કષ-કર્મ અથવા સંસાર, તેના લાભનો હેતુ હોવાથી તે કષાયો, પ્રાણીઓને સંસાર કે કર્મ પ્રત્યે જે લઈ જાય છે તે કષાયો. કહ્યું છે કે— कम्मं कसं भवो वा, , कसमाओ सिं जओ कसायातो । कसमाययंति व जओ, गमयंति कसं कसाय त्ति ॥ ४६ ॥ [વિશેષાવશ્ય ૧૨૨૮-૨૦૦૮ TMિ] કષ એટલે કર્મ અથવા ભવ. તેમનું આવવું એટલે લાભ જેથી થાય તે કષાય, અથવા કર્મ યા સંસાર જેથી આવે તે કષાય, અથવા જેની હાજરીમાં જીવ કર્મ કે સંસારને પામે તે કષાય. (૪૬) ક્રોધ કરવો અથવા જેનાથી ક્રોધ થાય છે તે ક્રોધ, અર્થાત્ ક્રોધમોહનીય કર્મના ઉદય વડે થવા યોગ્ય જીવની પરિણતિવિશેષ, અથવા ક્રોધમોહનીય કર્મ એ જ ક્રોધ, એવી રીતે માન, માયા વગેરે કષાયોમાં પણ જાણવું. વિશેષ એ કે હું જાતિ વગેરે ગુણવાળો છું એમ માનવું–જાણવું, અથવા જેના વડે મનાય છે તે માન, તથા માન–હિંસા, વંચન (ઠગવું) એવો અર્થ છે, જેના દ્વારા ઠગે છે તે માયા, તથા લોભન–વસ્તુની ઇચ્છા અથવા જેના દ્વારા લુબ્ધ થાય છે તે લોભ. 'વ'મિતિ॰ જેમ સામાન્યથી ચાર કષાયો કહ્યા છે તેમ વિશેષથી નારકોને, અસુરોને યાવત્ ચોવીસમા પદમાં વૈમાનિકોને પણ ચાર કષાયો હોય છે. 'વતબદ્ધિ'ત્તિ ચારમાં સ્વ, પર, તદુભય–સ્વપર અને તેના અભાવમાં પ્રતિષ્ઠિત–રહેલ છે તે ચતુઃપ્રતિષ્ટિત. તેમાં 'આયપદ્ધિ'ત્તિ પોતાના અપરાધ વડે પોતાના વિષયમાં ઐહિક અને પારલૌકિક દોષને જોવાથી જે ક્રોધ ઉત્પન્ન થાય છે તે આત્મપ્રતિષ્ઠિત ક્રોધ, અન્ય વડે આક્રોશ—ગાલીપ્રદાન પ્રમુખથી ઉદીરણા કરાયેલ અથવા બીજાના વિષયવાળો તે પરપ્રતિષ્ઠિત, 316
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy