________________
४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम् ।
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ पज्जत्तमेत्तसन्निस्स, जत्तियाई जहन्नजोगिस्स । होंति मणोदव्वाई, तव्वावारो य जम्मेत्तो ।।२९।। तदसंखगुणविहीणे, समए समए निरंभमाणो सो । मणसो सव्वनिरोहं, कुणइ असंखेज्जसमएहिं ।।३०।।
[विशेषावश्यक ३०५९-३०६० त्ति] પર્યાપ્ત માત્ર સંજ્ઞી પંચેદ્રિય જઘન્ય યોગવાળા જીવને મનોદ્રવ્યો અને તેનો વ્યાપાર જે પ્રમાણમાં હોય છે તેનાથી અસંખ્યાત ગુણહીન મનોયોગનું સમયે સમયે રુંધન કરતા થકા તે અસંખ્યાત સમય વડે સર્વથા મનોયોગનું રુંધન કરે છે. (૨૯-૩૦).
पज्जत्तमेत्तबंदियजहन्नवइजोगपज्जया जे उ । तदसंखगुणविहीणे, समए समए निरंभंतो ॥३१।। सव्ववइजोगरोह, संखातीएहि कुणइ समएहि । तत्तो अ सुहुमपणगस्स, पढमसमओववन्नस्स ॥३२।।
[विशेषावश्यक ३०६१-३०६२ त्ति] પર્યાપ્ત માત્ર દ્વીન્દ્રિય જીવના જઘન્ય વચનયોગના જેટલા પર્યાયો છે, તેથી અસંખ્યાતગુણહીન વચનયોગને સમયે સમયે રુંધન કરતા થકા અસંખ્યાત સમયમાં સર્વથા વચનયોગનું રુંધન કરે છે. ત્યારબાદ પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલ સૂક્ષ્મપનક (નિગોદવિશેષ જીવ)નો (૩૧-૩૨)
जो किर जहन्नजोगो, तदसंखेज्जगुणहीणमेक्केक्के । समए निरंभमाणो, देहतिभागं च मुंचंतो ।।३३।। रुंभइ स काययोग, संखाईतेहिं चेव समएहिं । तो कयजोगनिरोहो, सेलेसीभावणामेइ ॥३४॥
रोषावश्यक ३०६३-३०६४ त्ति] જે નિશ્ચયે જઘન્ય યોગ છે તેથી અસંખ્યાતગુણહીન-એકેક સમયમાં નિરોધ કરતા થકા અને યોગના સામર્થ્યથી દેહના ત્રીજા ભાગને મૂકતા થકાં અસંખ્યાત સમયમાં તે સ્વીકાયયોગનો વિરોધ કરે છે, એમ કરતો થકો સ્વકામણશરીરથી બનેલા મુખ, કર્ણ, શિર અને ઉદર વગેરેના છિદ્રોને પૂરે છે તેથી ત્રણ યોગનો નિરોધ કરેલ છે જેણે એવા કેવલી શૈલેશીભાવને પ્રાપ્ત થાય છે અર્થાત્ શ્વાસોશ્વાસના નિરોધસમયે અયોગી થાય છે. (૩૩-૩૪)
“શન્સેશસેવ મેરવિ યા સ્થિરતા સા શશાંતિ" શૈલ-પર્વત, તેનો ઈશ જે મેરુ, તેની માફક સ્થિરતા, તે શૈલેશી. હવે શૈલેશીનું કાલપ્રમાણ કહે છે
हस्सक्खराई मज्झेण, जेण कालेण पंच भन्नति । अच्छइ सेलेसिगओ, तत्तियमेत्तं तओ कालं ॥३५।। तणुरोहारंभाओ, झायइ सुहुमकिरियाणियट्टि सो । वोच्छिन्नकिरियमप्पडिवाई सेलेसिकालंमि ।।६।।
[વિરોષાવથવક ૨૬૮-૨૬૬ ]િ મધ્યમ રીતિ વડે અ ઇ ઉ 22 લુ, આ પાંચ હ્રસ્વ અક્ષરનો જેટલા કાલ વડે ઉચ્ચાર કરાય તેટલા કાલપર્યત શૈલીશી અવસ્થા હોય છે. કાયયોગના નિરોધની શરૂઆતથી કેવલી ભગવાન્ સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ ત્રીજા ભેદનો વિચાર કરે છે. ત્યાર બાદ સર્વ યોગનો વિરોધ કર્યા પછી શૈલેશી અવસ્થામાં સમુચ્છિન્ન (વ્યવચ્છિન્ન) ક્રિયાડપ્રતિપાતી ધ્યાન કરે છે. (૩૫-૩૬) - હવે શુક્લધ્યાનનાં લક્ષણો કહેવાય છે—'મત્ર નિ દેવ વગેરેના કરેલ ઉપસર્નાદિથી ઉત્પન્ન થયેલ ભય અથવા ચલિત થવારૂપી વ્યથા-પીડાનો અભાવ તે અવ્યથ, તથા દેવ વગેરેથી કરાયેલ માયાજન્ય મોહનો અથવા સૂક્ષ્મ પદાર્થ વિષયક સંમોહનો-મૂઢતાનો નિષેધ તે અસંમોહ, તથા દેહથી આત્માનું અથવા આત્માથી સર્વ સંયોગોનું વિવેચનબુદ્ધિ વડે પૃથક્કરણ તે વિવેક, તથા સર્વસંગપરિત્યાગપણાએ દેહ અને ઉપધિનો ત્યાગ તે વ્યુત્સર્ગ. અહિં વિવરણની ગાથા જણાવે છે– 1. શૈલેશ-મેરુપર્વતની માફક નિષ્પકપ રહેવું તે શૈલેશીકરણ, 2. અન્ય આચાર્યો { શું નું આ પાંચ અક્ષરો કહે છે.
313