________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम् ઉત્પાત સ્થિતિ અને નાશ વગેરે પર્યાયોને જે એક દ્રવ્યમાં પૂર્વગતશ્રુતને અનુસારે નાના—અનેક નયવડે અનુસરવું, અર્થાત્ દ્રવ્યાર્થિક વગેરે નયભેદ વડે ચિંતવવું. અહિં મરુદેવી વગેરેનો અપવાદ છે કેમ કે તેમને પૂર્વગતશ્રુતનું આલંબન નથી. વળી વિચાર–અર્થથી શબ્દમાં અને શબ્દથી અર્થમાં સંક્રમણ તેમ જ યોગાંતરમાં સંક્રમણ તે પ્રથમ શુક્લધ્યાનનો ભેદ પૃથવિતર્ક નામનો રાગરહિત ભાવવાળા પુરુષને હોય છે અર્થાત્ ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીવાળા જીવને હોય છે. (૨૩-૨૪)
આ પહેલો ભેદ. તથા 'પાત્તવિય'ત્તિ॰ એકત્વ-અભેદ વડે ઉત્પાદાદિ પર્યાયોમાંથી કોઈ એક પર્યાયના અવલંબનપણા વડે વિતર્ક—પૂર્વગતશ્રુતના આશ્રયવાળો વ્યંજન-શબ્દરૂપ અથવા અર્થરૂપ છે જે જીવને તે એકત્વવિતર્ક. તથા અર્થ કે વ્યંજનને વિષે કોઈ એકમાંથી બીજામાં વિચાર–ગમન વિદ્યમાન નથી તથા મન વગરે કોઈ એક યોગમાંથી બીજા યોગમાં, વાયુ વગરના ગૃહમાં રહેલ દીપકની જેમ, સંચરણ (ગમન) લક્ષણ નથી જેને તે અવિચારી પૂર્વની માફક જાણવું. કહ્યું છે કે— जं पुण सुनिप्पकंपं, निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिइभंगाइयाणमेगंमि पज्जा ।। २५ । । [ ध्यानशतक ७९ त्ति] अवियारमत्थवंजण जोगंतरओ तयं बिइयसुक्कं । पुव्वगयसुयालंबणमेगत्तवियक्कमवियारं ।। २६ ।। [ ध्यानशतक ८० ति]
હવા રહિત સ્થાનમાં રહેલા સ્થિર દીપકની જેમ જે ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વગેરેમાંથી કોઈ એકજ પર્યાયમાં ચિત્તની સ્થિરતા તે શુક્લધ્યાનનો બીજો ભેદ છે. આ અવિચાર અર્થાત્ અર્થ વ્યંજન યોગના પરિવર્તન સંક્રમણથી રહિત અને પૂર્વગત શ્રુતના આલંબનથી થનાર હોવાથી અને એકત્વ એટલે અભેદવાળું હોવાથી આને એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન કહેવાય છે. (૨૫-૨૬)
આ એકત્વવિતર્કઅવિચારી નામનો બીજો ભેદ. તથા 'મુહુમòિ'િતિ॰ નિર્વાણના ગમનસમયમાં મનોયોગ અને વચનયોગનો નિરોધ કરેલ છે અને કાયયોગનો અર્ધ નિરોધ કરેલ છે એવા કેવલજ્ઞાનીને સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ ધ્યાન હોય છે, તેથી કાયા સંબંધી ઉચ્છ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા છે જેને વિષે તે સૂક્ષ્મક્રિય, તે અનિવૃત્તિ સ્વભાવવાળું છે કેમ કે અત્યંત પ્રવર્ધમાનં પરિણામ હોય છે. વળી કહ્યું છે કે—
निव्वाणगमणकाले, केवलिणो परनिरुद्धजोगस्स । सुहुमकिरिया नियट्टि, तइयं तणुकायकिरियस्स ॥२७॥ [ધ્યાનશતજ ૮૨ ત્તિ]
નિર્વાણગમનનો સમય નિકટ હોય ત્યારે કેવલજ્ઞાનીને (મન-વચન યોગના સર્વથા નિરોધ કર્યા પછી) કાયયોગનો અર્હનિરોધ થાય ત્યારે સૂક્ષ્મ ક્રિયા રહેવાથી સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ નામનો ત્રીજો ભેદ હોય છે. (૨૭)
તથા 'સમુચ્છિન્નિિર' ત્તિ॰ શૈલેશીકરણમાં યોગના નિરોધપણાએ કાયિકાદિ ક્રિયા સમુચ્છિન્ન-નાશ થયેલ છે જેને વિષે તે સમુચ્છિન્નક્રિય 'અબડિવાય્' ત્તિ વિરામ નહિં પામવાવાળો સ્વભાવ છે જેનો એવો અર્થ છે. સમુચ્છિન્નક્રિયઅપ્રતિપાતી નામનો ચોથો ભેદ છે. કહે છે કે—
तस्सेव य सेलेसीगयस्स सेलो व्व निप्पकंपस्स । वोच्छिन्नकिरियमप्पडिवाई झाणं परमसुक्कं ॥२८॥
[ધ્યાનશતઃ ૮૨ ત્તિ] એઓ જ શૈલીશી કરે ત્યારે મેરુની જેમ સ્થિર (નિશ્ચલ આત્મપ્રદેશ) થવાથી વ્યચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ હોય છે. (૨૮)
અહિં શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં આ પ્રમાણે ક્રમ છે–કેવલીને જ્યારે ચોક્કસ અંતર્મુહૂર્તૃકાલમાં મોક્ષે જવાનું હોય છે ત્યા૨ે વેદનીયાદિ ચાર ભવોપગ્રાહી (આયુષ્ય પર્યંત રહેનાર) કર્મ, સમુદ્દાતથી અથવા સ્વભાવે જ સમાન સ્થિતિવાળા હોતે છતે કેવલી યોગનું રુંધન ક૨ે છે. યોગનિરોધમાં ક્રમ બતાવે છે—
1. શૈલેશ-મેરુપર્વતની માફક નિષ્રકંપ રહેવું તે શૈલેશીકરણ.
312