SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ આગમથી, ઉપદેશથી, આજ્ઞા-અર્થથી અને નિસર્ગ-સ્વભાવથી જિનપ્રણીત ભાવોનું શ્રદ્ધાન કરવું, તે ધર્મધ્યાનનાં લક્ષણો છે. (૧૮) તત્ત્વાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ તે ધર્મનું લક્ષણ છે. આ ભાવાર્થ છે. હવે ધર્મના આલંબનો કહેવાય છે. ધર્મધ્યાનરૂપી મહેલ ઉપર ચડવા માટે જે આલંબન લેવાય છે તે આલંબનો કહેવાય, તે આ પ્રમાણે સમ્યક્ પ્રકારે કહેવું તે વાચના અર્થાત્ શિષ્યને કર્મની નિર્જરા માટે જે સૂત્રનું દાન વગેરે આપવું તે ૧, સૂત્ર વગેરેમાં શંકાવાળો થયે છતે શંકાને દૂર કરવા માટે ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છના ૨, અહિં પ્રતિ શબ્દ ધાતુના જ અર્થવાળો છે. તથા પૂર્વે ભણેલ સૂત્ર વગેરેની વિસ્મૃતિ ન થાય અને નિર્જરા થાય તે માટે જે અભ્યાસ (આવૃત્તિ) તે પરિવર્તન ૩, તથા સૂત્રના અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા ૪. હવે ચાર અનુસ્વેક્ષા (ભાવના) કહેવાય છે. મન-ધ્યાનની પાછળ પ્રેક્ષને સારી રીતે વિચારો કરવા તે અનુપ્રેક્ષાઓ. તેમાં एकोऽहं न च मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् न तं पश्यामि यस्याहं नासौ भावीति यो मम ॥१९॥ હું એક છું, મારું કોઈ નથી, હું અન્ય કોઈનો નથી, જેનો હું છું તેને જોતો નથી અને ભવિષ્યમાં કોઈ મારો થાય એમ નથી. (૧૯) એવી રીતે એકાકી–અસહાયભૂત આત્માની અનુપ્રેક્ષા–ભાવના તે એકાનુપ્રેક્ષા. (૧), कायः सन्निहितापायः सम्पदः पदमापदाम् । समागमाः सापगमाः सर्वमुत्पादि भङ्गुरम् ।।२०।। - તથા ‘કાયા, તરત નાશ પામવાવાળી છે, સંપત્તિઓ આપત્તિઓનું સ્થાન છે, સંયોગો વિયોગવાળા છે, જે ઉત્પન્ન થાય છે તે ક્ષણભંગુર છે.” (૨૦) એવી રીતે અનિત્ય જીવન વગેરેની અનુપ્રેક્ષા તે અનિત્યાનુપ્રેક્ષા (૨) जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ।।२१।। [प्रशम० १५२] તથા “જન્મ, જરા અને મરણના ભયો વડે પરાભવ થયે છતે, વ્યાધિની પીડા વડે ગ્રસ્ત થયે છતે આ લોકમાં જીવને જિનવરના વચન સિવાય બીજું કોઈ શરણભૂત નથી. (૨૧) એવી રીતે શરણ રહિત એવા આત્માની અનુપ્રેક્ષા અશરણાનુપ્રેક્ષા (૩) તથા माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भ्रातृतां पुनः शत्रुतां चैव ॥२२॥ [प्रशम० १५६ ति] આ સંસારમાં માતા થઈને દીકરી, બહેન અને સ્ત્રી થાય છે, દીકરો થઈને પિતા થાય છે, ભ્રાતા થાય છે, વળી શત્રુ પણ થાય છે. (૨૨) ચાર ગતિમાં સર્વ અવસ્થાઓને વિષે સંસરણ (ભ્રમણ) રૂપ સંસારની અનુપ્રેક્ષા તે સંસારાનુપ્રેક્ષા (૪). હવે શુક્લધ્યાન કહે છે– પુદાવિત’ત્તિ પૃથર્વ–એક દ્રવ્યમાં રહેલ ઉત્પાદ વગેરે પર્યાયોના ભેદ વડે અથવા અન્ય આચાર્યો વિસ્તારપણે કહે છે, વિતર્ક-વિકલ્પ, તે પૂર્વગત શ્રુતના અવલંબનરૂપ વિવિધ નયને અનુસરણ લક્ષણવાળો છે જેને વિષે તે પૃથકત્વવિતર્ક પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રુતના અવલંબનપણાએ ઉપચારથી વિતર્ક-શ્રુત કહેલ છે, તથા વિચરણ એટલે અર્થથી વ્યંજન (શબ્દ) માં અને શબ્દથી અર્થમાં, વળી મન પ્રમુખ ત્રણ યોગ પૈકી કોઈ એક યોગમાંથી બીજા યોગમાં જવું તે વિચાર, "વિરારોડર્થવ્યનો સંક્રાંતિઃ' (તત્ત્વો , ફૂગ ૬) તિ વવનાત. વિચાર સહિત તે સવિચારી, અહિં સંવધનાદિ ગણથી સમાસાંત ઇન્પ્રત્યય થયેલ છે. કહ્યું છે કેउप्पायठितिभंगाई पज्जयाणं जमेगदव्वंमि । नाणानयाणुसरणं, पूव्वगयसुयाणुसारेणं ॥२३॥ [ध्यानशतक ७७ त्ति] सवियारमत्थवंजणजोगंतरओ तयं पढमसुक्कं। होति 'पुहुत्तवियक्कं, सवियारमरागभावस्स।।२४।। [ध्यानशतक ७८] 1. પુત – 311
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy