SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम् सद्दाइविसयसाहणधणसंरक्खणपरायणमणिटुं । सव्वाहिसंकण-परोवघायकलुसाउलं चित्तं ॥१५॥ . [ધ્યાનશત ૨૨ ]િ શબ્દાદિ વિષયના સાધનભૂત ધનની રક્ષામાં ઉદ્યમવાળું, સારા માણસોને ઇચ્છવા યોગ્ય નહિ એવું, વળી બધા ઉપર શંકાને લઈને વ્યાકુલ-રખેને કોઈ ધન લઈ જશે એવા વિચારથી બધાઓનો નાશ કરવો એ જ શ્રેય છે, એવા પરોપઘાત કષાયો વડે આકુલ ચિત્તરૂપ રૌદ્રધ્યાન હોય છે. (૧૫) હવે રૌદ્રધ્યાનનાં લક્ષણો કહેવાય છે—'મોસવોસ'ત્તિ હિંસાદિ વગેરેમાંથી કોઈએકને વિષે ઓસન-પ્રવૃત્તિનું જે બહુલપણું તે જ દોષ, અથવા 'બોસન્ન'તિ હિંસાદિ ચાર ભેદમાંથી કોઈ પણ ભેદમાં બહુલતાએ વિરામ ન પામવાથી જે દોષ તે ઓસન્નદોષ ૧, વળી હિંસાદિ સર્વમાં પ્રવૃત્તિરૂપ દોષ તે બહુદોષ અથવા બહુ-ઘણા પ્રકારે હિંસા અને અસત્ય વગેરેનો દોષ તે બહુદોષ ૨, તથા અજ્ઞાન-કુશાસ્ત્રના સંસ્કારથી નરકાદિના કારણભૂત અધર્મસ્વરૂપ હિંસાદિને વિષે ધર્મની બુદ્ધિ વડે અભ્યદય-કલ્યાણ માટે પ્રવૃત્તિરૂપ જે દોષ તે અજ્ઞાનદોષ અથવા કહેલ લક્ષણવિશિષ્ટ અજ્ઞાન જ દોષ. તે અજ્ઞાન દોષના સ્થાનકે બીજે સ્થલે “નાનાવિધ દોષ” એવો પાઠ છે, ત્યાં નાના પ્રકારોમાં કહેલ લક્ષણવાળા હિંસાદિ દોષોને વિષે અનેકવાર પ્રવૃત્તિ તે નાનાવિધ દોષ સમજવો ૩, તથા મરણ એ જ અંત તે મરણાંત, મરણના અંત સુધી તે આમરણાંત, નથી થયેલ ખેદ જેને એવા કાલસૌકરિક વગેરે વ્યક્તિની હિંસાદિમાં જે પ્રવૃત્તિ તે આમરણાંત દોષ ૪, હવે સ્વરૂપ વડે ધર્પ–ધર્મધ્યાન ચાર પ્રકારે દર્શાવે છે. સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષારૂપ ચાર પદોને વિષે વિચારણીયપણાએ અવતાર છે જેનો તે ચતુષ્પદાવતાર, અથવા ચાર પ્રકારનો જ આ પર્યાયવાચક શબ્દ છે. ક્વચિત્ ર૩પડયાર' નિતિ એવો પાઠ છે, ત્યાં ચાર પદોને વિષે પ્રત્યવતાર છે જેનો એવો સમાસ કરવો. સા વિના'ત્તિ. આ એટલે અભિવિધિ વ્યાપ્તિથી જણાય છે અર્થો જેના વડે તે આજ્ઞા (પ્રવચન), તે વિચીયતે–નિર્ણય કરાય છે, અથવા જેને વિષે વિચારાય છે તે આજ્ઞાવિચયધર્મધ્યાન. પ્રાકૃતપણાથી વિજય શબ્દ છે. જે આજ્ઞા વિનીયતે–અધિગમ-ઉપદેશદ્વારા પરિચયવાળી કરાય છે જેને વિષે એ આજ્ઞાવિજય ૧. એવી રીતે શેષ ત્રણ ભેદો પણ જાણવા. વિશેષ એ કે-૨. અપાયો-પ્રાણીઓને રાગાદિથી ઉત્પન્ન થયેલ ઐહિક તથા પારલૌકિક અનર્થો, ૩. વિપાક-કર્મોનું ફલ-જ્ઞાનાદિને રોકવું વગેરે ૪. સંસ્થાનો-લોક, દ્વીપ, સમુદ્ર અને જીવાદિના આકારો-સ્વરૂપો. કહ્યું છે કે आप्तवचनं प्रवचनमाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आश्रव-विकथा-गौरव-परीषहाद्यैरपायस्तु ॥१६।। अशुभ-शुभ कर्मपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । द्रव्य-क्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥१७॥ * પ્રિમિતિ ૨૪૮-૨૪૬ત્તિ આપ્તપુરુષના વચનસ્વરૂપ પ્રવચનના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞાવિચય ૧, આશ્રવ, વિકથા, સાતાદિ ગૌરવ અને પરીષહ વગેરેથી થતા દોષનું ચિંતન તે અપાયવિચય ૨, અશુભ અને શુભ કર્મના વિપાકના અનુચિંતન અર્થવાળો તે વિપાકવિચય ૩, તેમજ દ્રવ્ય અને ક્ષેત્રની આકૃતિનું ચિંતન તે સંસ્થાનવિચય ૪. (૧૬-૧૭) હવે ધર્મધ્યાનનાં લક્ષણો સૂત્રકાર કહે છે– NTI’ રિ–આશા-સૂત્રના વ્યાખ્યાનરૂપ નિયુક્તિ વગેરે, આશામાં અથવા આજ્ઞા વડે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞારુચિ. બીજી રુચિઓના વિષયોમાં પણ એમ જ જાણી લેવું. વિશેષ એ કે–નિસર્ગ એટલે ઉપદેશ સિવાય-પોતાની મેળે અર્થાત્ સ્વાભાવિક રુચિ ૨, સૂત્ર–આગમમાં અથવા તેના દ્વારા રુચિ તે સૂત્રરુચિ ૩, તથા અવગાહવું તે અવગાઢ-દ્વાદશાંગીનું વિસ્તારથી જાણવું એમ સંભાવના કરાય છે, તે વિસ્તાર વડે રુચિ એ અવગાઢરુચિ અથવા 'મોઢ' રિ૦ સાધુની સમીપમાં રહેલને સાધુના ઉપદેશથી થતી રુચિ તે અવગાઢરુચિ ૪. કહ્યું છે કેआगमउवएसेणं [उवएसाणा]', निसग्गओ जं जिणप्पणीयाणं । भावाणं सद्दहणं, धम्मज्झाणस्स तं लिंग।१८।। [ધ્યાનશત ૬૭ ઉત્ત. 1. ગાથાવૃત્તિમાં 'વા' એ પ્રમાણે જે પાઠ છે તે યોગ્ય જણાય છે. આ૦ સ0 વાળી તથા બાબૂવાળી પ્રતમાં ‘૩૧i' એવો પાઠ છે. એ પદ પ્રમાણે અર્થ કરવાથી ત્રણ રુચિ થવા પામે છે, પરંતુ આજ્ઞારુચિ રહી જવા પામે છે. 310
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy