________________
४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ અને રોગની પીડાથી થયેલ શોકરૂપ આર્તધ્યાનનાં લક્ષણો છે. કહ્યું છે કેतस्सकंदण-सोयण-परिदेवण-ताडणाई लिंगाई । इटाणिट्ठवियोगा-ऽवियोग-वियणानिमित्ताई ॥१०॥
[ધ્યાન ૨૫ ]િ. આક્રન્દન, શોક, પરિવેદન અને તાડનાદિ આ લિંગો. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, વેદનાના નિમિત્તોથી થાય છે. (૧૦)
અન્ય નિદાનના અને બીજાઓના લક્ષણો કહે છે. કહ્યું છે કેनिदइ निययकयाई, पसंसइ सविम्हओ विभूतीओ । पत्थेइ तासु रज्जइ, तयज्जणपरायणो होइ ॥११॥
[ધ્યાનપાત ૨૬ 7િ] પોતાના કરેલા કાર્યના અલ્પ ફ્લોને નિંદે છે, બીજાની વિભૂતિઓને આશ્ચર્ય સહિત પ્રશંસે છે, પ્રાર્થના કરે છે અને પ્રાપ્ત થયેલ ઋદ્ધિઓમાં રાગવાળો થાય છે. વળી તેને મેળવવામાં તત્પર થાય છે. (૧૧)
હવે રૌદ્રધ્યાનના ભેદો કહેવાય છે–હિંસા.એટલે વિવિધ વધબંધનાદિ વડે પ્રાણીઓને પીડા પ્રત્યે અનુર્વજ્ઞાતિ-નિરંતર પ્રવૃત્ત કરે છે એવા સ્વભાવળું જે પ્રણિધાન-દઢ અધ્યવસાય અથવા હિંસાનો અનુબંધ છે જેમાં તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન, આ પ્રક્રમ છે. કહ્યું છે કે – सत्तवहवेहबंधणडहणंकणमारणाइपणिहाणं । अइकोहग्गहघत्थं, णिग्घिणमणसोऽहमविवागं ॥१२॥
[ધ્યાનશત ૬ ]િ પ્રાણીઓનો વધ કરવો, વીંધવું, બંધન, બાળવું અંકન-ચિહ્ન કરવું (આંકવું) અને મારવું વગેરેમાં અતિ ક્રોધરૂપી ગ્રહથી ગ્રહણ કરાયેલ જે દઢ અધ્યવસાયસ્પી રૌદ્રધ્યાન નિર્દય મનવાળાને હોય છે અને તે અધમ (નરકાદિ) લવાળું થાય છે. (૧૨)
તથા મૃષા-પિશુન, અસભ્ય, અસદ્ભૂત (અછતું) વગેરે વચનના ભેદો વડે અસત્યના અનુબંધને કરનાર જે ધ્યાન તે મૃષાનુબંધીએ કહ્યું છે કે – पिसुणा-ऽसब्मा-ऽसब्भूय-भूयंघायाइवयणपणिहाणं । मायाविणोऽतिसंधणपरस्स पच्छन्नपावस्स ॥१३॥
[ધ્યાનશત ૨૦ 7િ] પિશુન-અનિષ્ટનું સૂચક, સભાને અપ્રિય તે અસભ્ય, અછતું, સત્યનો અપલાપ ઇત્યાદિ વચનના પ્રણિધાનરૂપી રૌદ્રધ્યાન માયાવીઓ, વ્યાપારી વગેરેને, કોઈને પણ ઠગવામાં તત્પર થયેલને અને ગુપ્ત પાપ કરનારને હોય છે. (૧૩) - સ્તન ચોરનું કાર્ય તે સ્તય (ચોરી), તે પ્રત્યે તીવ્ર ક્રોધ વગેરેથી વ્યાકુલપણાએ અનુબંધનવાળું જે ધ્યાન તે તેયાનુબંધી. કહ્યું છે કેतह तिव्वकोह-लोहाउलस्स भूतोवघायणमणज्जं । परदव्वहरणचित्तं, परलोगावायनिरवेक्खं ।।१४।।
[ધ્યાનશત ૨૨ ]િ. તીવ્ર ક્રોધ અને લોભ વડે વ્યાકુલ થયેલને અનાર્યરૂપ, નજીકમાં આવેલ પ્રાણીઓને હણવારૂપ, પારકા દ્રવ્યને ચોરવામાં ચિત્તવાળું અનાર્ય કર્મ અને પરલોકના અપાય-નરકગમન વગેરેથી અપેક્ષા (ભય) રહિત એવું રૌદ્રધ્યાન હોય છે. આ ત્રીજો ભેદ. (૧૪)
સંરક્ષણ-સમગ્ર ઉપાયો વડે વિષયના સાધનભૂત ધનનું રક્ષણ કરવામાં અનુબંધ છે જેમાં તે સંરક્ષણાનુબંધીએ કહ્યું છે
309