________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम् ભેદો જેના તે ચતુર્વિધ, અમનોજ્ઞ-અનિષ્ટ, અસમyક્સ' ત્તિ (આ) પાઠાંતરમાં અસ્વમનોજ્ઞ-આત્માને અપ્રિય શબ્દાદિ વિષયનો, અથવા તેના સાધનભૂત વસ્તુનો જે સંપ્રયોગ-સંબંધ, તેથી સંપ્રયુક્ત સંબંધ-આત્માને અપ્રિય વિષયના સાધનભૂત વસ્તુનો સંયોગ તે અમનોજ્ઞસંપ્રયોગસંપ્રયુક્ત અથવા અસ્વમનોજ્ઞસંપ્રયોગસંપ્રયુક્ત, તેનો અમનોજ્ઞ શબ્દાદિના વિયોગ માટે
સ્મૃતિચિંતાને જે જીવ સંપ્રાપ્ત થાય છે તે, અભેદ ઉપચારથી આર્ત કહેવાય છે. 'ર' અને 'પિ' શબ્દ બીજા ભેદોની અપેક્ષાએ સમુચ્ચય અર્થવાળા છે. અથવા અમનોજ્ઞ વસ્તુના સંબંધ સહિત જે જીવ, તે પ્રાણીને, વિપ્રયોગ-સંબંધથી અમનોજ્ઞ શબ્દાદિ વસ્તુઓના વિયોગમાં સ્મૃતિ-વિચારણાનું સારી રીતે આવવું તે વિપ્રયોગસ્કૃતિસમન્વાગત અર્થાત્ વિયોગની ચિંતાવાળું અને અનિષ્ટ સંયોગવાળું આર્તધ્યાન થાય છે. ર' અને 'પિ' પૂર્વવત્ છે. અથવા અમનોજ્ઞ વસ્તુના સંયોગયુક્ત પ્રાણીમાં તણ્ય' તિઅમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતાવાળું આર્તધ્યાન છે. કહ્યું છે કે –
"आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः।" [तत्त्वार्थ० अ० ९, सू० ३१ त्ति]
અણગમતા પદાર્થોનો સંબંધ થાય ત્યારે તેનાથી છૂટવા માટે અનુચિંતન કરવું. આ પહેલો ભેદ, એવી રીતે પાછળના ભેદો પણ જાણવા. વિશેષ એ કે–મનોજ્ઞ—વહાલા ધન, ધાન્યાદિનો વિયોગ ન થાઓ એમ ચિંતવવું તે બીજું (ભેદ) આર્ત, આતંક-રોગ એ ત્રીજું, તથા પરિબુલિય' ત્તિ સેવાયેલા જે કામો-ઇચ્છવા યોગ્ય, ભોગો-શબ્દ વગેરે અથવા શબ્દ અને રૂપ તે કામો અને ગંધ, રસ તથા સ્પર્શ તે ભોગો અથ કામભોગો અથવા માનાં’ શબ્દ વગેરેનો જે ભોગ, તેના વડે જોડાયેલ, પાઠાંતરમાં તો તેઓનું કામભોગના સંબંધ વડે જે યુક્ત તે નિષેવિત કામભોગસંપ્રયોગસંપ્રયુક્ત, અથવા પરિસિય’ ત્તિ જરા વગેરે વડે ક્ષીણ થયેલ અને કામભોગ વડે જોડાયેલ જે જીવ, તેને કામભોગના જ અવિયોગની સ્મૃતિનું પ્રાપ્ત થવું (આવવું) તે પણ આર્તધ્યાન કહેવાય છે. આ ચોથો ભેદ છે. બીજો ભેદ વલ્લભ ધનાદિના વિષયવાળો છે અને ચોથો ભેદ તે ધનાદિથી મળેલ શબ્દાદિ ભોગના વિષયવાળો છે. એ પ્રમાણે આ બન્ને વચ્ચે રહેલ તફાવત વિચારવો. શાસ્ત્રાંતમાં તો બીજા અને ચોથા ભેદનું એકપણા વડે ત્રીજું કહેલ છે, અને ચોથો ભેદ તો ત્યાં નિદાન (નીયાણું) કહેલ છે. કહ્યું છે કેअमणुन्नाणं सद्दाइविसयवत्थूण दोसमइलस्स । (वस्तूनि-शब्दादिसाधनानि दोसोत्ति द्वेषः) धणियं वियोगचिंतणमसंपओगाणुसरणं च ॥६॥ [ध्यानशतक ६ त्ति]
અમનોજ્ઞ શબ્દાદિ વિષયના સાધનભૂત વસ્તુઓની પ્રાપ્તિમાં) ષવડે મલિન થયેલ જીવને એના વિયોગની અત્યંત ચિંતા થાય-કઈ રીતે એનો વિયોગ થાય અને ભવિષ્યમાં પણ એનો સંયોગ ન થાઓ' એમ અનુસ્મરણ કરે તે પ્રથમ ભેદ.(૬) तहसूल-सीसरोगाइवेयणाए विओगपणिहाणं । तयसंपओगचिंता, तप्पडियाराउलमणस्स ॥७॥[ध्यानशतक ७त्ति]
શૂલરોગ અને મસ્તકના રોગ વગેરેની પીડાના વિયોગનું દઢ ચિંતન અને ભવિષ્યમાં રોગ ન થાઓ એથી વિચારણારૂપ જે ધ્યાન તે, રોગના પ્રતિકાર-નિવારણ કરવામાં વ્યાકુલ મનવાળાને હોય છે, આ બીજો ભેદ. (૭) इट्टाणं विसयाईण, वेयणाए य रागरत्तस्स । अवियोगज्झवसाणं, तह संजोगाभिलासो य ॥८॥ [ध्यानशतक ८ त्ति]
ઈષ્ટ વિષયાદિ ભોગવવામાં રાગ વડે આસક્ત થયેલને તેનો વિયોગ ન થવાનો અધ્યવસાય અને તેના સંયોગના અભિલાષરૂપ ધ્યાન હોય છે, આ ત્રીજો ભેદ. (૮). देविंद-चक्कवट्टित्तणाइगुणरिद्धिपत्थणामइयं । अहमं नियाणचिंतणमन्नाणाणुगयमच्चंतं ॥९॥ [ध्यानशतक ९ त्ति]
દેવેંદ્ર અને ચક્રવર્તીત્વ વગેરેના ગુણ (રૂપાદિ) અને ઋદ્ધિ (વિભૂતિ) ની પ્રાર્થનારૂપ અધમ નિદાન (નિયાણા) નું ચિંતન, તે અત્યંત અજ્ઞાનથી થયેલું હોય છે. આ ચોથો ભેદ. (૯)
હવે આર્તધ્યાનનાં લક્ષણો કહે છે-ચિત્તની વૃત્તિરૂપ હોવાથી પરોક્ષ છતાં પણ જેના વડે આર્તધ્યાન નિર્ણય કરાય છે તે લક્ષણો, તેમાં ૧. કંદના-મોટા શબ્દ વડે આરડવું-રોવું ૨. શોચનતા-દીનપણું, ૩. તેપનતા-તિ, ધાતુનો ક્ષરણ (ખરી જવું) અર્થ હોવાથી આંસુનું ખરવું અને ૪. પરિદેવનતા-વારંવાર ખેદપૂર્વક બોલવું. આ જણાવેલ કંદનતાદિ ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ
308