SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ अग्रबीजादिः नारकागमः संघाट्य २४४-२४६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ખાનાર, કોઈએક અંતરની છાલને ખાનાર, કોઈએક લાકડાને ખાનાર અને કોઈએક લાકડાના સાર(ગર્ભ)ને ખાનાર. આ દૃષ્ટાંતે ચાર પ્રકારે ભિક્ષુકો-સાધુઓ કહેલા છે, તે આ પ્રમાણે–એક બહારની ત્વચા-છાલના ખાનાર ઘુણા સરખા, તે સાધુ આયંબિલ પ્રમુખ તપ કરનાર અને તુચ્છ આહારના કરનાર, એક અંદરની છાલને ખાનાર ઘુણા સમાન સાધુ, તે લેપ રહિત (ચણા વગેરે) આહારના કરનાર, કોઈક કાષ્ટના ખાનાર ઘુણા સમાન સાધુ વિગય રહિત આહાર કરનાર, કોઈક સાર ખાનાર ઘુણા સમાન સાધુ, સરસ ભોજન કરનાર, ત્વચાને ખાનાર સમાન સાધુનું સાર ખાનારના જેવું તપ છે, સારને ખાનાર સમાન સાધુનું ત્વચાને ખાનાર સમાન તપ છે, છાલને ખાનાર સમાન સાધુનું કાઝને ખાનાર સમાન તપ છે અને કાષ્ટને ખાનાર સમાન સાધુનું છાલને ખાનાર સમાન તપ છે. ll૨૪all (ટી0) વવં–બહારની છાલને જે ખાય છે તે વવા -ત્વચાને ખાનાર, એવી રીતે શેષ (ત્રણ) જાણવા. વિશેષ એ કે'છત્તિ' ઉત્ત. અંદરની છાલ, કાષ્ટ-લાકડું અને સાર-લાકડાનો મધ્ય-અંદરનો ભાગ, આ દૃષ્ટાંત છે. વમેવ'ત્યાતિ ઉપનય સૂત્ર છે. ભિક્ષણ સ્વભાવવાળા, યાચનાના ધર્મવાળા અથવા ભિક્ષામાં શ્રેષ્ઠ તે ભિક્ષાકો (મુનિઓ), ત્વચાને ખાનારા ઘણા સમાન–અત્યંત સંતોષીપણાએ આયંબિલાદિ તપમાં પ્રાંત-તુચ્છ આહારના ખાનાર હોવાથી ત્વચાને ખાનાર જેવો ૧. એવી : રીતે અંદરની છાલને ખાનાર જેવો, લેપ રહિત આહારને કરનાર હોવાથી ૨. કાષ્ઠને ખાનાર જેવો, વિગય રહિત આહાર કરવાથી ૩. સાર ખાનાર જેવો, સર્વકામગણ-ઈદ્રિયોને પુષ્ટિ કરનાર આહાર કરવાથી. આ ચારે ભિક્ષઓના તપવિશેષને કહેનારું સૂત્ર તહેવારે' ત્યાદિ સુગમ છે. ભાવાર્થ એ છે કે બહારની છાલ જેવા અસાર આહાર વાપરનારને આસક્તિપણે ન હોવાથી કર્મના ભેદ (વિનાશ) ને સ્વીકારીને વજસાર (વજ જેવ) તપ હોય છે, માટે સુચના કરે છે—'સારવવા સમાને ત' ત્તિ સારને ખાનાર હોવાથી સાર ખાનર ઘુણાનું સામર્થ્ય અને વજ જેવું મુખ હોવાથી ૧, સારને ખાનાર કહેલ લક્ષણવાળા સાધુનું સરાગાણાએ બહારની છાલને ખાનાર સમાન તપ હોય છે, તે કર્મના રસને ભેદવાને સમર્થ થતું નથી, બહારની છાલને ખાનાર ઘણાને ચોક્કસ ત્વક (છાલ) નું ખાવાપણું હોવાથી કાષ્ઠના સારના ભેદન પ્રત્યે અસમર્થ હોવાથી ૨, તથા અંતરછાલને ખાનાર ઘુણા જેવા સાધુને બહારની છાલ ખાનાર ઘુણા જેવાની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ-સારા ભોજનના કરવા વડે કઈક સરાગપણું હોવાથી અને કાષ્ઠના સારને અને કાઇને ખાનાર ઘુણા સમાન સાધુની અપેક્ષાએ તો હલકાં ભોજન કરવા વડે આસક્તિ ન હોવાથી કર્મના ભેદન પ્રત્યે કાઇને ખાનાર ઘુણા સમાન તપ કહ્યું છે. સારને ખાનાર ઘુણાની જેમ અતિ તીવ્ર તપ નહિ અને વૈકુ અને છાલને ખાનાર ઘુણાની માફક અતિમંદ વગેરે તપ નહિં, આ રહસ્ય છે ૩, કાષ્ટને ખાનાર ઘુણા જેવા સાધુને સારને ખાનાર ઘુણા જેવાની અપેક્ષાએ સાર રહિત ભોજનને કરવા વડે આસક્તિ ન હોવાથી ત્વક બહારની છાલ) અને અંતર છાલને ખાનાર ઘુણા જેવા સાધુની અપેક્ષાએ વિશેષ સારા ભોજનને કરવા પડે અને સરાગપણું હોવાથી છાલને ખાનાર ઘુણા સમાન તપ કહ્યું છે, કર્મના ભેદન પ્રત્યે સારને ખાનાર અને કાષ્ઠને ખાનાર ઘણાની જેમ અતિસમર્થ વગેરે તપ નથી, ત્વને ખાનાર ઘુણાની માફક અતિમંદ પણ નથી ૪, પ્રથમ વિકલ્પમાં પ્રધાનતર તપ, બીજામાં અપ્રધાનતર, ત્રીજામાં પ્રધાન અને ચોથા વિકલ્પમાં અપ્રધાન તપ છે. ર૪૩|| - હમણાં જ વનસ્પતિના અવયવોને ખાનાર ઘુણાઓ કહ્યા, માટે વનસ્પતિની જ પ્રરૂપણા કરતાં કહે છે– चठव्विहा तणवणस्सतिकाइया पन्नत्ता, तंजहा–अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया ।। सू० २४४।। चउहि ठाणेहिं अहुणोववण्णे णेरइए णेरइयलोगसि इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तते, णो चेव णं संचातेति हव्वमागच्छित्तते। अहुणोववण्णे नेरइए णिरयलोगंसि समुन्भू वेयणं वेयमाणे इच्छेज्जा माणुसं लोगहव्वमागच्छित्तते, णोचेवणंसंचातेति हव्वमागच्छित्तते १। अहुणोववन्ने णेरइए निरतलोगंसि णिरयपालेहि 1. સમહમૂર્ય 303
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy