SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ भाषाः शुद्धादिः २३७ - २३९ सूत्राणि કઈક સૂત્ર અને અર્થનું પૂછવું તે પૃચ્છની, તથા [અમુક સમય પર્યંત રહેવા માટે] અવગ્રહ(જગ્યા) નું અનુજ્ઞાપન–જણાવવું તે અનુજ્ઞાપની તથા કોઈએ પૂછેલ અર્થ વગેરેનું પ્રતિપાદન કરવું તે વ્યાકરણી. II૩૩૭|| ભાષાના પ્રસંગથી ભાષાના ભેદોને કહે છે—' ત્તત્તારિ માસે’ત્યાદ્રિ જાત-ઉત્પત્તિધર્મવિશિષ્ટ, તે વ્યક્તિરૂપ વસ્તુ, આ કારણથી ભાષાથી ઉત્પન્ન થયેલ વ્યક્તિરૂપ વસ્તુઓ, ભેદો-પ્રકારો તે ભાષાજાતો, તેમાં વિદ્યમાન રહેલા મુનિઓ, ગુણો અથવા પદાર્થોના માટે હિતરૂપ તે સત્ય, એક સૂત્રની અપેક્ષાએ પ્રથમ, અથવા જેના વડે તે બોલાય છે તે ભાષા અથવા બોલવું તે ભાષા–કાયયોગ વડે ગ્રહણ કરેલ અને વચનયોગ વડે નીકળેલ ભાષાદ્રવ્યની સંહતિ (વર્ગણા) નો જે પ્રકાર તે ભાષાજાત આત્મા છે, ઇત્યાદિની જેમ. સૂત્રના ક્રમથી બીજું 'મોસ'તિ પ્રાકૃતપણાથી મૃષા–અસત્ય, ‘આત્મા નથી’ ઇત્યાદિની માફક, ત્રીજું સત્યામૃષા-કઈક સત્ય ને કઈક અસત્ય-મિશ્રરૂપ, ‘આત્મા છે, અકર્તા છે' ઇત્યાદિની જેમ, ચોથું અસત્યામૃષા–સત્ય નહિં અને અસત્ય નહિં, આત્મા ઇત્યાદિની માફક. (આ ચાર ભાષાજાત) છે. આ સંબંધે બે ગાથા જણાવતાં કહે છે કે— सच्चा हिया सतामिह, संतो मुणओ गुणा पयत्था वा । तव्विवरीया मोसा, मीसा- जा तदुभयसहावा ॥२॥ [विशेषावश्यक० ३७६ त्ति ] સત્પુરુષોના હિતરૂપ તે સત્યા અથવા સારા મુનિઓ માટે હિતરૂપ અથવા સુંદર મૂલોત્તર ગુણોને હિતરૂપ અથવા ભગવાને કહેલ વિદ્યમાન જીવાદિ પદાર્થોના માટે હિતરૂપ તે સત્યભાષા, તેનાથી વિપરીત સ્વરૂપવાળી તે મૃષાભાષા, સત્ય તે અને અસત્ય બન્ને સ્વભાવવાળી તે મિશ્રભાષા (સત્યમૃષા) છે. (૨) अहिगया जातीसुवि, सद्दो च्चिय केवलो असच्चमुसा । एया सभेयलक्खण, सोदाहरणा जहा सुत्ते ॥३॥ [विशेषावश्यक० ३७७ त्ति ] ત્રણ ભાષામાં પણ જે સ્વીકારેલી નથી, માત્ર શબ્દરૂપ જ છે તે અસત્યમૃષા (અસત્યામૃષા)–આમંત્રણ અને આજ્ઞાપન (હુકમ કરવું) વગેરે વિષયવાળી છે. આ ચાર ભાષા ભેદ સહિત, લક્ષણ સહિત અને ઉદાહરણ સહિત સૂત્રમાં જેમ કહેલી છે તેમ જાણવી. (૩) પુરુષના ભેદનું નિરૂપણ કરવા માટે જ આ તેર સૂત્રો—'વૃત્તાન્ત વત્સે'ત્યા॰િ સ્પષ્ટ છે. વિશેષ એ કે-શુદ્ધ વસ્ત્રપવિત્ર તંતુ વગેરે કારણ વડે બનાવેલ હોવાથી, વળી શુદ્ધ-નવીન મલના અભાવથી અથવા પહેલા શુદ્ધ હતું અને હમણા પણ શુદ્ધ જ છે. પ્રથમ ભંગના બે પદથી વિપક્ષભૂત સુગમ જ છે. હવે દાČતિકની યોજના કહે છે—'વમેને'ત્યાવિ॰ શુદ્ધજાત્યાદિ વડે શુદ્ધ, વળી નિર્મલ જ્ઞાનાદિ ગુણપણાએ અથવા કાલની અપેક્ષાએ 'વડમળો'ત્તિ॰ ચાર ભાંગાનો સમુદાય તે ચતુર્ભુગી અથવા ચતુર્ભૂગ. પુલ્લિંગપણું તો અહિં પ્રાકૃતપણાથી છે. તેનો આ અર્થ-વસ્ત્રની માફક ચાર ભાંગા પુરુષને વિષે પણ કહેવા. 'Ç'મિતિ॰ જેમ શુદ્ધ પદથી બીજા શુદ્ધ પદમાં દાČતિક સહિત ચાર ભાંગાવાળું વસ્ત્ર કહ્યું, એવી રીતે શુદ્ધ પદ છે પૂર્વપદમાં જેને એવા પરિણતપદ અને રૂપપદમાં ચાર ભાંગાવાલા વસ્ત્રો 'સડિવવવત્તિ॰ પ્રતિપક્ષ સહિત (અશુદ્ધ પરિણત વગેરે) દાતિક (પુરુષ) સહિત કહેવા. તે આ પ્રમાણે—'ચત્તાર વત્થા પન્નત્તા, તં નહીં-સુદ્ધ નામં ણે યુદ્ધવિજ્ વતુર્મી' 'વમેવ'ત્યાદ્રિ॰ પુરુષજાત સૂત્રની ચતુર્થંગી, એવી રીતે શુદ્ધ વસ્ત્ર અને શુદ્ધ રૂપની ચોભંગી વસ્ત્રમાં કરવી એમ જ પુરુષમાં પણ ચોભંગી કરવી. વ્યાખ્યા તો પૂર્વની માફક જાણવી. ''ચત્તારી'' ત્યાદ્િ॰ શુદ્ધ-બહારથી અને શુદ્ધ મનવાળો– અંતરથી, એવી રીતે શુદ્ધ' સંકલ્પ, શુદ્ધ પ્રશ, શુદ્ધ દૃષ્ટિ, શુદ્ધ શીલાચાર, શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ પરાક્રમ આ [સાત સૂત્રોમાં] 2વસ્ત્રને છોડીને પુરુષો જ ચાર ભાંગાવાળા કહેવા, વ્યાખ્યા તો પૂર્વની માફક જાણવી. આ જ કારણથી કહે છે 'મિ' ત્યાર્િ ૨૩૯૫ 1. શુદ્ધ સંકલ્પ વગેરે સૂત્રોનો અર્થ પૂર્વે લખાઈ ગયેલ છે. 2. વસ્ર જડ હોવાથી તેમાં મન, સંકલ્પ વગેરે ચૈતન્યધર્મો ન હોય તેથી વજ્રમાં પ્રતિપક્ષ સહિત છ સૂત્રો છે અને પુરુષમાં ફક્ત સાત સૂત્રો છે. 300
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy