SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ भाषाः शुद्धादिः २३७-२३९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ હજુ પુરુષના વિચાર સંબંધી જે કહે છે કે – पडिमापडिवनस्स णमणगारस्स कप्पंति चत्तारि भासातो भासित्तए, तंजहा-जायणी, पुच्छणी, अणुनवणी, પુક્કલ્સ વાર રરૂછના चत्तारि भासाजाता पन्नत्ता, तंजहा–सच्चमेगं भासज्जायं,बीतियं मोसं, ततियं सच्चमोसं, चउत्थं असच्चमोसं ૪ || સૂ૦ ૨૨૮ના चत्तारि वत्था पन्नत्ता, तंजहा–सुद्धे णामं एगे सुद्धे १ सुद्धे णाम एगे असुद्धे २ असुद्धे णामं एगे सुद्धे ३ असुद्धे णामं एगे असुद्धे ४। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–सुद्धे णामं एगे सुद्धे चउभंगो ४, एवं परिणतरूवे वत्था सपडिवक्खा। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-सुद्धे णामं एगे सुद्धमणे चउभंगो ४, एवं संकप्पे નાવ પરફ્રને II સૂ૦ ૨૩૨ (મૂo) બાર પ્રતિમાને પ્રતિપત્ર-સ્વીકારેલ અનગારને ચાર ભાષા બોલવા માટે કહ્યું છે, તે આ પ્રમાણે–અન્ન, પાણી વગેરેની યાચના માટે જે બોલવું તે યાચની, માર્ગ વગેરેનું પૂછવું તે પૃચ્છની, અવગ્રહ (વસતિ) વગેરેની યાચના અર્થાત્ “હું થોડા વખત અહિં રહું છું’ એમ ગૃહસ્થને જણાવવું તે અનુજ્ઞાપની અને કોઈ પૂછેલ અર્થનું કહેવું તે વાગરણી-વ્યાકરણી ભાષા. //ર૩૭ll ચાર પ્રકારે ભાષા કહેલી છે, તે આ પ્રમાણે–સર્વને હિતકર તે સત્ય એ પ્રથમ ભાષા, બીજી મૃષા-અસત્ય ભાષા, ત્રીજી સત્યમૃષા-મિશ્રભાષા અને ચોથી અસત્યમૃષા-(અસત્યામૃષા)-વ્યવહારભાષા. //ર૩૮. - ચાર પ્રકારના વસ્ત્રો કહેલાં છે, તે આ પ્રમાણે—કોઈ એક વસ્ત્ર પ્રથમથી જ તંતુ વગેરેથી શુદ્ધ છે અને પછી પણ શુદ્ધ છે ૧, કોઈ એક વસ્ત્ર પ્રથમ શુદ્ધ હોય છે અને પછી (મેલથી) અશુદ્ધ થાય છે ૨, કોઈ એક વસ્ત્ર પહેલાં અશુદ્ધ અને પછી (ધોવરાવવાથી) શુદ્ધ થાય છે ૩, કોઈ એક વસ્ત્ર પહેલાં અશુદ્ધ છે અને પછી પણ અશુદ્ધ હોય છે ૪, એવી જ રીતે ચાર પ્રકારના પુરુષો કહ્યા છે, તે આ પ્રમાણે-કોઈ એક પુરુષ જાત્યાદિથી શુદ્ધ અને ગુણથી શુદ્ધ ૧, જાત્યાદિથી શુદ્ધ પણ ગુણથી અશુદ્ધ ૨, જાંતિ વગેરેથી અશુદ્ધ પણ ગુણથી શુદ્ધ ૩, જાત્યાદિથી અશુદ્ધ અને ગુણથી પણ અશુદ્ધ ૪, એવી રીતે પરિણત અને રૂપ દેષ્ટાંત સહિત વસ્ત્રો કહેવા, તે આ પ્રમાણે–૧. કોઈ એક વસ્ત્ર શુદ્ધ અને શુદ્ધપરિણતશુભ પરિણામવાળું, ૨. કોઈ એક વસ્ત્ર શુદ્ધ પણ અશુભ પરિણામવાળું, ૩. કોઈ એક વસ્ત્ર અશુદ્ધ પણ શુભ પરિણામવાળું, અને ૪. કાંઇ એક વસ્ત્ર અશુદ્ધ અને પરિણામે પણ અશુભ. તેમ રૂપ” શબ્દ સાથે ચાર ભાં કરવ૮. ૯ર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈ એક મનુષ્ય જાત્યાદિકથી શુદ્ધ અને મન-અંતવૃત્તિ વડે શુદ્ધ ૧, કોઈક મનુષ્ય જાત્યાદિથી શુદ્ધ પણ અંતવૃત્તિથી અશુદ્ધ ૨, કોઈક જાત્યાદિથી અશુદ્ધ પણ અંતવૃત્તિથી શુદ્ધ ૩, અને કોઈક મનુષ્ય જાત્યાદિથી અને અંતવૃત્તિથી પણ અશુદ્ધ છે. એવી રીતે સંકલ્પ યાવતું પરાક્રમ પર્યત શબ્દો શુદ્ધ પદ સાથે જોડવા અને ચાર ચાર ભાંગા કરવા. //ર૩૯ll (ટી.) સ્પષ્ટ છે. પ્રતિમા–સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ભિક્ષુની બાર પ્રતિમા, તેને સ્વીકારનાર વડે જે યાચના કરાય છે તે યાચની-પાણી વગેરેની ‘મને આમાંથી આટલું પાણી વગેરે તું આપીશ' ઇત્યાદિ સિદ્ધાંતના પ્રસિદ્ધ ક્રમ વડે. તથા માર્ગ વગેરેનું પૂછવું અથવા 1. એક વસ્ત્ર શુદ્ધ અને અશુદ્ધ આકારવાળું છે ૧, એક વસ્ત્ર શુદ્ધ અને અશુદ્ધ આકારવાળું છે ૨, એક વસ્ત્ર અશુદ્ધ અને શુદ્ધ આકારવાળું છે ૩, અને એક વસ્ત્ર અશુદ્ધ અને આકાર પણ અશુદ્ધ છે. ૪. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–એક જાત્યાદિ વડે શુદ્ધ અને સુંદર રૂપ સંડાણવાળો છે ૧, એક પુરુષ જાત્યાદિ વડે શુદ્ધ પણ રૂપાદિ વડે અશુદ્ધ છે ૨, એક જાત્યાદિ વડે અશુદ્ધ પણ રૂપ આકારાદિ વડે શુદ્ધ (સુંદર) છે ૩, અને એક જાત્યાદિ વડે અશુદ્ધ અને રૂપ આકારાદિ વડે પણ અશુદ્ધ છે ૪, 299
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy