________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ उन्नतादि २३६ सूत्रम् સૂત્રમાં સામાન્યથી કહીને તેના વિશેષ સૂત્રોનું કહે છે-ઊંચાઈવણાએ એક વૃક્ષ, ઉન્નતપરિણત-અશુભ રસાદિરૂપી નીચપણાને છોડીને શુભ રસાદિરૂપ શ્રેષ્ઠપણા વડે પરિણત છે, આ એક ભંગ. બીજા ભાંગામાં પ્રણતપરિણત-કહેલ લક્ષણવિશિષ્ટ ઉન્નતપણાને છોડવાથી અને એ બેના આધારે ત્રીજા અને ચોથો ભાંગો જાણવો. (૩), આ ચતુર્ભગી સૂત્રની વિશેષતા આ પ્રમાણે છે-પહેલાં ઉન્નતપણું અને પ્રણતપણું સામાન્યથી કહ્યું. આ સૂત્રમાં તો પૂર્વની અવસ્થાથી અન્ય અવસ્થાને પામવા વડે વિશેષ રૂપે કહેલ છે. એવી રીતે ઉપમેયમાં પણ પરિણત સૂત્ર જાણવું (૪), પરિણામ આકાર, બોધ અને ક્રિયાના ભેદથી ત્રણ પ્રકારે છે, તેમાં આકારનો આશ્રય કરીને રૂપનું સૂત્ર છે. તેમાં ઉન્નતરૂપ (વૃક્ષ), આકાર અને અવયવાદિના સૌંદર્યથી (પ), ગૃહસ્થ પુરુષ સંબંધ પણ એમ જ જાણવું. પ્રવૃજિત તો સંવિગ્નસાધુના વેષને ધરનાર (૬), બોધપરિણામની અપેક્ષાવાળા ચાર (મન, સંકલ્પ, પ્રજ્ઞા અને દૃષ્ટિ) સૂત્રો છે. તેમાં જાત્યાદિ ગુણો વડે અથવા ઊંચાઈ વડે ઉન્નત, સ્વભાવે ઔદાર્યાદિ યુક્ત મનવાળો. એવી રીતે બીજા પણ ત્રણ ભંગો જાણવા. 'દવ'મિતિ- સંકલ્પ વગેરે સૂત્રોમાં ચતુર્ભગીનો અતિદેશ લાઘવ માટે સૂત્રકારે કર્યો છે. સંકલ્પવિકલ્પ એટલે વિશેષ વિચાર. આનું ઉન્નતપણું ઔદાર્ય વગેરેથી યુક્તપણાએ અથવા સત્પદાર્થના વિષયપણા વડે છે (૮), શ્રેષ્ઠ જ્ઞાન તે પ્રજ્ઞા અર્થાત્ સૂક્ષ્મ અર્થનું વિવેચકપણું, પ્રજ્ઞાનું શ્રેષ્ટપણું અવિસંવાદિ-અવિરોધપણાએ છે (૯), દર્શન-દષ્ટિ ચક્ષુજન્ય જ્ઞાન અથવા નયનો અભિપ્રાય, તેનું ઉતપણું તો અવિસંવાદિપણાએ છે (૧૦), ક્રિયારૂપ પરિણામની અપેક્ષાવાળા ત્રણ સૂત્રોમાં શીલાચાર–શીલ એટલે સમાધિ. તે સમાધિપ્રધાન આચાર અથવા સમાધિનો આચાર–અનુષ્ઠાને તે શીલ વડે અથવા સ્વભાવ વડે આચાર. આનું ઉન્નતપણું તો નિર્દૂષણપણાએ છે, વાચનાંતરમાં તો શીલસૂત્ર અને આચારસૂત્ર ભેદ વડે કહેવાય છે અર્થાત્ જુદા છે. (૧૧), વ્યવહાર પરસ્પર દેવું-લેવું વગેરે અથવા વિવાદ, આનું ઉન્નતપણું તો પ્રશંસાયોગ્યપણાએ છે. (૧૨), પરાક્રમ-ઉધમવિશેષ અથવા બીજા-શત્રુઓનું આક્રમણ (ને વિફળ) કરવું (દબાવવું), તેનું ઉન્નતપણું તો અપરાજિતપણાએ અને સારા વિષયપણાએ છે. (૧૩), ઉન્નતથી વિરુદ્ધ (પ્રણતપણું) સર્વત્ર વિચારવું. 'જે પુરી'ત્યા૦િ આ મન વગેરે ચૌભંગીના સાત સૂત્રોમાં એક જ પુરુષજાતનો આલાવો જાણવો. પ્રતિપક્ષ-બીજો પક્ષ (દષ્ટાંતભૂત વૃક્ષ) સૂત્ર નથી અર્થાત્ પરાક્રમ પર્યત ન કહેવું, કેમ કે દષ્ટાંતભૂત વૃક્ષોને વિષે ઉપમેય પુરુષના ધર્મોનો (મન વગેરેનો) અસંભવ છે. '૩q'ત્તિ ઋજુ-પૂર્વની માફક કોઈક સરલ વૃક્ષ તથા ઋજુ અવિપરીત સ્વભાવ, ઉચિતપણા વડે ફલાદિના સંપાદનથી આ એક ભંગ. બીજા ભંગમાં બીજું પદ વંક-વક્ર અર્થાત્ ફલાદિને વિષે વિપરીત, ત્રીજા ભંગમાં પહેલું પદ વક્રવાંકો અને ચોથો ભંગ સુગમ છે. અથવા પહેલા ઋજુ સરલ, પછી પણ ઋજુ અથવા મૂલમાં સરલ અને છેડે પણ સરલ, એમ ઋજુ અને વક્ર પદ વડે ચાર ભાંગા કરવા. આ દષ્ટાંતરૂપ છે. પુરુષ તો ઋજુ એટલે બહારથી શરીર, ગતિ, વાણી અને ચેષ્ટા વગેરેથી સરલ તેમ જ અંતરથી કપટરહિતપણાએ સુસાધુની માફક ઋજુ, આ એક ભંગ. તથા ઋજુ તો બહારથી પૂર્વની જેમ વંકવક્ર અને અંતરમાં કપટીપણાએ કારણવશાત્ સરલભાવ બતાવનાર દુષ્ટ સાધુની જેવો, આ બીજો ભંગ. ત્રીજો ભંગ તો કારણવશાત્ બહારથી બતાવેલ વક્રભાવ અને અંતરથી કપટ રહિત, પ્રવચન-શાસનના ગોપનની રક્ષામાં પ્રવર્તેલ સાધુની જેમ. ચોથો ભંગ તો બન્ને રીતિથી વક્ર, તથા પ્રકારના શઠ-કપટીની માફક. અથવા કાલના ભેદ વડે પણ વ્યાખ્યા કરવી. હવે ઋજુ અને ઋજુપરિણત વગેરે અગિયાર ચોભંગીઓ લાઘવ (સંક્ષેપ) માટે અતિદેશ વડે કહે છે–'વ' ઉત્તિ. આ શબ્દ વડે ઋજુ ઇત્યાદિ વડે બતાવેલ ક્રમથી ભાંગાના ક્રમ વડે ‘વશે'તિ જે પ્રકારે પરિણત રૂપાદિ વિશેષણ વડે [ઉન્નત-પ્રણત] વિશેષિતપણાએ જુ-વક્ર છે, આ અર્થ છે. ઉન્નત અને પ્રણત–આ બન્ને શબ્દ ઉન્નત-ઉન્નત અને ઉન્નત-પ્રણત પરસ્પર પ્રતિપક્ષભૂત (પ્રણત-ઉન્નત અને પ્રણત-પ્રણત) વડે સરખો પાઠ કરેલ છે. તથા તે પ્રકાર વડે પરિણત અને રૂપાદિ બે વિશેષણવાળાથી ઋજુ અને વક્ર શબ્દ વડે પણ પાઠ કહેવો. ક્યાં સુધી તે કહેવો? તે દર્શાવતા કહે છે–'નાવ પર'ત્તિ જુ-વક્ર વૃક્ષ સૂત્રથી યાવત્ તેર સૂત્ર પર્વત. તેમાં જુ ૨ જુપરિણત ૨ ઋજુરૂપ ૨ લક્ષણવાળા છ સૂત્રો, વૃક્ષ દષ્ટાંત અને પુરુષ દાષ્ટ્રતિકસ્વરૂપ છે, અને મન પ્રમુખ શેષ સાત સૂત્રો દષ્ટાંત રહિત છે. ર૩૬ll
298