________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ उन्नतादि २३६ सूत्रम् કર્મવાલા, વળી જેને તપ અને વેદના નથી તે સિદ્ધ થયા. ઉત્તમ હાથી ઉપર બેઠેલા મરુદેવી માતાનું આયુષ્ય સમાપ્ત થયે સિદ્ધપણું થયેલ છે. (૪) આ દાષ્ટ્રતિક (ઉપમા અને ઉપમેયરૂપ) અર્થોનું સર્વ પ્રકારે સમાનપણું વિચારવું નહિ. એઓને દેશ (અમુક અંશરૂપ દષ્ટાંતપણાથી વિચારવું.) કારણ કે મરુદેવીમાતાને મુંડે પવિત્તે’ ત્યાદિ કેટલાએક વિશેષણો ઘટી શકતા નથી પણ ફળની અપેક્ષાએ સર્વથા સમાનપણું ઘટી શકે છે. ર૩પ.
પુરુષવિશેષોની અંતક્રિયા કહી, હવે તેઓના જ સ્વરૂપને નિરૂપણ કરવા માટે રાષ્ટ્રતિક છવીસ સૂત્રો કહે છે– " चत्तारि रुक्खा पनत्ता, तंजहा-उन्नते णाममेगे उन्नते १, उन्नते णाममेगे पणते २, पणते णाममेगे उन्नते ३, पणते नाममेगे पणते ४, १ । एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-उन्नते नाममेगे उन्नते, तहेव जाव पणते नाममेगे पणते । चत्तारि रुक्खा पन्नत्ता, तंजहा-उन्नते नाममेगे उन्नतपरिणते १, उण्णते नाममेगे पणतपरिणते २ पणते णाममेगे उन्नतपरिणते ३ पणए नाममेगे पणयपरिणए ४, ३ । एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-उन्नते नाममेगे उन्नतपरिणते चउभंगो ४,४। चत्तारि रुक्खा पन्नत्ता, तंजहा-उन्नते णाममेगे उन्नतरूवे तहेव चउभंगो ४, ५ । एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-उन्नते नामं०४,६ । चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-उन्नते नाममेगे उन्नतमणे उन्न० ४,७ ।एवं संकप्पे ८ पन्ने ९ दिट्ठी १० सीलायारे ११ ववहारे १२ परक्कमे १३ एगे पुरिसजाए पडिवक्खो नत्थि। चत्तारि रुक्खा पन्नत्ता, तंजहा-उज्जू नाममेगे उज्जू, उज्जू नाममेगे वंके, चउभंगो ४, १४। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-उज्जू नाममेगे [उज्जू] ४, १५ एवं जहा उन्नतपणतेहिं गमो तहा उज्जुवंकेहि वि भाणियव्वो, जाव परक्कमे २६।। सू० २३६।। (મૂo) ચાર પ્રકારના વૃક્ષો કહેલા છે, તે આ પ્રમાણે (નામ' શબ્દ સંભાવનાના અર્થમાં છે)-કોઈ એક વૃક્ષ દ્રવ્યથી ઉન્નત
શરીરથી ઊંચુ અને ભાવથી પણ ઉન્નત-ઊંચુ તે અશોકાદિ ૧, કોઈ એક વૃક્ષ દ્રવ્યથી ઊંચુ પણ ભાવથી પ્રણત-નીચે તે લીંબડો વગેરે ૨, કોઈ એક વૃક્ષ દ્રવ્યથી પ્રણત-નીચુ પણ ભાવથી ઊંચુ તે નીચા (નાના) અશોકાદિ ૩, કોઈ એક વૃક્ષ દ્રવ્યથી પ્રણત-નીચુ અને ભાવથી પણ પ્રણત-નીચુ તે (નાના) લીંબડા વગેરે ૪(૧), એ પ્રમાણે વૃક્ષના દૃષ્ટાંત ચાર પ્રકારના પુરુષો કહ્યા છે, તે આ પ્રમાણે-કોઈ સાધુ અથવા ગૃહસ્થ દ્રવ્યથી–શરીરથી ઊંચો અને ભાવથી કુલ, ઐશ્વર્યાદિ લૌકિક ગુણ વડે પણ ઉન્નત-ઊંચો અથવા કોઈક સાધુ લૌકિક ગુણોથી અને શરીરથી ઊંચો અને દીક્ષા લીધા પછી પણ જ્ઞાનાદિ ગુણોથી ઊંચો ૧, કોઈ પુરુષ દ્રવ્યથી-શરીરથી ઊંચો પણ ભાવથી નીચો ૨, કોઈ પુરુષ દ્રવ્યથી નીચો પણ ભાવથી ઊંચો ૩, કોઈ એક પુરુષ દ્રવ્યથી પણ નીચો અને ભાવથી પણ નીચો ૪ (૨), ચાર પ્રકારના વૃક્ષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈ એક વૃક્ષ દ્રવ્યથી-શરીરથી ઉન્નત અને ભાવથી ઉન્નત પરિણત-શુભ રસાદિરૂપ શ્રેષ્ઠતા વડે પરિણત છે ૧, કોઈ એક વૃક્ષ શરીરથી ઊંચુ છે પણ અશુભ રસાદિ વડે પરિણત છે ૨, કોઈ એક વૃક્ષ શરીરથી નીચુ છે પણ શુભ રસાદિવડે પરિણત છે ૩. કોઈ એક વૃક્ષ શરીરથી નીચુ છે અને અશુભ રસાદિ વડે પરિણત છે ૪ (૩), એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈ એક પુરુષ જાત્યાદિ વડે
અથવા શરીર વડે ઉન્નત અને શુભ પરિણામ વડે પણ ઉન્નત છે ૧. કોઈ એક પુરુષ શરીરાદિ વડે ઊંચો છે પણ 1. ટબામાં ત્રીજે ભાંગે એલચી વગેરે અને ચોથે ભાગે નાનો બાવળ વગેરે જણાવેલ છે, તે પણ સંભવિત જણાય છે.
296