SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकााध्ययने उद्देशः १ अन्तक्रियाः २३५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ (હિંસા) ની વિરતિનું પ્રાધાન્ય જાણવા માટે જ. કહ્યું છે કેएक्कं चिय एत्थ वयं, निद्दि जिणवरेहि सव्वेहिं । पाणाइवायविरमणमवसेसा तस्स रक्खा ॥१॥ પ્રાણાતિપાત વિરમણરૂપ એક જ વ્રત સમસ્ત જિનવરોએ કહેલું છે, બાકીના મૃષાવાદવિરમણ વગેરે વ્રતો તેની રક્ષા માટે છે. (૧) આ બીજું વિશેષણ પણ રાગાદિના ઉપશમયુક્ત ચિત્તની વૃત્તિથી થાય છે, આ કારણથી જ કહે છે-સમાધિબહુલ, સમાધિ તો પ્રથમવાહિતા અથવા જ્ઞાનાદિસ્વરૂપ, વળી સમાધિ સ્નેહ રહિતને જ હોય છે માટે કહે છે કે––––શરીર અને મનને વિષે દ્રવ્ય-ભાવરૂપી સ્નેહ રહિતપણાએ કઠોર, અથવા સૂપતિ-કમરૂપ મળને દૂર કરે છે તે તૂપ, આ કઈ રીતે સંવૃત્ત-સંવરવાળો છે? તે કારણથી કહે છે—'તી દી' તીર-ભવરૂપી સમુદ્રના પારને પ્રાર્થે છે એવા સ્વભાવવાળો તે તીરાર્થી અથવા તીરસ્થાયી, તીર-ભવના પારને વિષે સ્થિતીવાળો, અથવા પ્રાકૃતપણાથી 'તી’ ત્તિ. આ કારણથી, 'વાવ' તિજેના વડે શ્રુત સ્થિર કરાય છે તે ઉપધાન, અર્થાત્ કૃતવિષય તપના ઉપચારવાળો, આ કારણથી, સુવર્ણવે’ સુખ નહિ તે દુઃખ અથવા તેના કારણપણાથી કર્મ, તેનો જે ક્ષય કરે છે તે દુઃખક્ષય, તપના નિમિત્તથી કર્મનું ખપવું (ક્ષય) થાય છે, આ કારણથી કહે છે—'તવસ્સી' તિ તપ-અત્યંતર તપ, કર્મરૂપી ઈધન(લાકડા)ને બાળનાર અગ્નિ જેવો, નિરંતર શુભ ધ્યાન લક્ષણ છે જેનું તે તપસ્વી. 'તસ ” તિ જે આ પ્રકારનો છે તેને (હંકાર અલંકારના અર્થમાં છે) તથા પ્રકાર-મહાવીર ભગવાનના જેવો અત્યંત ઘોર તપ (અનશનાદિ) ન હોય. વળી તથા પ્રકાર-અતિ ભયંકર ઉપસર્નાદિ વડે પ્રાપ્ત કરવા યોગ્ય દુઃખને વિષે રહેનારી વેદના ન હોય, અલ્પ કર્મ વડે (મનુષ્યભવમાં) આવેલ હોવાથી અને તે કારણથી તથા પ્રકારરૂપ અલ્પ કર્મપ્રત્યાયાતાદિ વિશેષણના સમૂહ યુક્ત પુરુષજાત-પુરુષપ્રકાર, દીર્ઘબહુકાલીન પર્યાય-સાધનભૂત પ્રવૃજ્યાલક્ષણ વડે મિતિ—અણિમાદિ સિદ્ધિના યોગ વડે કૃતાર્થ અથવા વિશેષથી મોક્ષ જવાને યોગ્ય થાય છે, કારણ કે સકલ કર્મના નાયકરૂપ મોહનીય કર્મનો નાશ થાય છે અને અંદર ચાર ઘાતકર્મના નાશ વડે પ્રગટેલ કેવલજ્ઞાનથી સમગ્ર વસ્તુને જાણે છે, તેથી ભવોપગ્રાહી (ભવ સંબંધી) કર્મો વડે મૂકાય છે, તેમ જ પરિનિર્વાતિ સમસ્ત કર્મો વડે થયેલ વિકારના સમૂહનું નિરાકરણ થવાથી શીતલ થાય છે. હવે શું કહેવું થાય છે? તે માટે કહે છે કે સકલ દુઃખોના અંતને કરે છે અર્થાત્ શારીરિક અને માનસિક સર્વ દુઃખોનો અંત કરે છે. જેને તથાવિધ તપ અને વેદના નથી તે દીર્ઘકાલીન પર્યાય વડે કોઈપણ સિદ્ધ થયો છે? આ શંકાને દૂર કરવા માટે કહે છે કે...નહીં ' રૂત્યાવિ પ્રથમ જિન ઋષભદેવના પહેલા પુત્ર, એકસો પુત્રમાં મોટા પુત્ર, પૂર્વ દક્ષિણ પશ્ચિમના સમુદ્ર અને હિમવાન પર્વતરૂપ ચાર અંત-છેડાવાળી પૃથ્વીના સ્વામીપણાએ ચાતુરંત, એવા જે ભરત નામના રાજા ચક્રવર્તી તે પૂર્વભવમાં હલકર્મી થઈને આવેલા, સર્વાર્થસિદ્ધ વિમાનથી આવીને, ચક્રવર્તીપણામાં ઉત્પન્ન થઈને, રાજ્યાવસ્થામાં જ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરીને એક લાખ પૂર્વની પ્રવજ્યાવાળા તથાવિધ તપ અને વેદના રહિત જ મોક્ષને પ્રાપ્ત થયા. આ પહેલી અંતક્રિયા સમજવી. (૧) 'મહાવરે' તિ. ત્યાર બાદ બીજી અંતક્રિયા (પૂર્વની અપેક્ષાએ અન્ય અર્થાત્ બીજાના સ્થાનમાં કહેવાથી બીજી) બહુભારે કર્મો વડે મહાકર્મવાળો થયો થકો પ્રત્યાયાત અથવા પ્રત્યાજાત-મનુષ્યભવને પ્રાપ્ત થયેલને-મહાકર્મ વડે મનુષ્યમાં આવવાપણાએ તે મહાકર્મનો ક્ષય કરવા માટે તથા પ્રકારનું ઘોર તપ હોય છે, એમ વેદના ઉપસર્ગ વગેરે પણ કર્મના ઉદયથી પ્રાપ્ત થવા યોગ્ય છે-થાય છે, 'નિરુદ્ધ તિ અલ્પેન જેમ શ્રીકૃષ્ણના લઘુ બંઘુ ગજસુકુમાલ, ભગવાનું અરિષ્ટનેમિની સમીપે પ્રવ્રજ્યા સ્વીકારીને મશાનમાં કાયોત્સર્ગરૂપ મહાતપના કરનાર, શિર ઉપર મૂકેલ જાજ્વલ્યમાન અંગારાથી ઉત્પન્ન થયેલ અત્યંત વેદનાવાળા, થોડા જ સમયના પર્યાય વડે સિદ્ધ થયા. શેષ હકીકત સુગમ છે. (૨) 'મહાવરે ત્યા૦િ સુગમ છે. સનકુમાર ચોથા ચક્રવર્તી, તે તો મહાતપવાળા અને મહાવેદનાવાળા રોગ સહિત હોવાથી દીર્ઘકાલીન પર્યાય વડે તે ભવમાં સિદ્ધિના અભાવથી ભવાંતરમાં સિદ્ધત્વને પામનાર હોવાથી ત્રીજી અંતક્રિયા (૩) મહાવરો' ત્યાતિ સરળ છે. જેમ મરુદેવી માતા, પહેલા જિન ઋષભદેવની માતા સ્થાવરકાયપણામાં પણ બહુલતાએ ક્ષીણ કર્મપણાથી અલ્પ 295
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy