SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकााध्ययने उद्देशः १ अन्तक्रियाः २३५ सूत्रम् પ્રત્યાયાત-મનુષ્યપણાને પ્રાપ્ત થયેલ યાવત્ મુંડ થઈને તે અગારથી અણગારપણાને પામેલ, અધિક સંયમવાળો, વિશેષ સંવરવાળો યાવત્ ઉપધાનતપવાળો, દુઃખનો ક્ષય કરનારો તપસ્વી થાય છે, તેને તથા પ્રકારનો ઘોર તપ, તથા પ્રકારની અત્યંત વેદના થાય છે, તેવા પ્રકારનો પુરુષજાત થોડા કાલની પ્રવ્રજ્યા વડે સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો ગજસુકુમાલ મુનિની માફક અંત કરે છે. આ બીજી અંતક્રિયા (૨), વળી અન્ય ત્રીજી અંતક્રિયા કહે છેમહાકર્મવાળો, મનુષ્યત્વને પ્રાપ્ત થયેલ યાવત્ થાય છે, તે મુંડ થઈને અગારથી અણગારપણાને પામેલ ઈત્યાદિ જેમ બીજી અંતક્રિયા કહી તેમ જાણવી, પરંતુ વિશેષ એ કે-લાંબા કાલની પ્રવ્રજ્યા વડે સિદ્ધ થાય છે યાવત્ ચારે દિશાના સ્વામી સનકુમાર ચક્રવર્તીની માફક સર્વ દુઃખોના અંતને કરે છે. આ ત્રીજી અંતક્રિયા (૩) વળી અન્ય ચોથી અંતક્રિયા કહે છે–અલ્પ કર્મવાળો મનુષ્યપણાને પામેલ યાવત્ થાય છે, તે મુંડ થઈને યાવતું પ્રવ્રયાને પ્રાપ્ત કરેલ, બહુલ સંયમવાળો યાવત્ તેને તથા પ્રકારનો તપ નથી, તથા પ્રકારની વેદના નથી, તેવા પ્રકારનો પુરુષજાત અલ્પકાલીન પ્રવ્રજ્યા વડે મોક્ષે જાય છે યાવત્ ભગવતી-પૂજ્યા મરુદેવી માતાની માફક સર્વ દુઃખોનો અંત કરે છે. આ ચોથી અંતક્રિયા (૪). //ર૩પ. (ટી) આ (ચોથા) ઉદેશકનો આ પ્રમાણે સંબંધ છે. પૂર્વના (ત્રીજા) ઉદેશકના છેલ્લા સૂત્રમાં કર્મના ચય વગેરે વર્ણવેલ છે. અહિં પણ કર્મ અથવા તેના કાર્યભૂત ભવનો અંત કરવાની ક્રિયા કહેવાય છે. અથવા મેં સાંભળ્યું છે કે આયુષ્યમાન્ ભગવાને આ પ્રમાણે કહેલું, તેથી તેમના વડે જે કહેવાયેલું તે કહ્યું તેમજ વળી આ બીજું જે તેમણે જ કહેલું તે પણ કહેવાય છે, માટે આવા પ્રકારના આ સંબંધની વ્યાખ્યા કરાય છે. અંતક્રિયા એટલે ભવનો અંત કરવો. તેમાં (ચાર પ્રકારની અંતક્રિયામાં) જેને તથાવિધ તપ નથી, તથાવિધ પરીષહ વગેરેથી ઉપજતી વેદના (પીડા) પણ નથી, પરન્તુ લાંબા કાળના દીક્ષા પર્યાય વડે સિદ્ધિ થાય છે તે પહેલી અંતક્રિયા હોય. ૧. જેને તથાવિધ તપ અને વેદના છે અને થોડા કાલના પ્રવ્રજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેની બીજી અંતક્રિયા હોય. ૨. જેને ઉત્કૃષ્ટ તપ અને વેદના (હોય છે) અને દીર્ઘ દીક્ષાપત્યય વડે સિદ્ધિ થાય છે તેને ત્રીજી અંતક્રિયા હોય છે. ૩. વળી જેને તથા પ્રકારનું તપ અને વેદના નથી અને અલ્પ પર્યાય (થોડા સમયની પ્રવૃજ્યા) વડે સિદ્ધિ થાય છે તેને ચોથી અંતક્રિયા હોય છે. ૪. અંતક્રિયાની એકસ્વરૂપતા હોવા છતાં પણ સાધનના ભેદથી ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. આ સામુદાયિક અર્થ સમજવો. અવયવ (પ્રત્યેક શબ્દોનો અર્થ નીચે પ્રમાણે જાણવો–ભગવાને ચાર અંતક્રિયા કહેલી છે, એમ જણાય છે–પ્રાપ્ત થાય છે. તત્ર તિ અહિં નિરધારણ ચોક્કસ કરવાના અર્થમાં સપ્તમી વિભક્તિ છે, તે ચારના મધ્યમાં એવો એનો અર્થ છે. ખલું' શબ્દ વાક્યાલંકારમાં છે. આ, તરત જ કહેવામાં આવનાર હોવાથી સાક્ષાતુરૂપ પહેલી, બીજાની અપેક્ષાએ આદ્ય, અંતક્રિયા. અહિં કોઈક પુરુષ, દેવલોકાદિને વિષે જઈને, ત્યાંથી અલ્પ-થોડા સાધનભૂત કર્મો વડે પ્રત્યાયાત-મનુષ્યત્વ ફરીથી જે પામ્યો તે અલ્પકર્મપ્રત્યાયાત, એમ જણાય છે. અથવા એક સ્થલે ઉત્પન્ન થઈને ત્યાંથી અલ્પકર્મવાળો થયો થકો જે પાછો (મનુષ્ય ભવમાં) આવેલ તે અલ્પકર્મપ્રત્યાયાત અર્થાત્ લઘુ કર્મપણાએ ઉત્પન્ન થયો એવો અર્થ છે. આગળ કહેવામાં આવનાર મહાકર્મની અપેક્ષાએ મૂલમાં જે “ચ” કાર છે તે સમુચ્ચયના અર્થવાળો છે, “અપિ” સંભાવનાના અર્થમાં છે. આ પક્ષની પણ સંભાવના કરાય છે, ભવતિ-હોય, સે–આ અને '' વાક્યાલંકારમાં છે. દ્રવ્યથી શિરનું લંચન કરવા પડે અને ભાવથી રાગાદિને દૂર કરવાથી મુંડ થઈને, અગાર-દ્રવ્યતઃ ઘરથી અને ભાવતઃ સંસારમાં આનંદ માનનાર જીવોના નિવાસભૂત અવિવેકરૂપી ઘરથી નીકળીને, એ પ્રમાણે અર્થ સમજવો. અનગારિતા–અગારિ–અસંયત ગૃહસ્થ, તેનો નિષેધ કરવાથી અનગારી-સંયત, તેનો ભાવ તે અનગારિતા અર્થાત્ સાધુપણાને, પ્રવ્રજિત-પ્રાપ્ત થયો અથવા વિભક્તિના પરિણામ(બદલવા)થી અનગારીપણાએ-નિગ્રંથપણાએ પ્રવ્રજ્યાને પામેલ, તે કેવો છે? 'સંનયવહુ' ત્તિ પૃથ્વી વગેરેના સંરક્ષણરૂપ સંયમ વડે જે બહુલ–અધિક તે સંયમબહુલ અથવા સંયમ છે વિશેષ જેને તે. એવી રીતે સંવરબહુલ પણ સમજવું, વિશેષ એ કે–આશ્રવનો જે નિરોધ તે સંવર, અથવા ઇંદ્રિય અને કષાયનો નિગ્રહ વગેરે ભેદ. અહિં સંવરબહુલનું ગ્રહણ કરેલું છે તે પ્રાણાતિપાત 294
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy