SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ४ घनोदध्यादिवलयानि विग्रहोत्पादः २२४ - २२५ सूत्रे श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ परिस्सहे अभिजुंजिय अभिजुंजिय अभिभवइ, नो तं परिस्सहा अभिजुंजिय अभिजुंजिय अभिभवंति (२), से गं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए छहिं जीवनिकाएहिं णिस्संकिते जाव परिस्सहे अभिजुंजिय अभिजुंजिय अभिभवति, नो तं परिस्सहा अभिजुंजिय अभिजुंजिय अभिभवंति ३ ।। सू० २२३ ।। (મૂળ) ત્રણ સ્થાનક, જેણે નિશ્ચય નથી કર્યો તેને એ ત્રણ સ્થાનક, અહિતને માટે, અશુભ-દુઃખને માટે, અયથાર્થપણાને માટે, અનિઃશ્રેયસ–અકલ્યાણને માટે કે અમોક્ષને માટે, અને અશુભ કર્મના અનુબંધને માટે થાય છે, તે આ પ્રમાણે—જે દ્રવ્ય, ભાવથી મુંડ થઈને, ઘરથી નીકળી અણગારપણાને પ્રાપ્ત થયેલ એવો સાધુ નિગ્રંથ પ્રવચનમાં શંકાવાળો, કાંક્ષાવાળો, વિતિગિચ્છાવાળો, ભેદસમાપન્ન—આ આમ છે કે નહિં’ એમ દ્વિધાભાવવાળો, ક્લુષસમાપન્ન-‘આ વચન સત્ય નથી’ એમ સ્વીકારનાર થયો થકો, નિગ્રંથ પ્રવચનને શ્રદ્ધે નહિં, પ્રતીતિ–વિશ્વાસ આણે નહિં, રુચિ કરે નહિં, આવા પ્રકારના સાધુ પ્રત્યે સંબંધમાં આવીને પરિસહો તેનો પરાભવ કરે છે પરંતુ તે સાધુ પરિસહ પ્રત્યે સંબંધમાં આવીને સહન કરતો નથી ૧, તે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારપણાને પ્રાપ્ત થયેલ સાધુ, પાંચ મહાવ્રતોને વિષે શંકાવાળો, યાવત કલુષભાવને પ્રાપ્ત થયો થકો પાંચ મહાવ્રતોને સદહે નહિ, યાવત્ તે રિસહો પ્રત્યે સંબંધમાં આવીને સહન કરે નહિ ૨, તે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારપણાને પ્રાપ્ત થયેલ સાધુ છ જીવનિકાયને વિષે શંકાવાળો થયો થકો યાવત્ પિરસહોને સહે નહિ. ત્રણ સ્થાનક, જેણે નિશ્ચય કર્યા છે તેને ત્રણ સ્થાનક, હિતને માટે યાવત્ શુભ કર્મના અનુબંધ (પરંપરા)ને માટે થાય છે, તે આ પ્રમાણે—તે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારપણાને પ્રાપ્ત થયેલ સાધુ-નિગ્રંથ પ્રવચનને વિષે શંકા રહિત, કાંક્ષારહિત, યાવત્ કલુષભાવને પ્રાપ્ત ન થયો થકો નિધ પ્રવચન પ્રત્યે સદહે છે, પ્રતીતિ આણે છે, રુચિ કરે છે, પરિસહો પ્રત્યે સંબંધમાં આવીને તેને સહન કરે છે (જય કરે છે) પરંતુ તેને પરિસહો આવીને પરાભવ કરતા નથી ૧, તે સાધુ મુંડ થઈને, ઘરથી નીકળી અણગારપણાને પ્રાપ્ત થયો થકો પાંચ મહાવ્રતોને વિષે શંકારહિત, કાંક્ષારહિત યાવત્ પરિષહને જીતે છે (સહે છે) પરંતુ પરિષહો તેનો પરાભવ કરી શકતા નથી ૨, તે સાધુ મુંડ થઈને, ઘરથી નીકળી અણગારપણાને પ્રાપ્ત થયો થકો છ જીવનિકાયને વિષે શંકા રહિત, યાવત્ પરિષહો પ્રત્યે જીતે છે; પરંતુ પરિષહો તેનો પરાભવ કરી શકતા નથી ૩. ૨૨૩૦ (ટી0) 'તઓ ાને' ત્યાદ્રિ॰ ત્રણ સ્થાનો-પ્રવચન, મહાવ્રત અને જીવનિકાય સ્વરૂપ. અવ્યવસિત-નિશ્ચય ન કરનારને અથવા પરાક્રમ ન કરનારને, અહિત–અપથ્ય માટે, અસુખ–દુઃખ માટે, અક્ષમ–અસંગતપણા માટે, અનિઃશ્રેયસ–અમોક્ષ માટે અને અનનુગામિકત્વ-અશુભના અનુબંધને માટે થાય છે. 'મે Ī' તિ॰ જેને ત્રણ સ્થાનકો અહિતાદિપણા માટે થાય છે. તે શંકિત–દેશથી અથવા સર્વથી સંશયવાળો, તેમજ કાંક્ષિત-મતાંતરને પણ સારાપણાએ માનનાર, વિચિકિત્સ ફ્લુ પ્રત્યે શંકાયુક્ત, આ કારણથી જ ભેદસમાપન્ન–દ્વિધાભાવને પામેલો, અર્થાત્ ‘આ એમ છે કે નહિઁ' એવી મતિવાળો, કલુષસમાપન્ન—‘આમ નથી જ' એમ સ્વીકારનારો, આ કારણથી જ–નિગ્રંથો સંબંધી જે આ તે નૈગ્રંથ, પ્રશસ્ત પ્રગત યુક્ત અથવા પ્રથમ એવું જે વચન તે પ્રવચન–આગમ. (અહિં મૂલમાં દીર્ઘપણું પ્રાકૃતપણાને અંગે છે.) સામાન્યથી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિ કરતો નથી, ક૨વાની ઇચ્છાવાળો થતો નથી. 'ત' મિત્તિ॰ જે આવી સ્થિતિવાળો છે તે સાધુના આભાસવાળા પ્રત્યે, સર્વથા જે સહન કરાય છે તે ક્ષુધા વગેરે પરિષહો, તેના સંબંધમાં આવીને અથવા પરસ્પર સ્પર્ધા કરીને પરાજય કરે છે–તિરસ્કાર કરે છે. બાકીનું સુગમ છે ૩, કહેલ સૂત્રથી વિપરીત સૂત્ર પૂર્વવત્ જાણવું. હિત–પોતાને અને બીજાને આ લોક અને પરલોકમાં, પથ્ય અન્નના ભોજનની જેમ, દોષ નહિં કરનાર, સુખ–તૃષાતુરને શીતલ જળપાનની જેમ આનંદરૂપ, ક્ષમતથાપ્રકારના વ્યાધિને નાશ કરનાર ઔષધ પીવાની જેમ યોગ્ય, નિઃશ્રેયસ–ભાવથી પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવાની જેમ ચોક્કસ કલ્યાણ અર્થાત્ પ્રશંસવા લાયક, 287
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy