SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ लेश्यामरणवर्णनम् २२१-२२२ सूत्रे વગેરે ચાર વેદો અને સમયો-જૈન વગેરેના સિદ્ધાંતો. llર ૧૯ો. હમણાં સમયનો અંત કહ્યો, અને સમય તે જિન, કેવલી તથા અહંદુ શબ્દવાઓ પુરુષો વડે કહેલ યથાર્થ હોય છે, માટે જિનાદિ શબ્દ (પુરુષો)ના ભેદોને કહેવા માટે ત્રણ સૂત્રો કહે છે–તો નિને' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-રાગ, દ્વેષ અને મોહને જેઓ જીતે છે તેઓ જિનો-સર્વજ્ઞો છે. કહ્યું છે કે—રાષતથા મોહો નિતો યેન નિનો હતો . મસ્ત્રીશાસ્ત્રાક્ષમાનવાર્નિવાનુમતે '–“રાગદ્વેષ તથા મોહને જેઓએ જીત્યા છે તે જિન કહેવાય છે. વળી સ્ત્રી, શસ્ત્ર અને અક્ષ-જપમાલા રહિત હોવાથી અત્ જ અનુમાન કરાય છે. તથા નિશ્ચયથી પ્રત્યક્ષ જ્ઞાનપણાએ જિનોની માફક જેઓ વર્તે છે તેઓ પણ જિનો છે. તેમાં અવધિજ્ઞાન છે પ્રધાન જેને તે અવધિજિન, એમ બીજા બે મન:પર્યાયજિન અને કેવલજ્ઞાનજિન પણ જાણવા. વિશેષ એ કે–પહેલા બે ભેદ ઉપચાર કરાયેલ છે અને છેલ્લો ભેદ ઉપચાર રહિત છે (વાસ્તવિક છે). ઉપચારનું કારણ તો પ્રત્યક્ષ જ્ઞાનીપણું છે. 'વનમ' એક, અનંત અથવા પૂર્ણ જ્ઞાનાદિ છે જેઓને તે કેવલીઓ કહેવાય. કહ્યું છે કેकसिणं केवलकप्पं,लोगं जाणंति तह य पासंति । केवलचरित्तणाणी, तम्हा ते केवली होति।।२५१॥[आव०नि० १०९२] સમગ્ર, અનંત અથવા પરિપૂર્ણ લોકને જાણે છે તથા દેખે છે, વળી એક જ યથાખ્યાત ચારિત્ર અને કેવળજ્ઞાન છે જેને તે કેવલચારિત્રજ્ઞાની, તે કારણથી કેવલી હોય છે. (૨૫૧) અહિં પણ જિનની માફક વ્યાખ્યા કરવી. દેવાદિ વડે કરાયેલ પૂજાને જે યોગ્ય છે તે અહંતો અથવા કંઈ પણ છાનું નથી જેઓને તે નરહર, શેષ પૂર્વની માફક જાણવું. ર૨૦I - આ જિન અવધિજ્ઞાની આદિ] વગેરે લેશ્યા સહિત પણ હોય છે માટે વેશ્યા-પ્રકરણને કહે છે– ततो लेसाओ दुब्मिगंधाओ पन्नत्ताओ, तंजहा–कण्हलेसा, णीललेसा, काउलेसा १।तओ लेसाओ सुब्मिगंधातो पन्नत्ताओ, तंजहा-तेऊलेसा, पम्हलेसा, सुक्कलेसा २। एवं दोग्गतिगामिणीओ ३, सोग्गतिगामिणीओ ४, संकिलिट्ठाओ५, असंकिलिवाओ६, अमणुनाओ७,मणुनाओ८, अविसुद्धाओ ९, विसुद्धाओ १०, अप्पसत्थाओ ११, पसत्थाओ १२, सीतलुक्खाओ १३, णिद्धण्हाओ १४ ।। सू० २२१ ॥ तिविहे मरणे पन्नत्ते, तंजहा–बालमरणे, पंडियमरणे, बालपंडियमरणे १। बालमरणे तिविहे पन्नत्ते, तंजहाठितलेसे, संकिलिट्ठलेसे, पज्जवजातलेसे २। पंडियमरणे तिविहे पन्नत्ते, तंजहा-ठितलेसे, असंकिलिट्ठलेसे, पज्जवजातलेसे ३। बालपंडितमरणे तिविधे पन्नत्ते, तंजहा-ठितलेस्से, असंकिलिट्ठलेसे, अपज्जवजातलेसे ४ // સૂ૦ ૨૨૨ .. (મૂળ) ત્રણ વેશ્યાઓ દુર્ગધવાળી છે, તે આ પ્રમાણે-કૃષ્ણ, નીલ અને કાપીત ૧, ત્રણ લેક્ષાઓ સુગંધવાળી કહેલી છે, તે આ પ્રમાણે–તેજોલેશ્યા, પડ્યૂલેશ્યા અને શુક્લલેશ્યા ૨, એવી રીતે પહેલી ત્રણ લેયાઓ દુર્ગતિમાં લઈ જનારી છે ૩, પાછલી ત્રણ વેશ્યાઓ સુગતિમાં લઈ જનારી છે ૪, પહેલી ત્રણ લેશ્યાઓ સંક્લિષ્ટ–અશુભ અધ્યવસાયના હેતુભૂત છે ૫, છેલ્લી ત્રણ વેશ્યાઓ અસંક્લિષ્ટ-શુભ અધ્યવસાયના હેતુભૂત છે ૬, પહેલી ત્રણ વેશ્યાઓ અમનોજ્ઞમાઠા રસવાળી છે ૭, છેલ્લી ત્રણ વેશ્યાઓ મનોજ્ઞ–સારા રસવાળી છે ૮, પહેલી ત્રણ વેશ્યાઓ અવિશુદ્ધ-ખરાબ વર્ણવાળી છે , છેલ્લી ત્રણ વેશ્યાઓ સારા વર્ણવાળી છે ૧૦, પહેલી ત્રણ વેશ્યાઓ અપ્રશસ્ત-અકલ્યાણ કરનારી છે ૧૧, છેલ્લી ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત-કલ્યાણ કરનારી છે ૧૨, પહેલી ત્રણ વેશ્યાઓ શીત અને રુક્ષ સ્પર્શવાળી છે 1. રાગદ્વેષાદિ જેઓને ઉપશાંત થયેલ હોય એવા મુનિઓ ઉપચારથી જિન કહેવાય છે. સિદ્ધાંતમાં પણ નિયો ઇત્યાદિ વિશેષણ આપેલ છે, પરંતુ બીજા સંભવે નહિ કેમ કે ઉપચાર પણ યોગ્ય સ્થાનમાં કરાય છે. 284
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy