________________
३ स्थानकाध्ययने उद्देशः ४ चक्षुस्वरूपम् २११ - २१३ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અને ૩ ત્રણ ચક્ષુ (અહિં ચક્ષુ શબ્દથી ચક્ષુવાળા સમજવા). છદ્મસ્થ મનુષ્ય (વિશિષ્ટ જ્ઞાન-ચક્ષુ રહિત હોવાથી) એક ચક્ષુવાળો છે, દેવ બે ચક્ષુવાળા છે (ચક્ષુરિંદ્રિય અને અવધિજ્ઞાન સહિત હોવાથી) અને ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શનને ધરનાર એવો તથારૂપશ્રમણ-માહણ ત્રણ ચક્ષુવાળો કહેવાય. (તે આ પ્રમાણે—૧ દ્રવ્યનેત્ર, ૨ પરમશ્રુત અને ૩ અવધિજ્ઞાનરૂપ નેત્ર). ૨૧૨॥
ત્રણ પ્રકારે અભિસમાગમ (વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણવું) કહેલ છે, તે આ પ્રમાણે—ઊંચો, નીચો અને તિર્થ્રો અભિસમાગમ છે અર્થાત્ ઊર્ધ્વ લોકાદિ પ્રત્યે જાણે છે. જ્યારે તથારૂપ (શ્રુતચારિત્ર યુક્ત) શ્રમણ-માહણને અતિશેષ પરમાધિરૂપી જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે તે સાધુ પહેલાં ઊર્ધ્વલોકને જાણે છે, ત્યારપછી તિર્ઝા લોકને જાણે છે, ત્યારબાદ અધોલોકને જાણે છે. હે આયુષ્મન્ શ્રમણ! તે મુનિને અધોલોકનું જ્ઞાન દુષ્કર છે માટે અધોલોકને છેલ્લું જાણે છે. II૨૧૩/
(ટી૦) 'તિવિદ્દે' ફત્યાર્િ૦ ૫૨માણુ વગેરે પુદ્ગલોનો પ્રતિઘાત–ગતિની સ્ખલના તે પુદ્ગલપ્રતિઘાત છે. ૧ સૂક્ષ્મ અણુરૂપ પુદ્ગલ તે પરમાણુપુદ્ગલ, તે બીજા પરમાણુને પામીને અટકે–ગતિની સ્ખલના થાય, ૨ લૂખાપણાથી અથવા તથાવિધ બીજા પરિણામ દ્વારા ગતિથી સ્ખલના પામે, ૩ લોકના અંતમાં અટકે, કેમકે ત્યાંથી આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે. II૨૧૧॥
પુદ્ગલના પ્રતિઘાતને ચક્ષુવાળો જ જાણે છે, માટે ચક્ષુનું નિરૂપણ કરવા માટે કહે છે—'તિવિદે' ત્યા॰િ સુગમ છે. ચક્ષુ–નેત્ર, તે દ્રવ્યથી આંખ અને ભાવથી જ્ઞાન, તે છે જેને તે તેના યોગથી 17ક્ષુન અર્થાત્ ચક્ષુવાળો જાણવો. ચક્ષુની સંખ્યાના ભેદથી તે ત્રણ પ્રકારે છે. તેમાં એક ચક્ષુ છે જેને તે એકચક્ષુ, એવી રીતે દ્વિચક્ષુ અને ત્રિચક્ષુ પણ જાણવા. છાવ્યતીતિ॰ છદ્મજ્ઞાનાવરણીયાદિ (કર્મ)માં જે રહે છે તે છદ્મસ્થ, તે જો કે જેને કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થયું તેવા બધાય કહેવાય છે તો પણ અહિં અતિશયવાળા શ્રુતજ્ઞાનાદિ રહિત વિવક્ષિત છે, આ હેતુથી એક ચક્ષુ, ચક્ષુરિંદ્રિયની અપેક્ષાએ છે. દેવ, ચક્ષુરિંદ્રિય અને અવધિજ્ઞાન વડે બે ચક્ષુવાળા છે. આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ છે શ્રુત અને અવધિરૂપ જ્ઞાન તેમજ અવધિદર્શનને જે ધારણ કરે છે તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર કહેવાય, એવો જે મુનિ તે ત્રિચક્ષુ અર્થાત્ ૧ ચક્ષુરિંદ્રિય, ૨ પ૨મશ્રુત અને ૩ પરમાધિ વડે પૂર્વોક્ત કથન યોગ્ય થાય, તે જ સાક્ષાત્ની માફક હેય અને ઉપાદેય સમસ્ત વસ્તુને જાણે છે. અહિં કેવલીનું વ્યાખ્યાન કર્યું નથી. કેવલજ્ઞાન અને દર્શનરૂપ બે ચક્ષુની કલ્પનાનો સંભવ છતે પણ ચક્ષુરિંદ્રિયલક્ષણ ચક્ષુના ઉપયોગનો અભાવ હોવાથી અસત્કલ્પના વડે તેને ત્રણ ચક્ષુ વિદ્યમાન નથી, એમ કરીને કેવલીનું ગ્રહણ કરેલ નથી. દ્રવ્યંદ્રિયની અપેક્ષાએ તો તે પણ (કેવલી પણ) વિરુદ્ધ નથી અર્થાત્ ત્રિચક્ષુ ઘટી શકે છે. I૨૧૨॥
હમણાં જ ચક્ષુવાળાનું વર્ણન કર્યું, તેને અભિસમાગમ–વસ્તુનું જાણવું થાય છે તે હેતુથી તેને દિશાના ભેદ વડે વિભાગ કરતા થકા કહે છે—'તિવિદ્દે' ત્યાદ્રિ 'અમિ'-અર્થને સન્મુખપણાએ પરંતુ વિપર્યાસ-વિપરીતપણાએ નહિ, 'સમ્'— યથાર્થ, પરંતુ સંશયપણાએ નહિં, તથા 'જ્ઞ'—મર્યાદા વડે ગમન—જાણવું તે અભિસમાગમ અર્થાત્ વસ્તુનું જ્ઞાન. અહિં જ (દિશામાં) જ્ઞાનના ભેદને કહે છે—'નયા ।' મિત્યાર્િ॰ 'અજ્ઞેસ' ત્તિ॰ શેષ–બાકીના છદ્મસ્થ જ્ઞાનોનું ઉલ્લંઘન કરનારું અતિશેષ, તે જ્ઞાન દર્શન ૫૨માવધિરૂપ જણાય છે—ઘટી શકે છે, કારણ કે કેવલજ્ઞાનનો ઊર્ધાદિક્રમ વડે ઉપયોગ ન હોય, જેને લઈને તત્પ્રથમતયેત્યાદ્રિ સૂત્ર નિર્દોષ થાય. ૫૨માવધિવાળાના ઉત્પન્ન થયેલ જ્ઞાનાદિની પ્રથમતા, તે પ્રથમપણામાં 'નવ્રુતિ' ઊર્ધ્વલોકને જાણે છે, ત્યારપછી તિર્હાલોકને અને ત્યારબાદ ત્રીજા સ્થાનમાં અધોલોકને જાણે છે. એવી રીતે સામર્થ્યથી પ્રાપ્ત થયેલ અધોલોક દુઃખપૂર્વક ક્રમ? વડે છેવટમાં જાણવા યોગ્ય હોવાથી જાણી શકાય તેમ છે. હે આયુષ્મનું શ્રમણ! આ શિષ્યને આમંત્રણરૂપ છે. II૨૧૩||
1. અહિં નાતુમ્ પ્રત્યયનો લોપ હોવાથી મૂલસૂત્રમાં ચક્ષુષ્માનને બદલે ચક્ષુ શબ્દ છે. 2. અહિં ક્રમશઃ ઊર્ધ્વલોકાદિનું જાણવાનું કહેલું છે તેનું કારણ એ કે ક્ષાયોપશમિક જ્ઞાન હોય છે.
279