________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
__३ स्थानकाध्ययने उद्देशः ४ प्रत्यनिकाः २०७-२०८ सूत्रे પ્રત્યેનીક કહેલ છે, તે આ પ્રમાણે–સૂત્રપ્રત્યેનીક, અર્થ તે નિયુક્તિ અને ટીકાદિકનો પ્રત્યેનીક અને તે બન્નેનો
પ્રત્યેનીક તે તદુભયપ્રત્યનીક ૬, l/૨૦૮ (ટી) નેફાન' મિત્ય િદંડક સુગમ છે. વિશેષ એ કે—'વં સબવાન' તિ જેમ અસુરકુમારોને ત્રણ શરીર છે એમ જ નાગકુમારાદિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને છે. એમ વાડાફવજ્ઞા' તિ વાયુને આહારક સિવાય ચાર શરીરો છે માટે તેનું વર્જન જણાવ્યું છે. એમ પંચેદ્રિયતિર્યંચોને પણ ચાર શરીર છે, મનુષ્યોને તો પાંચ શરીર પણ હોય છે માટે તે અહિં બતાવેલ નથી. આચારની સ્થિતિનું ઉલ્લંઘન કરનારાઓ તો પ્રત્યેનીક પણ હોય છે માટે તેઓને કહે છે. 'ગુરુ' મિત્કારિ છ સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે–તત્ત્વને જે કહે તે ગુરુ, તેને આશ્રયીને પ્રત્યેનીક એટલે પ્રતિકૂલ. વિર-જાત્યાદિ વડે. એઓની પ્રત્યનીતા આ પ્રમાણે જાણવી– जच्चाईहि अवन्नं, विभासइ वट्टइ न यावि उववाए । अहिओ छिद्दप्पेही, पगासवादी अणणुलोमो ।।२४१।।
વૃિદ૦ ૨૩૧]. જાતિ, કુલ વગેરેનો દોષ કાઢીને અવર્ણવાદ બોલે, સેવામાં વર્તતો નથી, અનુચિત કરે છે, છિદ્ર જુએ છે, બીજાની સમક્ષ ગુરુના દોષને કહે છે તથા ગુરુથી પ્રતિકૂલ રહે છે. (૨૪૧)
अहवा वि वए एवं, उवएसं परस्स देंति एवं तु । दसविहवेयावच्चे, कायव्व सयं न कुव्वंति ॥२४२।।
અથવા એવી રીતે પણ બોલે છે-બીજાને ઉપદેશ આ પ્રમાણે આપે છે કે–દશ પ્રકારનું વૈયાવૃત્ય કરવું પરંતુ પોતે કરતા નથી. (૨૪૨)
ગતિ–મનુષ્યપણા સંબંધી વગેરે, તેમાં આ લોકનો-પ્રત્યક્ષ મનુષ્યત્વ લક્ષણપર્યાયનો પ્રત્યેનીક એટલે ઇંદ્રિયના અર્થને પ્રતિકૂલતા કરનાર હોવાથી પંચાગ્નિ તપસ્વીની માફક આલોકપ્રત્યેનીક, પરલોક-જન્માંતર પ્રત્યે પ્રત્યેનીક એટલે ઈદ્રિયના અર્થમાં તત્પર [વિષયસુખલંપટ], બંને પ્રકારના લોકો પ્રત્યેનીકચોરી વગેરે વડે ઈદ્રિયના અર્થ (ભોગ) સાધવામાં તત્પર. અથવા બીજી રીતે જણાવે છે કે–આ લોકમાં ઉપકારી પુરુષોના ભોગસાધનાદિને ઉપદ્રવ કરનાર તે આલોકપ્રત્યેનીક, એવી રીતે જ્ઞાનાદિને ઉપદ્રવ કરનાર તે પરલોકપ્રત્યનીક અને બન્નેને ઉપદ્રવ કરનાર તે ઉભયલોકપ્રત્યનીક. અથવા આ લોક તે મનુષ્ય લોક, પરલોક નારકાદિ અને ઉભયલોક એટલે બન્ને. પ્રત્યેનીકતા તો તેની વિપરીત પ્રરૂપણામાં છે. કુલચાંદ્રાદિક, તે કુલોનો સમૂહ તે ગણ-કોટિકાદિ, તે ગણોના સમૂહ તે સંઘ. પ્રત્યેનીકપણું તો એઓના અવર્ણવાદ કહેવા વડે જાણવું. લક્ષણ આ પ્રમાણે– एत्थ कुलं विनेयं, एगायरियस्स संतई जा उ । तिण्ह कुलाण मिहो, पुण सावेक्खाणं गणो होइ ।।२४३॥
એક આચાર્યની સંતતિ (શિષ્યાદિ પરંપરા) તે કુલ, જેમ વજસેન આચાર્યની સંતતિ તે ચંદ્રકુલ. તથા અહિં પરસ્પર સાપેક્ષ ત્રણ કુલનો ગણ હોય છે. (૨૪૩).
सव्वोऽवि नाणदंसण-चरणगुणविभूसियाण समणाणं । समुदायो पुण संघो, गुणसमुदाओ त्ति काऊणं ।।२४४।।
જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ વડે વિભૂષિત બધા ય સાધુઓનો સમુદાય તે સંઘ કહેવાય છે, કેમ કેં ગુણોનો સમુદાય તે સંઘ છે એમ કરીને અર્થાત્ ગુણ વગર સંઘ ન કહેવાય. (૨૪૪)
"માનુત્તો સંયો" રૂતિ વવનાત્ "મનુષ્પાસહાયને આશ્રયીને તપસ્વી-ક્ષપક, ગ્લાન-રોગાદિ વડે અસમર્થ, શૈક્ષ-નવીન દીક્ષિત, આ બધા ય મદદ કરવા યોગ્ય હોય છે. તેઓને મદદ ન કરવાથી તથા બીજા વડે ન કરાવવાથી પ્રત્યનીકતા (શત્રુતા) છે. ભાવ એટલે પર્યાય, તે જીવ અને અજીવ સંબંધી, તેમાં જીવનો પ્રશસ્ત (રુડો) અને અપ્રશસ્ત (માઠો) ભાવ છે. ત્યાં પ્રશસ્ત ક્ષાયિકાદિ ભાવ અને અપ્રશસ્ત ભાવવિવક્ષા વડે ઔદયિક ભાવ છે. વળી ક્ષાયિકાદિ ભાવ જ્ઞાનાદિરૂપ છે, તેથી ભાવ-જ્ઞાનાદિને આશ્રયીને તેઓની વિપરીત પ્રરૂપણા કરવાથી અથવા દોષ આપવાથી પ્રત્યેનીક થાય છે. કહ્યું છે કે[276