SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ कल्पस्थितिः २०६ सूत्रम् છે, શિશિર–શિયાળામાં ઉત્કૃષ્ટથી ચાર, મધ્યમથી ત્રણ અને જઘન્યથી બે ઉપવાસ, તથા ગ્રીષ્મ−ઉનાળામાં ઉત્કૃષ્ટથી અટ્ટમ, મધ્યમથી છઠ્ઠ અને જઘન્યથી એક ઉપવાસ કરે છે. પારણે આંબેલ કરે છે. તથા સાત પિંડૈષણામાં પહેલી બે છોડીને પાંચનું ગ્રહણ હોય છે, તેમાં પણ એક ભક્તમાં અને એક પાણીમાં ગ્રહણ કરવાનો વિવક્ષિતાદિને અભિગ્રહ હોય છે. (૨૩૪–૨૩૫) 'નિર્વિષ્ટા'—સેવેલ વિવક્ષિત ચારિત્રવાળા અર્થાત્ અનુપરિહારકો. તેના કલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવી–દ૨૨ોજ આંબિલ માત્ર તપ અને ભિક્ષામાં પહેલી બે પિંડૈષણા છોડીને શેષ પાંચનું ગ્રહણ, તેમાં પણ એક અમુક ભક્તની ને એક પાણીની એમ બે વિવક્ષિત ગ્રહણ કરે; શેષ નહિં. કહ્યું છે કે— कप्पट्ठिया वि पइदिण, करेंति एमेव चायामं ॥ २३५ ।। કલ્પમાં રહેલા પણ એવી રીતે જ પ્રતિદિન આંબિલ કરે છે. (૨૩૫) તેઓનો-પરિહારવિશુદ્ધિકોનો નવ જણાનો ગણ (સમુદાય) હોય છે. તે આ પ્રકારે હોય છે— सव्वे चरित्तवंतो उ, दंसणे परिनिट्ठिया । नवपुव्विया जहन्त्रेणं, उक्कोसा दसपुव्विया || २३६ ।। [ बृहत्क० ६४५४ ] पंचविहे ववहारे, कप्पंमि दुविहंमि य । दसविहे य पच्छित्ते, सव्वे ते परिनिट्टिया || २३७ ।। [ बृहत्क० ६.४५५ ] તે સર્વે નિર્વિશમાનકો અને નિર્વિષ્ટકાયિકો-પરિહારવિશુદ્ધિકો સમ્યક્ત્વમાં પરિનિષ્ઠિત અર્થાત્ નિશ્ચલ સમૃકિતવાળા હોય છે, જઘન્યથી નવ પૂર્વવાળા એટલે નવમા પૂર્વની ત્રીજી વસ્તુના અધ્યયનવાળા અને ઉત્કૃષ્ટથી દશ પૂર્વી હોય છે તથા પાંચ પ્રકારના વ્યવહારમાં, અવસ્થિત અને અનવસ્થિત એ બે પ્રકારના કલ્પમાં તેમજ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પરિનિષ્ઠિત 1દક્ષ હોય છે. (૨૩૬-૨૩૭) જિન એટલે ગચ્છથી નીકળેલ સાવિશેષોં, તેઓના કલ્પની સ્થિતિ તે જિનકલ્પસ્થિતિ. તે આવી રીતે—જઘન્યથી પણ નવમા પૂર્વની ત્રીજી વસ્તુનો અભ્યાસ છતે, ઉત્કૃષ્ટથી તો દશ પૂર્વ કંઈક ન્યૂન હોતે છતે, પ્રથમ સંહનન છતે, તથા દિવ્યાદિ ઉપસર્ગ અને રોગની વેદનાને જે સહી શકે છે તે જિનકલ્પ સ્વીકારે છે. તે એકાક્રી જ હોય છે. દશ ગુણયુક્ત સ્થંડિલમાં જ ઉચ્ચારાદિ અને જીર્ણ વસ્ત્રાદિને ત્યજે છે, અને વસતિ સર્વ ઉપાધિ રહિત વિશુદ્ધ હોય છે, ભિક્ષાચર્યા ત્રીજી પોરસીમાં હોય છે, પાછલી પાંચ પિંડૈષણામાં એક જ (અભિગ્રહ કરેલી) કલ્પ છે, વિહાર માસકલ્પવડે, તે જ વીથીમાં (શેરીમાં) છઢે દિને ભિક્ષાટન હોય છે—આ પ્રમાણે આ મર્યાદા 'સુવસંધયો' ત્યાાિર્ ગાથાના સમૂહથી કલ્પ (ભાષ્ય)માં કહેલ છે ત્યાંથી જાણવી. કહ્યું છે કે— गच्छम्मि य निम्माया, धीरा जाहे य गहियपरमत्था । अग्गह जोग अभिग्गहे, उवेंति जिणकप्पियचरितं ॥ २३८ ॥ [ગૃહ° ૬૪૮૩] ગચ્છમાં નિર્માતા–ક્રિયાશિક્ષાદિકમાં નિપુણ, બુદ્ધિમાન અથવા પરિષહાદિકમાં નિશ્ચલ તથા ગ્રહણ કરેલ ૫૨માર્થવાળા અને અગ્રાહ્યા એટલે બે પિંડૈષણા નહિં ગ્રહણ કરવા લાયક અને શેષ પાંચ પિંડૈષણા સંબંધી બેના યોગમાં બેની મધ્યે એકનો જ યોગ એટલે વ્યાપાર જ્યારે હોય છે ત્યારે જિનકલ્પિક ચારિત્રને સ્વીકારે છે. (૨૩૮) धिइबलिया तवसूरा, निंती गच्छाउ ते पुरिससीहा । बलवीरियसंघयणा, उवसग्गसहा अभीरुया ।। २३९ ।। [बृहत्क० ६४८४ त्ति] ધૈર્યબલવાળા અને તપમાં શૂરા-છમાસ પર્યંત તપ કરનારા તે પુરુષ સિંહો ગચ્છમાંથી નીકળે છે, વળી બલ, વીર્ય અને સંઘયણ (મજબૂત)વાળા, ઉપસર્ગ સહન ક૨વાવાળા તથા ભયરહિત હોય છે. (૨૩૯) 1. પરિહારવિશુદ્ધિકોનો નવ વ્યક્તિનો ગણ હોય છે. તેમાં ચાર તપ કરનારા, ચાર વૈયાવૃત્ત્વ કરનારા અને એક વાચનાચાર્ય હોય છે. તેવી રીતે છ માસ પર્યન્ત તપ કર્યા બાદ જે ચાર જણા વૈયાવૃત્ત્વ કરનારા હોય છે તે તપ કરે અને તપ કરનારા વૈયાવચ્ચ કરે એમ છ માસ કર્યા પછી વાચનાચાર્ય તપ કરે અને શેષ આઠ વૈયાવૃત્ય કરે. આવી રીતે અઢાર માસ સુધી આ તપ ચાલે છે. 274
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy