SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ४ कल्पस्थितिः २०६ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ મહાવિદેહના સાધુઓને હોતા નથી. (૨૨૮) તેમાં અચલકપણું આ પ્રમાણે જાણવુંदुविहो होइ अचेलो, असंतचेलो य संतचेलो य । तत्थ असंतेहिं जिणा, संताऽचेला भवे सेसा ॥२२९।। વૃિદ૦ ૬૬]. બે પ્રકારે અચેલક હોય છે, તે આ–વસ્ત્ર રહિત અને વસ્ત્ર સહિત. તેમાં તીર્થકરો વસ્ત્ર રહિત હોતે છતે 'અચલક હોય છે. અને બીજા સાધુઓ (તીર્થકર સિવાયના) વસ્ત્ર હોતે છતે અચેલક કહેવાય છે. सीसावेढियपोत्तं, नइउत्तरणंमि नग्गयं बेंति । जुन्नेहिं नग्गियऽम्हि, तुर सालिय! देहि मे पोत्तिं ॥२३०॥[बृहत्क० ६३६६] जुन्नेहिं खंडिएहिं, असव्वतणुयाउएहिं ण य णिच्चं। संतेहि वि णिग्गंथा, अचेलया होंति चेलेहि।।२३१।। बृहत्क० ६३६७] વસ્ત્ર છતાં પણ અચેલકપણે મુનિને કેમ હોય તેના ઉપર દૃષ્ટાંત કહે છે–મસ્તક ઉપર વસ્ત્ર વીંટીને નદી ઉતરતે જીતે લોકો તેને નગ્ન કહે છે અથવા “હે શાલિક! જૂના વસ્ત્ર ધારણ કર્યું છતે હું નગ્ન છું માટે તરત મને નવા વસ્ત્ર બનાવી આપ.” જૂનાં, ફાટેલ, તૂટેલ, સર્વ અંગો નહિં ઢંકાય અને સર્વદા નહિં એવા વસ્ત્ર ધારણ કર્યો છતે નિગ્રંથો અચેલક હોય છે ઇત્યાદિ. (૨૩૦-૨૩૧) પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાપન કરવું અર્થાત્ આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય. વ્યક્તિથી સ્પષ્ટથી) મહાવ્રતનું આરોપણ કરવું એવો અર્થ છે. તે પ્રથમ અને છેલ્લા તીર્થમાં જ છે; બાકીની વ્યુત્પત્તિ તેમજ છે અને તેની મર્યાદા કહેલ લક્ષણવાળા દશ સ્થાનકમાં (દશ કલ્પમાં) અવશ્ય પાલન કરવારૂપ લક્ષણવાળી છે. તે આ પ્રમાણે– दसठाणठिओ कप्पो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । एसो धुयरयकप्पो, दसठाणपइट्ठिओ होइ ।।२३२॥ . વૃિદd૦ ૬૩૬૨] દશ સ્થાનમાં રહેલ કલ્પ-આચાર પુરિમ-પહેલા અને પશ્ચિમ-છેલ્લા જિનના તીર્થમાં છેદોપસ્થાપનીય સાધુઓને હોય છે. આ ધુતરજ કલ્પ એટલે પાપનો નાશ કરનાર આચાર દશ સ્થાનમાં પ્રતિષ્ઠિત હોય છે. (૨૩૨) आचेल १ क्कुद्देसिय, २ सिज्जायर ३ रायपिंड ४ किइकम्मे ५। वय ६ जेट्ट७ पडिक्कमणे ८, मासं ९ पज्जोसवणकप्पे १० ॥२३३।। [बृहत्क० ६३६४] ૧ આચેલક્ય, ૨ ઔદેશિક, ૩ શય્યાતરપિંડ, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ, ૬ મહાવ્રત, ૭ પુરુષજ્યેષ્ઠ, ૮ પ્રતિક્રમણ, ૯ માસકલ્પ અને ૧૦ પર્યુષણાકલ્પ-આ દશ કલ્પ છે. (૨૩૩). નિર્વિશમાનો-જે પરિહારવિશુદ્ધિ તપને આચરે છે તે પરિહારકો એવો અર્થ છે. તેઓના કલ્પમાં સ્થિતિ આ પ્રમાણે હોય છે—ગ્રીષ્મ, શીત અને વર્ષાકાળમાં ક્રમથી જઘન્ય ચોથભક્ત, છઠ્ઠ, અટ્ટમ, મધ્યમ છઠ્ઠ વગેરે અને ઉત્કૃષ્ટ અટ્ટમ વગેરે તથા પારણે આંબેલ જ હોય છે. તથા સાત પિંડેષણા પૈકી પહેલી બેનો અભિગ્રહ જ હોય છે અને પાછલી પાંચમાં પણ એકવડે પાણી લેવું એવી રીતે બેનો અભિગ્રહ હોય છે. કહ્યું છે કે – बारस १ दस २ अट्ठ ३ दस १४ २, छट्ठ ३ अटेव १ छट्ठ २ चउरो य ३ । ૩ોત-પબ્લેિમ-ન' ૩ વાતા–તિર-જિહે ર૩૪ [વૃદd ૬૪૭૨] पारणगे आयामं पंचसु गहो दोसुऽभिग्गहो भिक्खे । પરિહારવિશુદ્ધિક મુનિ વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ, મધ્યમથી ચાર ઉપવાસ અને જઘન્યથી ત્રણ ઉપવાસ કરે 1. ઇંદ્ર આપેલ દેવદૂષ્ય અને જ્યાં સુધી તીર્થકરો ધારણ કરે છે ત્યાં સુધી તે સચેલક હોય છે કારણ તે બહુમૂલ્યવાળું વસ્ત્ર હોય છે. દેવદૂષ્યનો અભાવ થયા પછી તીર્થંકરો અચેલક હોય છે. બીજા મુનિઓ તો શ્વેત, જીર્ણપ્રાય, અલ્પ મૂલ્યવાળા તથા માનોપેત વસ્ત્રને ધારણ કરતા છતાં પણ અચેલક હોય છે. 273 *
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy