SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ कल्पस्थितिः २०६ सूत्रम् માનુષોત્તર વગેરે (પર્વતો) મોટા કહ્યા માટે મહત્તા અધિકારથી અતિમહત્ પ્રત્યે કહે છે 'તો મહર્ફ' ત્યાવિ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે—અતિમહાંત એવા જે આલયો–આશ્રયો તે અતિમહાલયો. મહાંત એવા અતિમહાલયો તે મહાતિમહાલયો. અથવા લય આ શબ્દનો સ્વાર્થિક પ્રત્યય હોવાથી મહાતિમહાંત એવો અર્થ છે. મહત્ શબ્દનું બે વાર ઉચ્ચારણ તો મેરુ વગેરેનું સર્વથી મોટાઈપણું દર્શાવવારૂપ કથન માટે છે અથવા આ વ્યુત્પત્તિ રહિત અતિમહત્ અર્થમાં વર્તે છે. 'મંસુ' ત્તિ॰ મેરુની મધ્યે જંબુદ્રીપનો મેરુ. તે કાંઈક અધિક લાખ યોજન પ્રમાણ છે અને શેષ ચાર મેરુ કાંઈક અધિક પંચાશી હજાર યોજન પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળો છે. તે દ્વીપ સમુદ્રોનું અને સ્વયંભૂરમણનું અનુક્રમે કાંઈક ન્યૂન એક રજ્જુ તથા બંને બાજુ મળીને કાંઈક અધિક અર્ધરાજ પ્રમાણ છે. બ્રહ્મલોક તો મહાન છે તે પ્રદેશમાં લોકનો વિસ્તાર પાંચ રાજપ્રમાણ છે તે પ્રમાણથી બ્રહ્મલોકનું વિવક્ષિતપણું છે. ૨૦૫॥ અનંતર બ્રહ્મલોક નામનો કલ્પ કહ્યો, માટે કલ્પ શબ્દના સમાનપણાથી કલ્પની સ્થિતિનું ત્રણ પ્રકારે વર્ણન કરે છે— तिविधा कप्पठिती पन्नत्ता, तंजहा - सामाइयकप्पठिती, छेदोवद्वावणियकप्पट्ठिती, निव्विसमाणकप्पट्ठिती ३ । અહવા તિવિહા ખદ્વિતી પદ્મત્તા, તંના-શિબિંદવબદ્ધિતી, નિાતિતી, ઘેર ધ્વનિતી ।। સૂ॰ ૨૦૬/ (મૂળ) ત્રણ પ્રકારે કલ્પ (આચાર)ની સ્થિતિ કહેલ છે, તે આ પ્રમાણે—સામાયિકકલ્પસ્થિતિ, છેદોપસ્થાપનીયકલ્પસ્થિતિ અને નિર્વિશમાનકલ્પસ્થિતિ એટલે પરિહારવિશુદ્ધિ તપ કરનારાની સ્થિતિ (મર્યાદા). અથવા ત્રણ પ્રકારે કલ્પની સ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે—નિર્વિષ્ટલ્પસ્થિતિ એટલે અનુપરિહારિકની સ્થિતિ અર્થાત્ પરિહારવિશુદ્ધિ ચારિત્રને પાલન કરેલાની સ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને સ્થવિકલ્પસ્થિતિ. ૨૦૬ (ટી૦) બે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે—ન એટલે જ્ઞાનાદિ તેઓનો આય લાભ તે સમાય, તે જ સામાયિક અર્થાત્ સંયમ વિશેષ, તેનો અથવા તે જ કલ્પ-આચાર કરવો. કહ્યું છે કે—સામર્થ્ય વળનાયાં ૨ રો છેવને તથા । સૌપયે પાધિવાસે ૨ પશ વિત્તુનુંધાઃ ।।—સામર્થ્યમાં, વર્ણનમાં, કરણમાં, છેદનમાં, ઉપમામાં અને નિવાસમાં કલ્પ શબ્દને પંડિતો કહે છે. એવી રીતે સામાયિક કલ્પ જાણવો. તે પ્રથમ અને છેલ્લા તીર્થના સાધુઓને અલ્પ કાલ છે કારણ કે તે વખતે છેદોપસ્થાપનીયનો સદ્ભાવ હોય છે. મધ્યના બાવીશ તીર્થના સાધુઓમાં અને મહાવિદેહમાં તો યાવત્કથિત [કાયમ] છે કારણ કે તે સમયે છેદોપસ્થાપનીયનો અભાવ હોય છે. તેની એવી રીતે સ્થિતિ અથવા તેમાં સ્થિતિમર્યાદા તે સામાયિકકલ્પસ્થિતિ. તે ૧ શય્યાતર પિંડના પરિહારમાં છે. ૨ ચતુર્થાંમ–(ચાર મહાવ્રત)ના પાલનમાં, ૩ પુરુષના જ્યેષ્ઠત્વમાં (મોટાઈમાં) અને ૪ વંદનકદાન (વાંદણાં દેવામાં) નિયમિત લક્ષણવાલી છે. ૧ શુક્લ-ધોળા અને પ્રમાણોપેત વસ્ત્રની અપેક્ષાએ જે અચેલકપણું છે તેમાં, ૨ આધાકર્મિક આહાર વગેરેના ગ્રહણમાં, ૩ રાજપિંડગ્રહણમાં, ૪ પ્રતિક્રમણ કરવામાં, ૫ માસકલ્પ ક૨વામાં અને ૬ પર્યુષણકલ્પ કરવામાં અનિયમિત–લક્ષણ મર્યાદાવાળી છે. કહ્યું છે કે— सिज्जायरपिंडे या १, चाउज्जामे य २ पुरिसजेट्ठे य ३ । किइकम्मस्स य करणे ४, चत्तारि अवट्ठिया कप्पा ||२२७।। [ગૃહ૦ ૬૩૬] ૧ શય્યાતરપિંડ, ૨ ચતુર્યામ, ૩ પુરુષજ્યેષ્ઠ અને ૪ કૃતિકર્મ (વાંદણાં) કરવામાં ચાર અવસ્થિત કલ્પો છે અર્થાત્ આ ચોવીશે જિનના તથા મહાવિદેહના સાધુઓને પણ નિયત છે. (૨૨૭) आचेलु १ क्कुद्देसिय २, सपडिक्कमणे य ३ रायपिंडे य ४ । मासं ५ पज्जोसवणा ६, छप्पेअणवट्ठिया कप्पा ॥२२८ ।। [બૃહ૦ ૬૨૬૨] ૧ આચેલક્ય (અચેલપણું), ૨ ઔદેશિક, ૩ સપ્રતિક્રમણ, ૪ રાજપિંડ, ૫ માસકલ્પ અને ૬ પર્યુષણાકલ્પ—આ છએ કલ્પો અનવસ્થિત છે, કારણ તે પહેલા તથા છેલ્લા તીર્થના સાધુઓને જ હોય છે પણ મધ્યના બાવીશ તીર્થના તથા 272
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy