________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ मंडलिका महालयाश्च २०४-२०५ सूत्रे બોધ કરાય છે તે દુઃસંજ્ઞાપ્યું. તેમાં દુષ્ટતત્ત્વ પ્રત્યે અથવા તત્ત્વના કથક પ્રત્યે તે કથન કરવા યોગ્ય નહિં, કારણ કે દ્વેષ વડે ઉપદેશનો સ્વીકાર ન થાય. એમ મૂઢ-ગુણ અને દોષને નહિ જાણનાર તેમજ વ્યાદિતઃ–ખોટો ઉપદેશ કરનાર વ્યક્તિ વડે દૃઢ કરાયેલ વિપરીતમતિ, તે પણ ઉપદેશને સ્વીકારે નહિં. કહ્યું છે કેपुव्वं कुग्गाहिया केई, बाला पंडियमाणिणो । नेच्छंति कारणं सोउं, दीवजाए जहा णरे ॥२१४॥ [बृहत्क० ५२२४ ति]
પૂર્વે સુગ્રહિત અને પોતાને પંડિત માનનારા એવા કેટલાએક બાલ (અજ્ઞાની) પુરુષો, દ્વીપમાં જન્મ પામેલ 'મનુષ્યની માફક કારણ સાંભળવાને પણ ઇચ્છતા નથી. (૨૧૪)
એઓનું સ્વરૂપ કલ્પથી તથા કથાકોશથી જાણી લેવું. આનાથી વિપર્યાસવાળાને સુસંજ્ઞાપ્ય કહે છે–'તો' ત્યાર ફુટ છે. ll૨૦૩||
પ્રજ્ઞાપનાને યોગ્ય પુરુષો કહ્યા, હવે તે પ્રજ્ઞાપનાને યોગ્ય ત્રણ સ્થાનકમાં અવતરનારી વસ્તુઓને કહે છે. तओ मंडलिया पव्वता पन्नत्ता, तंजहा-माणुसुत्तरे, कुंडलवरे, रुअगवरे ।। सू० २०४ ।। तओ महतिमहालया पन्नत्ता, तंजहा-जंबूहीवे मंदरे मंदरेसु, सयंभुरमणे समुद्दे समुद्देसुबंभलोए कप्पे कप्पेसु // સૂ૦ ૨૦૧il (મૂળ) ત્રણ પર્વત ચક્રવાલ ગઢની માફક કહેલા છે, તે આ પ્રમાણે–૧ માનુષોત્તર, ૨ કુંડલવર અને ૩ ચકવર પર્વત.
//ર૦૪ો. ત્રણ મહતિમહાલયો-મોટા આશ્રયો કહેલા છે, તે આ પ્રમાણે–૧ જંબૂદ્વીપનો મેરુ સર્વ મેરુપર્વતને વિષે મોટો છે, ૨
સ્વયંભૂરમણસમુદ્ર સર્વ સમુદ્રોને વિષે મહાનું છે, ૩ બ્રહ્મલોક નામનો દેવલોક સર્વ દેવલોકને વિષે મોટો છે. //ર૦પ (ટીવ) તો મંત્રિપ' ત્યાદ્રિ મંડલ એટલે ચક્રવાલ, તે છે જેઓને તે મંડલિકો-ગઢના વલયની જેમ રહેલા. મનુષ્યોથી અથવા મનુષ્ય ક્ષેત્રથી ઉત્તર-દૂર રહેલ તે માનુષોત્તર. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– पुक्खरवरदीव, परिखिवई माणुसुत्तरो सेलो । पायारसरिसरूवो, विभयंतो माणुसं लोग ।।२१५।। [द्वीपसागर० १]
પુષ્કરવરદ્વીપના અદ્ધને પરિક્ષેપીને (વીંટીને) માનુષોત્તરપર્વત, ગઢના જેવા રૂપવાળો, મનુષ્યલોકનો વિભાગ કરતો થકો રહેલ છે. (૨૧૫) सत्तरस एगवीसाइं, जोयणसयाइंसो समुव्विद्धो । चत्तारि य तीसाइं, मूले कोसंच ओगाढो ॥२१६।।[द्वीपसागर० २ ति]
તે માનુષોત્તર પર્વત સતસો ને એકવીશ યોજન ઊંચો અને ચારસો ત્રીશ યોજન ને એક કોશ જમીનમાં અવગાઢ (ઊંડો) છે. (૨૧૬) दस बावीसाइं अहे, विच्छिन्नो होइ जोयणसयाई । सत्त य तेवीसाइं, विच्छिन्नो होइ मझमि ।।२१७।। [द्वीपसागर० ३]
એક હજાર ને બાવીશ યોજન નીચે એટલે જમીનની સપાટીએ પહોળો છે અને મધ્યમાં સાતસો ને ત્રેવીશ યોજના પહોળો છે. (૨૧૭) चत्तारि य चउवीसे, वित्थारो होइ उवरि सेलस्स । अड्डाइज्जे दीवे, दो य समुद्दे अणुपरीइ ॥२१८॥ [द्वीपसागर० ४]
ચારસો ને ચોવીશ યોજન પર્વતના ઉપર વિસ્તાર (પહોળાઈ) હોય છે અને અઢીદ્વીપ તથા બે સમુદ્રના જેટલી પરિધિ 1. કોઈક વણિક પોતાની ગર્ભિણી સ્ત્રીની સાથે વહાણમાં બેસી સમુદ્રની મુસાફરીએ જતો હતો તેવામાં સમુદ્રમધ્યે વહાણ ભાંગ્યું. પાટિયાના
આધારે તે બંને કોઈક દ્વીપમાં ગયા. એ પુત્રને જન્મ આપ્યો. કાળાંતરે તે વણિક મૃત્યુ પામ્યો. તે પુત્ર મોટો થયો ત્યારે તે માતાની શિખામણથી માણસોને રાક્ષસ માની તેનાથી ભય પામવા લાગ્યો. કોઈક વખતે તે દ્વીપમાં કેટલાક માણસો આવ્યા. તેઓને જોઈ છોકરો નાસવા લાગ્યો. માણસોએ તેને ભયભીત ન થવા સમજાવ્યો છતાં પણ માતાના વચન વડે તે કુગ્રહિત હોવાથી તે માણસો પાસેથી પલાયન કરી ગયો. આ પુત્રની માફક જેઓ કુગુરુઓ વડે કુગ્રાહિત હોય તે તત્ત્વને કદાપિ સાંભળે નહીં.
270.