________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ४ अवाचनीयाः २०३ सूत्रम् ઇંદ્રિયથી ત્રણ પ્રકારે છે, ૫ ક્લીબ, ૬ વ્યાધિગ્રસ્ત (રોગી), ૭ ચોર, ૮ રાજદ્રોહી, ૯ ઉન્મત્ત–યક્ષ વગેરેના દોષથી ગાંડો થયેલ, ૧૦ અદર્શન–દૃષ્ટિ વગરનો (આંધળો) અથવા સ્થાનર્દ્રિ નિદ્રાના ઉદયવાળો, ૧૧ દાસ, ૧૨ દુષ્ટ-કષાય અને વિષય વડે દૂષિત, ૧૩ મૂઢ–વિવેક રહિત, ૧૪ ૠણાર્તા-કરજદા૨, ૧૫ જીંગિત-જાતિહીન, કર્મહીન અને અંગહીન, જાતિહીન ચંડાલાદિ અસ્પૃશ્ય, કર્મહીન–કસાઈ, મચ્છીમાર વગેરે અને અંગહીન–હાથ, પગ વગેરેથી હીન, ૧૬ અવબદ્ધક–વિદ્યાના દેનારા વગેરેની પાસે બંધાયેલ એટલે ‘અમુક સમય હું આપનો છું' એવો કરાર કરેલ હોય તે, ૧૭ ભૃતક-દ્રવ્ય વગેરે વડે જે આજીવિકા કરનાર અર્થાત્ ધનિકની પાસે અમુક સમય પર્યન્ત બંધાયેલ હોય તે અને ૧૮ શિષ્યનિષ્ફટિકા-માતપિતા વગેરેની સમ્મતિ સિવાય જે છૂપી રીતે દીક્ષા આપવી તે શિષ્યનિષ્ફટિકા. (૨૦૫-૨૦૬)
શિષ્યનિષ્ફટિકામાં મુનિને અદત્તાદાન લાગે તથા માતપિતાદિને 1કર્મબંધનો સંભવ થાય. ''મુØિળી વાતવચ્છા હૈં, પવ્વાવેૐ ન જવ્વફ'' [નિશીથ॰ રૂ૦૮] ત્તિ, 2ગર્ભવતી તથા બાલવત્સા-નાના (સ્તનપાન કરનાર) બાલકની માતાને દીક્ષા દેવી ન કલ્પે. 'વમ્' ત્યાદ્રિ જેમ આ ઉપર જણાવેલ દીક્ષાને માટે કલ્પે નહિં એમ એ બધાય કોઈ પ્રકારે પ્રપંચથી કે છેતરપીંડીથી દીક્ષા દેવાયા છતાં પણ મુંડન–મસ્તકનું લંચન કરવા વડે કલ્પે નહિં. કહ્યું છે કે—
पव्वाविओ सिय त्ति, मुंडावेउं अणायरणजोगो । अहवा मुंडाविंते, दोसा अणिवारिया पुरिमा ॥२०७॥
[तुलना बृहत्क० ५१९० इति ]
જો કદાચ દીક્ષિત હોય તો પણ મુંડન કરવા માટે આચરણ યોગ્ય નથી અથવા મુંડન થયે છતે આગળના દોષો અનિવારિત છે અર્થાત્ આગળના દોષો છે જ. એવી રીતે શિક્ષાને માટે—પ્રત્યુપેક્ષણ વગેરે સામાચારીને ગ્રહણ કરવા માટે, ઉપસ્થાપનાને માટે–મહાવ્રતોને વિષે વ્યવસ્થાપન ક૨વા માટે તથા સભ્યોવતુમ્—ઉપધિ વગેરે વડે વિભાગ ક૨વા માટે, એમ અનાભોગથી વ્યવહા૨ કરાયા છતાં પણ 'સંવાયિતુમ્'—પોતાની પાસે રહેવા માટે કલ્પે નહિં, એવો અનુક્રમ છે. II૨૦૨॥ કારણવશાત્ કોઈ પ્રકારે પાસે રાખ્યા છતાં પણ વાચનાને માટે તો અયોગ્ય જ છે અર્થાત્ વાચના તો આપવી જ નહિં. તે દર્શાવતાં કહે છે કે—
ततो अवायणिज्जा पन्नत्ता, तंजहा - अविणीए, विगतीपडिबद्धे, अविओसवितपाहुडे । तओ कप्पंति वातित्तते, तं નહા—વિની, અવિાતી ડિવ...,વિજ્ઞવિયપાક્રુડે તો ડુસન્નપ્પા પન્નત્તા, તંનહાવ્ય ુકે, મૂઢે, વુાહિતે। તો સુસશખા પદ્મત્તા, તંનહા-અકે, અમૂઢે, અવુહિતે । સૂ૦ ૨૦૩ ॥
(મૂ0) ત્રણ [જણા] અવાચનીય–સૂત્ર ભણાવવાને અયોગ્ય કહેલ છે, તે આ પ્રમાણે—૧’અવિનીત, ૨ વિગયપ્રતિબદ્ધધૃતાદિ રસમાં લુબ્ધ અને ૩ અવ્યવસિતપ્રામૃત-ઉત્કૃષ્ટ ક્રોધવાળો. ત્રણ જણાને વાચના દેવી કલ્પે છે, તે આ પ્રમાણે—૧ વિનીત, ૨ વિગયમાં અપ્રતિબદ્ધ-રસમાં લુબ્ધ નહિં અને ૩ વ્યવસિતપ્રામૃત-ઉપશાંત ક્રોધવાળો. ત્રણ જણા દુઃસંજ્ઞાપ્યા-દુઃખપૂર્વક સમજાવી શકાય તેવા છે, તે આ પ્રમાણે—૧ દુષ્ટ તત્ત્વનો તથા ગુરુનો દ્વેષી, ૨ મૂઢ– ગુણદોષનો અજાણ અને ૩ વ્યુાહિત-કુગુરુ વડે મિથ્યા મતમાં દૃઢ કરાયેલ. ત્રણ જણા સુસંજ્ઞાપ્યા—સુખપૂર્વક સમજાવી શકાય તેવા છે, તે આ પ્રમાણે—૧ અદુષ્ટ દ્વેષ રહિત, ૨ અમૂઢ–ગુણદોષનો જાણ અને ૩ અવ્યુાહિતકુગુરુથી નહીં ભરમાવાયેલ, ૨૦૩
(ટી0) 'તો' ફત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે—ન વાવનીયાઃ—સૂત્રને ભણાવવા યોગ્ય નહિં, આ જ કારણથી અર્થને પણ સંભળાવવા યોગ્ય નહિં; કારણ કે—સૂત્રથી અર્થનું મહત્ત્વ છે. તેમાં અવિનીત વ્યક્તિ સૂત્ર અને અર્થના દાતાના વંદનાદિ
1. સોલ વર્ષ પર્યંતના બાલકને માબાપની રજા સિવાય દીક્ષા આપનારને શિષ્યનિષ્ફટિકા દોષ લાગે છે; સોલ વર્ષ ઉપરાંત નહિં એવો કેટલાએક આચાર્યોનો મત છે.
2. ગાથા ૨૦૫ અને ૨૦૬માં દર્શાવેલ અઢાર અને આ બે મળી વીશ પ્રકારની સ્રી દીક્ષા માટે અયોગ્ય જાણવી.
268