SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ४ दीक्षाअयोग्य वर्णनम् २०२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તઓ નો ખંતિ પન્ગાવેત્તા, તંનહા–પંડ, વાતિતે, જીવે, વં મુંડાવિત્તણ્ ર,સિન્થ્રાવિત્ત૫ રૂ, उवद्वावित्तए ૪, સંમુનિ ત્તતે ય, સંવાસિત્તતે ૬ ।। સૂ॰ ૨૦૨ ।। '૧, (મૂ0) ત્રણ જણાને પ્રવ્રજ્યા દેવી ન કહ્યું, તે આ પ્રમાણે—૧ પંડક–નપુંસક, ૨ વાતિક (વાયુવાળો) અને ૩ ક્લીબ– અસમર્થ (૧) એવાને કુંડવું એટલે લોચ કરવો પણ ન ક૨ે (૨) પડિલેહણાદિ સામાચારીનું શીખવવું ન કલ્પે (૩) મહાવ્રતને વિષે સ્થાપન કરવું ન કહ્યું (૪) ઉપધિ તથા આહાર વગેરે વડે સંભોગ (ભાગ કરવો) ન ક૨ે (૫) પોતાની પાસે રાખવો ન ક૨ે (૬). II૨૦૨॥ (ટી0) 'તઓ' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ એ કે-પંડક અટલે નપુંસક, તેનાં લક્ષણ વગેરે જાણીને તે ત્યાગ કરવા યોગ્ય છે. તેનાં લક્ષણો છ છે— महिलासहावो सर वन्नभेओ, मेंढं महंतं मउई य वाया । ससद्दगं मुत्तमफेणगं च, एयाणि छप्पंडगलक्खणाणि । २०३ || [बृहत्कल्प० ५१४४ त्ति ] ૧ સ્ત્રી જેવો સ્વભાવ એટલે સ્ત્રીની માફક દાસ થાય છે, પડખે તથા પાછળ જોતો જોતો ચાલે છે, ૨ સ્વરભેદ–પુરુષથી તથા સ્ત્રીથી જુદા પ્રકારનો સ્વર હોય છે, ૩ વર્ણભેદ-શરીર સંબંધી ચહેરો અને ઉપલક્ષણથી ગંધ, રસ, સ્પર્શ પણ સ્ત્રી અને પુરુષથી વિલક્ષણ હોય છે, ૪ મેહન–પુરુષચિહ્ન મોટું હોય છે, ૫ વાણી–સ્ત્રીની માફક કોમળ હોય છે અને ૬ શબ્દ સહિત અને ફીણ રહિત મૂત્ર હોય છે. આ છ પંડકનાં લક્ષણો છે. (૨૦૩) જેને વાયુ છે તે વાતિક, જ્યારે પોતાના નિમિત્તથી અથવા અન્યથા મેહન (લિંગ) કાયિત (વિકારવાળું) થાય છે ત્યારે જ્યાં સુધી પ્રતિસેવા ન કરી હોય ત્યાં સુધી વેદને ધારણ કરવા માટે જે સમર્થ ન થાય તે વાતિક કહેવાય. આ નહિં રોકેલ વેદવાળો નપુંસકપણાએ પરિણમે છે. કોઈ સ્થળે 'વાહિય' ત્તિ પાઠ છે. ત્યાં વ્યાધિગ્રસ્ત–રોગી એવો અર્થ છે. ક્લીંબ એટલે અસમર્થ, તે ચાર પ્રકારે છે—૧ દૃષ્ટિક્સીબ, ૨ શબ્દબ્લીબ, ૩ આદિગ્ધક્લીબ અને ૪. નિમંત્રણક્લીબ, અનુરાગથી વસ્ત્રાદિ રહિત વિપક્ષ–સ્રીને જોઈને (જોતાં થકાં) જેનું મેહન ગળે છે તે દૃષ્ટિક્લીબ, સુરતાદિ-કામોત્પાદક વગેરે શબ્દ સાંભળતાં થકાં જેનું મેહન ગળે છે તે શબ્દબ્લીબ, સ્ત્રી વડે અવગૂઢ–સંકેત કરાયેલ જે વ્યક્તિ વ્રતને રક્ષણ કરવા માટે સમર્થ ન થાય તે આદિગ્ધક્લીબ, તથા સ્ત્રી વડે આમંત્રણ કરાયેલ જે વ્રતને રક્ષણ ક૨વા માટે સમર્થ ન થાય તે નિમંત્રિતક્લીબ. ચાર પ્રકારે પણ આ ક્રિયા નહિં અટકાવવાથી તે નપુંસકપણામાં પરિણમે છે. વાતિક અને ક્લીબનું જે પરિજ્ઞાન (હકીકત) તેઓના અથવા તેના મિત્ર વગેરેના કથનથી જાણવું. આનો વિસ્તાર કલ્પભાષ્યથી જાણી લેવો. આ ત્રણ ઉત્કટ વેદપણાએ વ્રતનું પાલન કરવામાં અસમર્થ છે માટે તેઓને દીક્ષા દેવાનું કલ્પતું નથી. દીક્ષા દેનારને પણ આશાના ભંગ વડે દોષનો પ્રસંગ હોવાથી કહ્યું છે કે– जिणवयणे पडिकुडं, जो पव्वावेइ लोभदोसेणं । चरणडिओ तवस्सी, लोवेइ तमेव उ चरितं ॥२०४॥ [નિશીથ॰ રૂ૭૪ fi] જિનવચનને વિષે નિષેધ કરેલ (જન) પ્રત્યે, જે લોભદોષ વડે દીક્ષા આપે છે તે ચારિત્રને વિષે સ્થિત તપસ્વી એવો તે જ ચારિત્રને લોપે છે. (૨૦૪) અહિં દીક્ષાને અયોગ્ય ત્રણ જણા કહ્યા, કારણ કે ત્રણ સ્થાનકનું વર્ણન ચાલે છે. અન્યથા ત્રણ કરતાં વિશેષ દીક્ષાને અયોગ્ય છે, જેથી કહે છે— बाले बुड्ढे नपुंसे य, जड्डे कीवे य वाहिए। तेणे रायावगारी य, उम्मत्ते य अदंसणे || २०५ ।। [ निशीथ० ३५०६ ] વાસે યુદ્ધે (ચ) મૂઢે (થ), બન્ને નું િચ । મોવાણ ય મવ, સેનિòડિયા ડ્વ ર૦૬।। [નિશીથ॰ રૂ૧૦૭] ૧ બાલ–અષ્ટ વર્ષ પર્યંત, ૨ બુઢ્ઢો–વૃદ્ધ, સિંતેર' વર્ષ ઉપરાંત, ૩ નપુંસક–ઉભયાભિલાષી, ૪ જડ–ભાષા, શરીર અને 1. આ સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ કથન છે, બાકી શ૨ી૨ વગેરેના સામર્થ્યની અપેક્ષાએ હાલ તો સાઠ વર્ષે વૃદ્ધાવસ્થા કહેવાય છે. 267
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy