________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ વેદનાવાળા અનંત સંસારમાં ભમે છે. (૧૯૯)
પરપક્ષકષાય દુષ્ટ તો રાજાનો વધ કરનાર અને પરપક્ષવિષય દુષ્ટ તો રાજાની પટ્ટરાણી પ્રત્યે ગમન કરનાર જાણવો. કહ્યું છે કે—
जो य सलिंगे दुट्ठो, कसाय विसएहिं रायवहगो य । रायग्गमहिसिपडिसेवओ य बहुसो पयासो य ।। २०० ।
જે સાધુના વેષમાં વિષયકષાયથી દુષ્ટ હોય તેમાં કષાયથી રાજાનો વધ કરનાર અને વિષયથી રાજાની અગ્રમહિષીને ભોગવનાર એવો જો ઘણો પ્રસિદ્ધ હોય તો પણ તેને ત્યાગવો. (૨૦૦)
પ્રમત્ત–પાંચમી નિદ્રાના ઉદયવાળો, માંસ 1ખાનાર દીક્ષિત સાધુની જેમ, આ બીજા સદ્ગુણવાળો હોય તો પણ ત્યાગવા યોગ્ય છે. કહ્યું છે કે—
अवि केवलमुप्पाडे, ण य लिंगं देइ अणइसेसी से । देसवयदंसणं वा, गेण्ह अणिच्छे पलायंति ।।२०१।।
३ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थितिप्रायश्चित्तप्ररूपणम् १९९-२०१ सूत्राणि
[ગૃહ૫૦ ૧૦૨૪]
જો તે જ ભવમાં સ્યાનર્દ્રિ નિદ્રાવાળો કેવલને ઉત્પન્ન કરે તો પણ અનતિશયજ્ઞાની તેને લિંગ આપે નહિં. વળી લિંગનું અપહરણ કરીને એમ કહેવું કે ‘તું દેશવિરતિ અગર સમ્યક્ત્વને ગ્રહણ કર' એમ કહેવા છતાં જો તે લિંગ–વેશ મૂકવાને ઇચ્છે નહિં તો રાત્રિમાં તેને સૂતો મૂકીને ગુરુએ પલાયન કરી જવું, (૨૦૧) ૩ પરસ્પર મુખ અને ગુદા વગેરે પ્રયોગથી મૈથુન કરતો થકો, પુરુષયુગલ એ શબ્દ શેષ છે. કહ્યું પણ છે કે—'આસયોસયસેવી, જે વિ મજૂસા લેયા હોતિ। તેમિ iિવિવેો' [બૃહત્ક્ર॰ ૦ર૬] ત્તિ॰ આય—મુખ અને પોષ્ય—ગુદા આ બે વડે મૈથુન સેવનાર કેટલાએક પુરુષો સ્ત્રીવેદ અને પુરુષવેદરૂપ બે વેદના મિશ્ર ઉદયવાળા હોય છે અર્થાત્ નપુંસકવેદી હોય છે. તેઓના લિંગનો વિવેક ક૨વો અર્થાત્ ખેંચી લેવો. ઘણી રીતે અતિચાર વિશેષને સેવતો થકો અને નથી આચરેલ તપ વિશેષ જેણે એવો સાધુ તે અતિચાર દોષથી નિવૃત્ત થયો છતો પણ જે મહાવ્રતને વિષે સ્થપાતો નથી અર્થાત્ અધિકારી કરાતો નથી તે અનવસ્થાપ્ય કહેવાય. તે અતિચારથી થયેલ અથવા તે અતિચારની શુદ્ધિ પણ અનવસ્થાપ્ય કહેવાય. આ નવમું પ્રાયશ્ચિત્ત છે. તેમાં ૧ સાધર્મિકો–સાધુઓ, તેઓના સંબંધી ઉત્કૃષ્ટ ઉપધિ, અથવા શિષ્યાદિની ઘણીવાર અથવા વિશેષ દ્વેખિત ચિત્તવાળો 'તેí' તિ॰ ચોરીને કરતો થકો, તથા ૨ અન્યધાર્મિકો– શાક્ય વગેરે અથવા ગૃહસ્થો, તેઓના સંબંધી ઉપધિ વગેરેની ચોરી કરતો થકો, તથા ૩ હાથ વડે તાડન ક૨વું તે હસ્તતાલ, તેને ‘દલમાણે’—આપતો થકો, યષ્ટિ (લાકડી), મુષ્ટિ, લકુટ (ધોકો) ઇત્યાદિ વડે મરણ વગેરેથી નિરપેક્ષ (દ૨કા૨ સિવાય) પોતાને અથવા બીજાને પ્રહાર કરતો થકો, એવું તાત્પર્ય છે. કહ્યું છે કે—
उक्कोसं बहुसो वा, पट्ठचित्तो व तेणियं कुणइ । पहरइ जो य सपक्खे, निरवेक्खो घोरपरिणामो ॥ २०२ ॥
અતિશય ક્રોધવાળો, વિશેષ દુષ્ટ ચિત્તવાળો જે ચોરી કરે અને સ્વપક્ષ (સાધુ) ઉપર પ્રહાર કરે તેને નિરપેક્ષ (મરણના ડરથી રહિત) અને ઘોર પરિણામી કહેલ છે. (૨૦૨)
'અસ્થાયાળું વનમાળે' ના પાઠ છે, તેમાં અર્થદાન-દ્રવ્યોપાર્જનના કારણરૂપ અષ્ટાંગ નિમિત્તને બોલતો થકો, અથવા 'હત્યાનુંવં વનમાળો' ત્તિ॰ પાઠ છે, તેમાં હસ્તાતંબની જેમ હસ્તાલંબને દેતો થકો અર્થાત્ નદીના પુરનો રોધ વગેરે અશિવ (અમંગલ) માં તેની શક્તિને માટે ઉપચાર સહિત મંત્રવિદ્યાદિનો પ્રયોગ કરતો થકો, એવો અર્થ સમજવો. પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રવ્રાજનાદિ યુક્તને હોય છે, તે પ્રવ્રાજના અયોગ્યના નિરાસ વડે યોગ્યોની ક૨વા યોગ્ય છે માટે તે દીક્ષાને અયોગ્યનું નિરૂપણ કરતાં થકા છ સૂત્રને કહે છે—
1. વિશેષાવશ્યકની ટીકામાં થીણદ્ધી નિદ્રાના ઉદય ઉપર પાંચ કથાઓ કહેલી છે તેમાં આ કથા પણ છે.
266