________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य पर्यायांतराणि १९४-१९६ सूत्राणि પણ જાણવા. વિશેષ એ કે-ઉત્પાદના એટલે પ્રાપ્ત કરવું, ગૃહસ્થ પાસેથી પિંડ વગેરે ઉપાર્જન કરવું–મેળવવું એવો અર્થ છે. તે ઉત્પાદનોના ધાત્રીત્વ વગેરે સોળ દોષો છે, જેનું વર્ણન નીચે કરેલ છે–
उप्पायण संपायण, णिव्वत्तणमो य हाँति एगा । आहारस्सिह पगया, तीय य दोसा इमे होंति ॥१८१॥ [पञ्चाश० १३/१७; पञ्चवस्तु० ७५३] ઉત્પાદન, સંપાદન અને નિર્વર્સના આ એકાર્થવાળા હોય છે. અહિં આહાર પ્રકૃત છે અને તેમાં આ પ્રમાણે દોષ હોય
धाई १ दुइ २ निमित्ते ३, आजीव ४ वणीमगे ५ तिगिच्छा य ६ । कोहे ७ माणे ८ माया, ९ लोभे य १० हवंति दस एए ।।१८२।। [पञ्चाश० १३/१८; पञ्चव० ७५४; पिण्डनि० ४०८] पुव्विं पच्छा संथव ११, विज्जा १२ मते य १३ चुन्न १४ जोगे य १५ । उप्पायणाय दोसा, सोलसमे मूलकम्मे य १६ ॥१८३।। युग्मम् ॥[पञ्चाश० १३/१९; पञ्चव०७५५; पिण्डनि०४०९]
૧ ધાત્રી એટલે બાલકનું પાલન કરનારી ધાત્રીની માફક બાલકનું પાલન કરીને અથવા કરાવીને જે આહાર લેવો તે ધાત્રીદોષ, ૨ દૂતી–એકબીજાના સંદેશાને કહેનારી દૂતીની માફક સંદેશો પહોંચાડીને જે પિંડ લેવો તે દૂતીદોષ.૩ નિમિત્તભૂતકાળાદિકનું કથન કરીને અથવા શુભ અશુભ નિમિત્ત કહીને જે આહાર લેવો તે નિમિત્ત દોષ, ૪ આજીવિકા પોતાની જાતિ વગેરે પ્રગટ કરીને જે આહાર ગ્રહણ કરવો તે આજીવિકા દોષ, ૫ વનિપક-યાચકની માફક ગૃહસ્થને ત્યાંથી દીનતાથી ભિક્ષા લેવી તે વનિપક દોષ, ૬ ચિકિત્સા-રોગનો પ્રતિકાર કરીને જે આહાર લેવો તે ચિકિત્સા દોષ, ૭ ક્રોધ' કરીને આહાર લેવો તે, ૮ માનથી જે આહાર ગ્રહણ કરવો તે, ૯ માયા કરીને આહાર લેવો તે, ૧૦ લોભથી આહાર લેવો તે, ૧૧ પૂર્વ અથવા પશ્ચાસંસ્વ–આહાર લીધા પહેલા ગૃહસ્થની પ્રશંસા કરવી તે પૂર્વસંસ્તવ અને આહાર લીધા બાદ સ્તુતિ કરવી તે પશ્ચાત્સસ્તવ, ૧૨ વિદ્યાપિંડ એટલે દેવી અધિષ્ઠિત અથવા સાધના સહિત અને ૧૩ મંત્રપિંડ તે દેવ અધિષ્ઠિત અથવા પાઠમાત્રથી સિદ્ધ થાય છે, તેની પ્રવૃત્તિ કરીને આહાર લેવો તે, ૧૪ ચૂર્ણપિંડ-નેત્રને વિષે અંજન કરવું અને તેનું અંતર્ધાનાદિક
ફ્ટ જણાવીને આહાર લેવો તે, ૧૫ યોગપિંડ-પાઇલેપ વગેરે અને તેનું આકાશગમનાદિ જણાવીને આહાર લેવો તે તથા ૧૬ મૂલકર્મ-વશીકરણ, ગર્ભસ્તંભન, ગર્ભાધાન વગેરે મહાસાવધ વ્યાપાર કરીને આહાર લેવો તે આ પ્રમાણે સોળ દોષો ઉત્પાદનોના છે. (૧૮૨-૧૮૩)
એષણા-ગૃહસ્થો વડે દેવાતા પિંડાદિનું ગ્રહણ, તેના અંકિતાદિ દશ દોષો નીચે પ્રમાણે જાણવા. एसणगवेसणन्नेसणा य गहणं च होंति एगट्ठा । आहारस्सिह पगया, तीय य दोसा इमे होंति ।।१८४॥
છે [પારા-૨૩/ર૦; પચવ૦ ૭૬૧]. એષણા, ગવેષણા, અન્વેષણા અને ગ્રહણ આ સર્વ એકાઈવાળા છે, અહિં આહાર પ્રસ્તુત છે તેથી તેના દોષો જણાવે છે. (૧૮૪) – संकिय १ मक्खिय २ निक्खित्त ३-पिहिय ४ साहरिय ५ दायगु ६ म्मीसे। अपरिणय ८ लित्त ९ छड्डिय १०, एसणदोसा दस हवंति ॥१८५।। [पिण्ड नि० ५२०; पश्चाश० १३/२६; पञ्चव० ७६२]
૧ શકિત-આધાકદિ દોષની શંકાવાળું, ૨ પ્રક્ષિત-સચિત્ત વગેરેથી લીપ્ત કરેલું, ૩ નિકિતસચિત્ત પૃથ્વી વગેરે ઉપર સ્થાપેલું, ૪ પિહિત-સચિત્ત વડે ઢાંકેલું, પ સંહત-બીજા કટોરા વગેરેમાં નાખેલું, ૬ દાયક-દેવાના દોષવાળું હોય તે, ૭ ઉન્મિશ્ન-પુષ્પ વગેરે સચિત્તથી મિશ્રિત થયું હોય તે, ૮ અપરિણત-બરોબર અચિત્ત ન થયું હોય તે, ૯ લિસ-હાથ તથા 1. ક્રોધાદિ પિંડ ઊપર પિંડનિર્યુક્તિની ટીકામાં, સમ્યક્ત પ્રકરણમાં તથા ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથમાં દૃષ્ટાંતો આપેલા છે.
258