________________
३ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य पर्यायांतराणि १९४ - १९६ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (ટી૦) 'તિવિદે' ત્યાર્િ॰ ઓગણીશ સૂત્રોની વ્યાખ્યા સ્પષ્ટ છે, વિશેષ એ કે—પ્રજ્ઞાપના એટલે ભેદ વગેરેનું કથન. તેમાં જ્ઞાનપ્રજ્ઞાપના આભિનિબોધિક (મતિ) વગેરે પાંચ પ્રકારે જ્ઞાન છે. એમ દર્શન (સમ્યક્ત્વ) ક્ષાયિકાદિ ત્રણ1 પ્રકારે છે અને ચારિત્ર સામાયિકાદિ પાંચ પ્રકારે છે ૧, સમ્ન જ્ઞ—સમ્યગ્ અર્થાત્ અવિપરીત, મોક્ષસિદ્ધિને આશ્રયીને અનુરૂપ એવો અર્થ છે. તે જ્ઞાનાદિ ત્રણ પ્રકારે છે ૨, ૩પહનનનુપાતઃ—અર્થાત્ પિંડશય્યા વગેરેની અકલ્પ્યતા (સ્વીકારવા યોગ્ય નહિં), તેમાં ઉત્પન્ન થવું તે ઉદ્ગમપિંડ–આહારાદિથી થયેલ તે. આધાકર્માદિ સોળ દોષો છે. કહ્યું છે કે—
तत्थुग्गमो पसूई, पभवो एमादि होंति एगट्ठा। सो पिंडस्सिह पगओ, तस्स य दोसा इमे होंति ।।१७८।।
[પદ્મા॰ ૧૩/૪; પદ્મવસ્તુ૦ ૭૪૦] તેમાં ઉદ્ગમ, પ્રસૂતિ અને પ્રભવ ઇત્યાદિ એકાર્થવાચક છે, તે પિંડ (આહા૨)ના (અહિં પ્રસ્તુત છે તે પિંડના) દોષો આ પ્રમાણે છે. (૧૭૮)
आहाकम्मु १ द्देसिय २, पूइकम्मे य ३ मीसजाए ४ य ।
ठवणा ५ पाहुडियाए ६, पाओयर ७ कीय ८ पामिच्चे ९ ।। १७९ ।। [ पञ्चाशक० १३ / ५; पिण्डनि० ९२]
परियट्टिए १० अभिहडे ११, उब्मिन्ने १२ मालोहडे इय १३ ।
अच्छेज्जे १४ अनिस १५, अज्झोयरए य १६ सोलसमे || १८० || [ पञ्चाशक० १३/६ पिण्डनि० ९३त्ति ]
૧ આધાર્મ—સાધુના નિમિત્તે આહાર બનાવવો અર્થાત્ સચિત્તને અચિત્ત કરવું અથવા અચિત્તનો પાક કરવો તે, ૨ દ્દેશિ—જે ઉદ્દેશન કરવું તે ઉદ્દેશ. તે ઉદ્દેશ વડે જે કરાયેલું તે ઉદેશિક દોષ એટલે સંકેત જાણવો, ૩ પૂતિર્મ—ઉદ્ગમાદિ દોષ રહિત શુદ્ધ આહાર છતાં પણ તેમાં અન્ય અશુદ્ધ આહારના અવયવના સંસર્ગથી પૂરવું તે, ૪ મિશ્રઽાત—કુટુંબના અર્થે તથા સાધુના અર્થે એમ બન્નેના મિશ્રિત આશય વડે જે બનાવેલો આહાર તે, ૫ કેટલાએક કાળ સુધી જે સાધુના નિમિત્તે સ્થાપી રખાય તે સ્થાપના દોષ, ૬ પ્રાકૃતિષ્ઠા—કોઈ ઇષ્ટ અથવા પૂજ્યને જેમ ભેટની માફક અભિષ્ટ વસ્તુ અપાય છે તેની માફક સાધુને અપાય તે, ૭ પ્રાદુર્ī—સાધુને નિમિત્તે પ્રદીપ અથવા મણિ વગેરે સ્થાપીને અથવા ભીંત વગેરેમાંથી છિદ્ર કરીને જે આપવું તે, ૮ ત—સાધુને માટે વેચાતું લાવીને આપવું તે, ૯ પ્રામિસ્ત્ય—‘હમણાં તમે મને આપો, પછી હું તમને આપીશ’ એમ બીજાને કહીને તેની પાસેથી સાધુને નિમિત્તે ઉછીનું લાવીને આપવું તે, ૧૦ પરિવર્તિત—સાધુને નિમિત્તે જે પરાવર્ત્તબદલો કરીને આપવું તે અર્થાત્ બીજાને પોતાનો આહાર આપીને તેને બદલે બીજો લાવવો તે, ૧૧ અભ્યાહત—સાધુની સન્મુખ જઈને આપવું.તે અથવા સાધુને અર્થે પોતાના ગામથી અથવા પરગામથી લાવેલ હોય તે, ૧૨ મિત્ર—સાધુને દેવાને અર્થે છાણ વગેરેથી લીંપેલ વાસણ ઊઘાડીને અથવા 2કપાટાદિ બંધ કરેલા (પેક કરેલા) હોય તેને ખોલીને આપવું તે, ૧૩ માત્તાપત—નીસરણી અથવા દાદરા ઉપર ચડીને આણેલો આહાર, ૧૪ આછેઘ—નોકર અથવા પુત્રાદિની સાધુને દેવાની ઇચ્છા ન છતાં પણ તેની પાસેથી ઝુંટવીને લીધેલ આહાર, ૧૫ અનિસૃષ્ટ—જે આહાર એકની માલીકીનો ન હોય અર્થાત્ સર્વસાધારણ હોય, તેવા આહારને અર્થે સર્વે સ્વામીઓ દ્વા૨ા આજ્ઞા ન અપાયેલ હોય તે, ૧૬ અધ્યવપૂર—પોતાને અર્થ આહાર રાંધ્યો હોય તેમાં સાધુને અર્થે થોડું બીજું જે વધારે રાંધવું એમ કરીને જે પૂર્તિ કરવી તે અધ્યવપૂરક દોષ કહેવાય.(૧૭૯–૧૮૦)
અહિં અભેદ વિવક્ષા વડે ઉદ્ગમના દોષો જ ઉદ્ગમે છે. આથી તે ઉદ્ગમ વડે ઉપઘાત–પિંડ–આહાર વગેરેનું અકલ્પનીયપણું ક૨વું અથવા ચારિત્રનું મલિન કરવું તે ઉદ્ગમઉપઘાત, અથવા ઉદ્ગમનો પિંડાદિ ઉત્પત્તિનો જે ઉપઘાત અર્થાત્ આધાકર્માદિ વડે જે દુષ્ટતા તે ઉદ્ગમોપઘાત કહેવાય. આવી રીતે બીજા બે ઉત્પાદના ઉપઘાત તથા એષણા ઉપઘાત 1. સાસ્વાદન ઉપશમનો જ ભેદ છે અને વેદક ક્ષયોપશમનો જ ભેદ છે માટે વસ્તુતઃ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવજન્ય ત્રણ સમકિત છે. 2. દ૨૨ોજ વપરાતા કપાટાદિ ખોલીને આપવામાં દોષ નથી.
257