SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य पर्यायांतराणि १९४-१९६ सूत्राणि વચન તો જીવનો પર્યાય છે, માટે તેના અધિકારથી જીવના પર્યાયાંતરોને ત્રણ સ્થાનકમાં અવતારીને તેનું વર્ણન કરે છે— तिविहा पन्नवणा पन्नत्ता, तंजहा–णाणपन्नवणा, दंसणपन्नवणा, चरित्तपन्नवणा १, तिविधेसम्मे पन्नत्ते, तंजहा-नाणसम्मे, सणसम्मे, चरित्तसम्मे २, तिविधे उवघाते पन्नत्ते, तंजहा-उग्गमोवघाते, उप्पायणोवघाते, एसणोवघाते ३, एवं विसोही ४ ।। सू० १९४।। तिविहा आराहणा पन्नत्ता, तंजहा–णाणाराहणा, दंसणाराहणा, चरित्ताराहणा ५। णाणाराहणा तिविहा पन्नत्ता, तंजहा–उक्कोसा, मज्झिमा, जहन्ना ६। एवं दसणाराहणा वि ७, चरित्ताराहणा वि ८। तिविधे संकिलेसे पन्नत्ते, तंजहा-नाणसंकिलेसे, सणसंकिलेसे, चरित्तसंकिलेसे ९। एवं असंकिलेसे वि १०, एवमतिक्कमे वि ११, वइक्कमे वि १२, अइयारे वि१३, अणायारे वि१४। तिण्हमतिकमाणं आलोएज्जा पडिक्कमेज्जा निदिज्जा गरहिज्जा जाव पडिवज्जिज्जा, तंजहा–णाणातिक्कमस्स, सणातिक्कमस्स, चरित्तातिक्कमस्स १५। एवं वइक्कमाणं वि १६, अतिचाराणं १७. अणायाराणं १८ ।। स० १९५ ।। तिविधे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे १९ ।। सू० १९६ ।। (મૂળ) ત્રણ પ્રકારે પ્રજ્ઞાપના–ભેદ વગેરેનું કથન કહેલ છે, તે આ પ્રમાણે–૧ જ્ઞાનપ્રજ્ઞાપના, ૨ દર્શનપ્રજ્ઞાપના અને ૩ ચારિત્રપ્રજ્ઞાપના ૧, ત્રણ પ્રકારે સમ્યક- યથાર્થ મોક્ષસાધક) કહેલ છે, તે આ પ્રમાણે–જ્ઞાનસમ્યક, દર્શનસમ્યફ અને ચારિત્રસમ્યક્ ૨, ત્રણ પ્રકારે ઉપઘાત-પિંડશયા વગેરે અકલ્પનીય છે, તે આ પ્રમાણે—ઉદ્ગમઉપઘાતંતે આધાકર્મ વગેરે સોળ પિંડ વગેરે સંબંધી દોષો, ઉત્પાદનાઉપઘાત-તે ગૃહસ્થ પાસેથી પિંડ વગેરે ગ્રહણ કરવા સંબંધી ધાત્રી વગેરે સોળ દોષો અને એષણા ઉપઘાત-ગૃહસ્થોએ અશુદ્ધ આહાર વગેરે આપતાં છતાં તેનું ગ્રહણ કરવું તે સંબંધી અંકિતાદિ દશ દોષો ૩, એવી રીતે વિશોધિ-આહારાદિની શુદ્ધિ પણ ત્રણ પ્રકારે કહેવી અર્થાત્ ઉમાદિ દોષ રહિતપણે આહાર લેવો તે ૪. //૧૯૪ll કાલાદિ ત્રણ પ્રકારે આરાધના કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાનઆરાધનો એટલે નિરતિચારપણે જ્ઞાનના આઠ આચારને પાળવા, દર્શનઆરાધના તે નિરતિચારપણે નિશકિતાદિ દર્શનના આઠ આચારને પાળવા અને ચારિત્રઆરાધના રતિચારપણે અષ્ટપ્રવચનમાતારૂપી ચારિત્રના આચારને પાળવા ૫, જ્ઞાન આરાધના ત્રણ પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે-ઉત્કૃષ્ટા, મધ્યમાં અને જઘન્યા ૬, એમ દર્શનઆરાધના ૭, તથા ચારિત્રઆરાધના પણ ત્રણ-ત્રણ મેદવાળી જાણવી ૮, ત્રણ પ્રકારે સંક્લેશ (જ્ઞાનાદિથી પડવારૂપ) કહેલ છે, તે આ પ્રમાણે જ્ઞાનસંક્લેશ, દર્શનસંક્લેશ અને ચારિત્રસંક્લેશ ૯, એવી રીતે અસંક્લેશ-જ્ઞાનાદિની વિશુદ્ધિ ત્રણે પ્રકારે છે ૧૦, એમ અતિક્રમણ પણ ૧૧, વ્યતિક્રમણ પણ ૧૨, અતિચાર પણ ૧૩ અને અનાચાર પણ ત્રણ-ત્રણ પ્રકારે જાણવા ૧૪, ત્રણ સંબંધી અતિક્રમને આલોચે– ગુરુ સમક્ષ નિવેદન કરે, પ્રતિક્રમે-મિથ્યાદુષ્કત આપે, આત્મસાક્ષીએ નિંદે, ગુરુની સાક્ષીએ ગહ કરે યાવત્ યોગ્ય તપ વગેરે સ્વીકારે, તે આ પ્રમાણે–જ્ઞાન સંબંધી અતિક્રમને, દર્શનસંબંધી અતિક્રમને અને ચારિત્ર સંબંધી અતિક્રમને ૧૫, એમ વ્યતિક્રમને પણ ૧૬, અતિચારને ૧૭ અને અનાચારને પણ આલોચે અર્થાત્ આલોચનાદિ કરે ૧૮. l/૧૯પો. ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–૧ આલોચના વડે જે શુદ્ધ થાય તે આલોચના યોગ્ય ૨, પ્રતિક્રમણ વડે જે શુદ્ધ થાય તે પ્રતિક્રમણ યોગ્ય અને ૩ આલોચના તથા પ્રતિક્રમણ એ બન્ને વડે જે શુદ્ધ થાય તદુભય યોગ્ય ૧૯. //૧૯૬ો. 256
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy