________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ४ काल-वचन-वर्णनम् १९२-१९३ सूत्रम्
જે ચારે દિશાએ નહિં ઢાંકેલું, અથવા ત્રણ દિશાએ નહિં ઢાંકેલું અથવા બે પડખે નહિં ઢાંકેલું કે એક દિશાએ નહિં ઢાંકેલું તે અધોનિવૃત્તગૃહ અને માળ (મજલા) વગરનું ઘર અથવા ઉપર નહિં ઢાંકેલું તે ઊર્ધ્વવિવૃત્તગૃહ કહેવાય છે.(૧૭૪)
તે ઘરમાં અથવા વૃક્ષ—કરીર (કેરડા) વગેરેનો નીકળેલ મૂલ (નીચેનો) ભાગ, તે જ ઘર તે વૃક્ષમૂલગૃહ. તેમાં જોવા વડે જ શુદ્ધ ઉપાશ્રય છતે ગૃહસ્થ પ્રત્યે તેનું અનુજ્ઞાપન (આજ્ઞા) હોય છે માટે અનુજ્ઞાપના સૂત્ર કહે છે. 'વ'મિતિ એ જ "ડિપડિવન્ને' ઇત્યાદિ ઉચ્ચારવું, વિશેષ એ કે–પ્રત્યુપેક્ષણાના સ્થાનમાં અનુજ્ઞાપન કહેવું. ગૃહસ્થોએ આદેશ આપ્યું છતે તેનો સ્વીકાર કરવા માટે ઉપાદાન (સ્વીકાર) સૂત્ર છે. તે પણ એમ જ છે. 'ગોવાળણ'રિ૦ ૩૫ાવાતું–ગ્રહણ કરવા માટે અર્થાત્ પ્રવેશ કરવા માટે એવો અર્થ છે. એમ સસ્તારકના ત્રણે સૂત્ર જાણવા. વિશેષ એ કે–પૃથ્વીશિલા ઉઠગો (ઓટલો) એમ પ્રસિદ્ધ છે. શિલાની માફક એવી લંબાઈ પહોળાઈથી લાકડાની જે શિલા તે કાષ્ઠશિલા, યથાસંસ્કૃતમે' જે તૃણ વગેરે જેમ ઉપભોગમાં યોગ્ય થાય તેમજ જે પ્રાપ્ત થાય છે તે યથાસંસ્કૃત શિલા. ll૧૯૧||
પ્રતિમા તો નીયત (અમુક) કાળવાળી હોય છે માટે હવે કાળને ત્રણ પ્રકારે દર્શાવે છે– तिविहे काले पन्नत्ते, तंजहा–तीए, पडुप्पण्णे, अणागए। तिविहे समए पन्नत्ते, तंजहा–तीते, पडुप्पन्ने, अणागए। एवं आवलिया, आणापाणू, थोवे,लवे, मुहत्ते, अहोरत्ते, जाव वाससतसहस्से, पुव्वंगे, पुव्वे, जाव ओसप्पिणी। तिविधे पोग्गलपरियट्टे पन्नत्ते, तंजहा–तीते, पडुप्पन्ने, अणागते ॥ सू० १९२ ।। तिविहे वयणे पन्नत्ते, तंजहा-एगवयणे, दुवयणे, बहुवयणे, अहवा तिविहे वयणे पन्नत्ते, तंजहा-इत्थिवयणे, पुंवयणे, नपुंसगवयणे, अहवा तिविहे वयणे पन्नत्ते, तंजहा–तीतवयणे, पडुप्पन्नवयणे, अणागयवयणे || સૂ૦ ૧૩. (મૂળ) ત્રણ પ્રકારે કાળ કહેલ કહે છે, તે આ પ્રમાણે–૧ અતીત, ૨ પ્રત્યુપત્ર-વર્તમાન અને ૩ અનાગત-ભવિષ્ય. ત્રણ
પ્રકારે સમય કહેલ છે, તે આ પ્રમાણે—અતીત, વર્તમાન અને અનાગત. એવી રીતે આવલિકા, આનપ્રાણ, ઉચ્છવાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, યાવત્ વર્ષશતસહસ (લાખ), પૂવગ, પૂર્વ, યાવત્ અવસર્પિણી ત્રણ પ્રકારે કહેલ છે. ત્રણ પ્રકારે પુદ્ગલપરાવર્ત કહેલ છે, તે આ પ્રમાણે–અતીત, વર્તમાન અને અનાગત. //૧૯૨// - ત્રણ પ્રકારે વચન કહેલ છે, તે આ પ્રમાણે–એકવચન, દ્વિવચન અને બહુવચન. અથવા ત્રણ પ્રકારે વચન કહેલ છે, તે આ પ્રમાણે-સ્ત્રીલિંગવચન તે સ્ત્રીવચન, પેલિંગવચન તે પુંવચન અને નપુંસકલિંગવચન તે નપુંસકવચન અથવા ત્રણ પ્રકારે વચન કહેલ છે, તે આ પ્રમાણે–ભૂતકાલ સંબંધી વચન તે અતીતવચન, એવી રીતે વર્તમાનવીને અને
ભવિષ્યવચન જાણવું. ૧૯૩ (ટી0) તિ–અતિશય વડે ગયેલ તે અતીત, પિધાન (પ્રયોગ)ની માફક અકારનો લોપ કરવાથી તીત શબ્દ બનેલ છે, અર્થાત્ વર્તમાનપણું ઉલ્લંઘી ગયેલ એવો અર્થ છે. હમણાં જે ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન-વર્તમાન. જે નહિં આગત (આવેલ) તે અનાગતવર્તમાનપણું નહિં પામેલ અર્થાત્ ભવિષ્ય એવો અર્થ છે. કહ્યું છે કે
भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ।।१७५।।
જે નામ વર્તમાનપણાને પામેલ છે તે અતીત થાય છે અને જે વર્તમાનપણાને પામશે તે એષ્ય-ભવિષ્ય નામ થાય છે (૧૭૫).
કાળને સામાન્યથી ત્રણ પ્રકારે વહેંચીને તેના વિશેષોનો ત્રણ પ્રકારે વિભાગ કરતાં થકા કહે છે–તિવિદ્દે સમયે રૂત્યાદિ કાળસૂત્રો સમય વગેરેની બીજા ઠાણાના પહેલા ઉદેશકની માફક વ્યાખ્યા કરવી. વિશેષ એ કે–'પોપાલપરિયત્તિ પુતાનાં–પુદ્ગલ એટલે આહારકને વર્જીને શેષ રૂપી દ્રવ્યોને ઔદારિકાદિ [સાત વર્ગણા] પ્રકારવડે ગ્રહણથી એક જીવની
254