________________
३ स्थानकाध्ययने उद्देशः ३ श्रुतधर्मस्य भेदानि १८९ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ તે ધર્મકથા, અને ૩ કામના ઉપાયની કથા તે કામકથા (૭), ત્રણ પ્રકારે વિનિશ્ચય—સ્વરૂપનું જાણવું કહેલ છે, તે આ પ્રમાણે—૧ અર્થવિનિશ્ચય દ્રવ્યનું સ્વરૂપ જાણવું, ૨ કામવિનિશ્ચય-કામનું સ્વરૂપ જાણવું અને ૩ ધર્મવિનિશ્ચયધર્મનું સ્વરૂપ જાણવું (૮). ૧૮૯૫
(ટી૦) અર્થય—૧ લક્ષ્મીની કથા-ઉપાયને પ્રતિપાદનમાં તત્પર જે વાક્યનો પ્રબંધ તે અર્થકથા. કહ્યું છે કે— सामादि धातुवादादि कृष्यादि प्रतिपादिका । अर्थोपादानपरमा कथाऽर्थस्य प्रकीर्त्तिता ।। १६३ ||
સામ વગે૨ે નીતિ, ધાતુવાદાદિ રસસિદ્ધિ, કૃષ્ણાદિ-ખેતી વગેરેને પ્રતિપાદન કરનારી, અને અર્થને ઉત્પન્ન કરવામાં ઉત્કૃષ્ટ એવી અર્થની કથા કહેલી છે. (૧૬૩)
તથા અર્થ નામનો પુરુષાર્થ શ્રેષ્ઠ જણાય છે કારણ કે—
अर्थाख्यः पुरुषार्थोऽयं प्रधानः प्रतिभासते । तृणादपि लघुं लोके धिगर्थरहितं नरम् ॥ १६४ ॥
લોકમાં દ્રવ્ય રહિત તૃણ-ઘાસથી પણ લઘુ (હલકા) કહેવાય છે માટે ધન રહિત પુરુષને ધિક્કાર છે! (૧૬૪) જામન્વા—િશાસ્ત્રરૂપ આ અર્થકથા છે. ૨ એમ ધર્મના ઉપાયની કથા છે. કહ્યું છે કે—
• दयादान क्षमाद्येषु धर्माङ्गेषु प्रतिष्ठिता । धर्मोपादेयतागर्भा बुधैर्धर्म्मकथोच्यते ॥ १६५ ॥ तथा धर्माख्यः पुरुषार्थोऽयं प्रधान इति गीयते । पापसक्तं पशोस्तुल्यं धिग्धर्मरहितं नरम् ॥१६६॥
દયા, દાન, ક્ષમાદિ ધર્મના અંગને વિષે રહેલી અને ધર્મના સ્વીકા૨પણારૂપ એવી ધર્મકથા પંડિતોએ કહેલી છે તથા ધર્મ નામનો આ પુરુષાર્થ પ્રધાન છે એમ વર્ણવાય છે અને પાપમાં આસક્ત પુરુષ પશુ તુલ્ય છે માટે ધર્મ રહિત નરને ધિક્કાર છે! (૧૬૫-૧૬૬)
આ ધર્મકથા ઉત્તરાધ્યયનાદિ રૂપવાળી જાણવી. ૩ એવી રીતે કામકથા પણ જાણવી. કહે છે— कामोपादनगर्भा च वयोदाक्षिण्यसूचिका । अनुरागेङ्तिाद्युत्था कथा कामस्य वर्णिता ॥१६७॥ तथा स्मितं न लक्षेण वचो न कोटिभिर्न कोटिलक्षैः सविलासमीक्षितम् ।
अवाप्यतेऽन्यैर्हृदयोपगुहनं न कोटिकोट्यापि तदस्ति कामिनाम् ॥ १६८ ॥
કામને ઉત્પન્ન ક૨વાવાળી વય, દાક્ષિણ્ય-ચતુરાઈની સૂચવનારી અને અનુરાગ–સ્નેહપૂર્વક ઇંગિતાદિ–ચક્ષુ વગેરેની મેષ્ટાથી થયેલી કામની કથા કહેલી છે, તથા કામીઓનું જે સ્મિત–થોડું હાસ્ય છે તે બીજાઓ વડે લક્ષ દ્રવ્ય દ્વારા પણ પ્રાપ્ત કરાતું નથી, તેમ જ વચન તે કોટિ દ્રવ્ય વડે, વિલાસ સહિત જોવું તે લક્ષકોટિ દ્રવ્ય વડે અને હૃદયનો જે ગુપ્તભાવ છે તે કોટિકોટિ દ્રવ્ય વડે પણ બીજાઓ વડે પ્રાપ્ત કરાતો નથી. (૧૬૭–૧૬૮)
આ વાત્સ્યાયનાદિરૂપી કામકથા જાણવી, અથવા પ્રકીર્ણ–તે કામના અર્થવાળી વચનની પદ્ધતિ, અથવા કથાચરિત્ર વર્ણનરૂપ જાણવી (૭). અર્થાદિ વિનિશ્ચયો, અર્થ વગેરેના સ્વરૂપને સારી રીતે જાણવારૂપ છે, તે આ પ્રમાણે— अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । नाशे दुःखं व्यये दुःखम्, धिगर्थं दुःखकारणम् ॥१६९॥ थ બનવો ધનાર્થિનાં ધર્મઃ મર્ઃ સર્વામિનામ્ । ધર્મ વાપવર્નસ્થ પારયેળ સાધીઃ ।।૨૦।। [ધવિન્તુ, ૨/૨] તથા 'शल्यं कामा विषं कामाः कामा आशीविषोपमाः । कामानभिलषन्तोऽपि निष्कामा यान्ति दुर्गतिम् ॥१७१ ।।
૧ પૈસાઓને પેદા ક૨વામાં પણ દુઃખ છે, પેદા કરેલ ધનને રક્ષણ ક૨વામાં પણ દુઃખ છે તેમ ધનના લાભમાં પણ દુઃખ અને વ્યય (નાશ)માં પણ દુઃખ છે માટે દુઃખના કારણભૂત અર્થને ધિક્કાર છે! ૨ તથા ધર્મ ધનના અર્થીઓને ધન આપે છે, સર્વકામીઓને કામ આપે છે અને ધર્મ જ પરંપરાએ મોક્ષનું સાધક છે. ૩ કામો શલ્યરૂપ છે, કામો વિષરૂપ છે, કામો આશીવિષ (જેની દાઢમાં ઝેર છે એવા ઝેરી સર્પો)ની ઉપમાવાળા છે. કામોની ઇચ્છા કરતા થકા જીવો કામોને પ્રાપ્ત નહીં કરીને પણ દુર્ગતિમાં જાય છે, ઇત્યાદિ સ્વરૂપ જાણવું (૧૬૯-૧૭૦-૧૭૧) (૮). II૧૮૯
1. सल्लं कामा विसं कामा कामा आसीविसोपमा । कामे य पत्थेमाणा अकामा जंति दोग्गइ ।। [ उत्तरा० ९/५३ ]
251