________________
३ स्थानकाध्ययने उद्देशः ३ धर्मस्वरूपम् १८८ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ (ટી0) 'તિવિષે ધન્વે' ત્યા॰િ શ્રુત એ જ ધર્મ તે શ્રુતધર્મ-સ્વાધ્યાયરૂપ, એમ ચારિત્રધર્મ ક્ષાંતિ–ક્ષમા વગે૨ે શ્રમણ (યતિ)નો (દશ પ્રકારનો) ધર્મ. આ બે પ્રકારના પણ દ્રવ્ય અને ભાવ ભેદરૂપ ધર્મમાં ભાવધર્મ કહેલ છે જેથી કહે છે કે— विभावम्मो, सु धम्मो खलु चरित धम्मो य । सुयधम्मो सज्झाओ, चरित्तधम्मो समणधम्मो ॥ १५६ ॥ [શનૈનિ॰ ૪રૂ ત્તિ]
બે પ્રકારનો ભાવધર્મ છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતધર્મ તે સ્વાધ્યાય, ચારિત્રધર્મ તે સાધુનો ધર્મ. (૧૫૬) અસ્તિ શબ્દ વડે પ્રદેશો કહેવાય છે, તેઓનો કાય–રાશિ અસ્તિકાય, તે એવી સંજ્ઞા વડે જે ધર્મ તે અસ્તિકાયધર્મગતિઉપષ્ટભલક્ષણ અર્થાત્ ગતિને આધા૨રૂપ તે ધર્માસ્તિકાય જાણવો. આ દ્રવ્ય ધર્મ છે. અનંતર-શ્રુતધર્મ અને ચારિત્રધર્મ એ બે કહ્યા. હવે તેના વિશેષોને કહે છે—'તિવિષે વરમે' ત્યાદ્રિ આઠ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે કે—૩પમળમુપમ:–ઉપાયપૂર્વક આરંભ, ધ——શ્રુત અને ચારિત્રાત્મક ધર્મમાં થના૨ આરંભ અથવા તે જ પ્રયોજન છે આનો (શ્રુત–ચારિત્રનો) તે ધાર્મિક અર્થાત્ શ્રુત અને ચારિત્રને અર્થે આરંભ તે ધાર્મિક તથા જે ધાર્મિક નહિં તે અધાર્મિક-અસંયમને અર્થે આરંભ તથા દેશથી આ ધાર્મિક-સંયમરૂપ હોવાથી તેમજ અસંયમરૂપ હોવાથી અધાર્મિક તે ધાર્મિકાધાર્મિક દેશવિરતિઆરંભ–એવો અર્થ છે. અથવા નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી છ પ્રકારે ઉપક્રમ છે. તેમાં નામ અને સ્થાપના એ બંને ઉપક્રમ સુગમ છે. દ્રવ્યોપક્રમ તો જ્ઞશરીર', ભવ્યશીરવ્યતિરિક્ત સચિત્ત તેમજ અચિત્ત અને મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત દ્રવ્યોપક્રમ દ્વિપદ, ચતુષ્પદ અને અપદ (વૃક્ષાદિ) ભેદથી ત્રણ પ્રકારે છે. વળી તે દરેક પરિકર્મમાં અને વસ્તુના વિનાશમાં એમ બે ભેદવાળો છે. તેમાં પરિકર્મમાં–દ્રવ્યમાં ગુણ રહેતે છતે તેના ગુણવિશેષને કરવું તે, જેમકે–ધૃતાદિના ઉપયોગ વડે પુરુષને વર્ણરૂપ વગેરેનું ક૨વું, એવી રીતે પોપટ અને સારિકા (મેના)દિને ભણાવવારૂપ ગુણવિશેષનું ક૨વું તથા હાથી વગે૨ે ચતુષ્પદોને અને વૃક્ષાદિ અપદોને વૃક્ષ અને આયુર્વેદ વૈિદકશાસ્ત્ર]ના ઉપદેશથી વૃદ્ધિ વગેરે ગુણોનું ઉત્પન્ન ક૨વું તથા વસ્તુના વિનાશમાં– · પુરુષ વગેરેનો ખડ્ગ (તલવાર) વગેરે વડે વિનાશ કરવો તે જ ઉપક્રમ. એવી રીતે અચિત્તદ્રવ્યોપક્રમ-પદ્મરાગાદિ મણિઓને ક્ષાર અને સ્મૃતિકાના પુટપાકાદિ વડે નિર્મળ કરવાં તે પરિકર્મ અને ઘણ વગેરેથી વિનાશ કરવો તે વિનાશ. મિશ્રદ્રવ્યોપક્રમ તો કડા વગેરેથી વિભૂષિત પુરુષાદિ દ્રવ્યનો જ જાણવો. તથા ક્ષેત્રસ્ય—શાલિક્ષેત્ર વગેરેનો પરિકમ્મૂ અથવા વિનાશરૂપ ક્ષેત્રોપક્રમ છે. તથા કાળનો ચંદ્રગ્રહણાદિ લક્ષણરૂપ કાળનો ઉપક્રમ અર્થાત્ ઉપાય વડે જાણવું તે કાળઉપક્રમ. તથા ભાવસ્ય—પ્રશસ્ત અને અપ્રશસ્તરૂપ ભાવને ઉપાયથી જાણવારૂપ જ ભાવ ઉપક્રમ છે તે ભાવોપક્રમ, અપ્રશસ્ત તો 2ઉડોડુિની (બ્રાહ્મણી), ગણિકા અને અમાત્ય (પ્રધાન)ના દૃષ્ટાંતથી જાણવું. પ્રશસ્ત તો શ્રુત વગેરેના નિમિત્તે આચાર્યાદિનો અભિપ્રાય જાણવો તે પ્રશસ્તભાવોપક્રમ, એવી રીતે ધાર્મિકનો એટલે સંયતનો જે ચારિત્રાદિને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપક્રમ કહેલ સ્વરૂપવાળો તે ધાર્મિક જ ઉપક્રમ છે. તથા અધાર્મિકનો—અસંયતનો અસંયમને માટે જે ઉપક્રમ તે અધાર્મિક જ છે. તથા ધાર્મિકાધાર્મિકનો–દેશવિરતિનો જે ઉપક્રમ તે ધાર્મિકાધાર્મિક છે (૧), હવે બીજા સ્વામીના ભેદ વડે ઉપક્રમ ત્રણ પ્રકારે કહે છે—આત્માને અનુકૂલ ઉપસર્ગાદિમાં શીલની રક્ષા નિમિત્તે ઉપક્રમ-વૈહાનસ વગેરે વડે વિનાશ કરવો અથવા પરિકર્મ કરવો અથવા આત્માને અર્થે બીજી વસ્તુનો જે ઉપક્રમ તે આત્મોપક્રમ. તથા બીજાનો અથવા બીજાને માટે ઉપક્રમ કરવો તે પરોપક્રમ. તદુભય-આત્માને અને ૫૨(બીજા)ને અથવા તદુભયને માટે જે ઉપક્રમ તે તદુભયોપક્રમ (૨), 'વ' મિતિ॰ ઉપક્રમ સૂત્રની માફક આત્મા, ૫૨ અને ઉભય ભેદ વડે વૈયાવૃત્ય વગેરે કહેવા. વ્યાવૃતસ્ય-વિશેષ રૂપથી રહેવાનો ભાવ અથવા જે કર્મ તે વૈયાવૃત્યભોજન વગેરે વડે ઉપખંભ– મદદ. તેમાં પોતાની વૈયાવૃત્ય ગચ્છથી નીકળેલને જ હોય છે, બીજાની વૈયાવૃત્ય ગ્લાનાદિ પ્રત્યે જાગૃત રહેના૨ને હોય છે અને તદુભય વૈયાવૃત્ય ગચ્છવાસી મુનિઓને હોય છે (૩), અનુગ્રહ–જ્ઞાનાદિનો ઉપકાર, તેમાં આત્માનો અનુગ્રહ–અધ્યયન 1. શશરીર તે ઉપક્રમસ્વરૂપના જ્ઞાતાનો મૃતદેહ અને ભવ્યશરીર તે જે ભવિષ્યમાં ઉપક્રમના સ્વરૂપનો શાસ્ર થશે તેનો સજીવન દેહ. 2. આ ત્રણ દૃષ્ટાંતો વિશેષાવશ્યક ગાથા ૯૨૮ની ટીકામાં છે.
249