________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ३ धर्मस्वरूपम् १८८ सूत्रम् મતિની માફક શ્રત પણ એમ જ જાણવું. (૧૫૪)
મતિઅજ્ઞાનથી જેમ ક્રિયા-અનુષ્ઠાન કરવું તે મતિઅજ્ઞાનક્રિયા, એવી રીતે શ્રત તથા વિલંગમાં પણ જાણવું. વિશેષ એ કે-વિભંગ-મિથ્યાદૃષ્ટિનું જે અવધિ તે જ વિભંગઅજ્ઞાનરૂપ છે (૫), અક્રિયા મિથ્યાત્વનું વિવેચન કર્યું, હવે અવિનય મિથ્યાત્વની વ્યાખ્યા કરતાં કહે છે કે 'વિવે' ત્યાદિ વિશિષ્ટ નય–આચાર તે વિનય અર્થાત્ પ્રતિપત્તિ-ભક્તિ વિશેષ, તેના પ્રતિષેધથી અવિનય, દેશસ્ય–જન્મ, ક્ષેત્ર વગરેનો ત્યાગ તે દેશત્યાગ, સ્વામીને ગાળ દેવી વગેરે જે અવિનયમાં છે તે દેશત્યાગી, નિત મારાંવના-ગચ્છ, કુટુંબ વગેરે આશ્રયથી જે નીકળેલ છે તે નિરાલંબન, તેનો ભાવ તે નિરાલંબનતા અર્થાત્ આશ્રય કરવા યોગ્યનું નિરપેક્ષપણું (ઉપેક્ષા કરવી), આ તાત્પર્ય સમજવું અથવા પુષ્ટ આલંબનના અભાવ વડે ઉચિત પ્રતિપત્તિસ્વીકારનો નાશ છે. પ્રેમ અને દ્વેષ એટલે પ્રેમષ, નાના પ્રકારવાળો જે પ્રેમદ્રુષ તે નાનાપ્રેમદ્રેષઅવિનય. અહિંયા ભાવના આ પ્રમાણે છે–આરાધ્ય (સેવા કરવા યોગ્ય) વિષયવાળો પ્રેમ અથવા આરાધ્યને સમ્મત વિષયવાળો પ્રેમ, આરાધ્યને અસમ્મત (અમાન્ય) વિષયવાળો શ્રેષ, એવી રીતે આ બે નિયત-નિશ્ચિત વિનય હોય. કહ્યું પણ છે કેसरुषी नुतिः (नतिः) स्तुतिवचनं तदभिमते प्रेम तद्विषि द्वेषः । दानमुपकारकीर्तनममन्त्रमूलं वशीकरणम् ।।१५५।।
ક્રોધમાં નમન, સ્તુતિવચન, તેના અભિમતમાં પ્રેમ, તેના દ્વેષમાં (અપ્રિયમાં) દ્વેષ, દાન અને ઉપકારનું કીર્તન કરવું તે મંત્ર અને મૂલ-ઔષધ વિનાનું વશીકરણ છે.(૧૫૫)
એવી રીતે નાના પ્રકારવાળા તે બે-પ્રેમદ્રેષ એટલે આરાધ્ય અને આરાધ્યસમ્મતરૂપથી ઇતર-જુદા લક્ષણવિશેષ અપેક્ષા રહિતપણાએ અનિયત વિષયથી અવિનય છે (૬), હવે અજ્ઞાન મિથ્યાત્વને કહે છે–ત્રા' ત્યાદિ જ્ઞાન એટલે દ્રવ્ય અને પર્યાયના વિષયવાળો બોધ, તેના નિષેધરૂપ અજ્ઞાન છે. તેમાં વિવક્ષિત દ્રવ્ય દેશથી જ્યારે નથી જાણતો ત્યારે દેશઅજ્ઞાન છે, (સૂત્રમાં અકારનો પ્રશ્લેષ હોવાથી દેશ=ાણે પ્રયોગ છે) જ્યારે સર્વથી નથી જાણતો ત્યારે સર્વઅજ્ઞાન છે, જ્યારે વિવક્ષિત દ્રવ્ય પર્યાયથી નથી જાણતો ત્યારે ભાવઅજ્ઞાન છે અથવા દેશાદિ જ્ઞાન પણ મિથ્યાત્વવિશિષ્ટ અજ્ઞાન જ છે. સૂત્રમાં અકારના પ્રશ્લેષ સિવાય બીજો દોષ નથી (૭). I૧૮૭l
મિથ્યાત્વ કહ્યું તે અધર્મ છે માટે હવે તેના વિપર્યયરૂપ ધર્મને કહે છે – तिविहे धम्मे पन्नत्ते, तंजहा-सुयधम्मे, चरित्तधम्मे, अस्थिकायधम्मे। तिविधे उवक्कमे पन्नत्ते, तंजहा-धम्मिते उवक्कमे, अधम्मिते उवक्कमे, धम्मिताधम्मिते उवक्कमे १। अहवा तिविधे उवक्कमे पन्नत्ते, तंजहा-आओवक्कमे, परोवक्कमे, तदुभयोवक्कमे २। एवं वेयावच्चे ३, अणुग्गहे ४, अणुसट्ठी ५, उवालंभे ६, एवमेक्केके तिन्नि २ आलावगा जहेव उवक्कमे ।। सू० १८८ ।। (મૂળ) ત્રણ પ્રકારે ધર્મ કહેલ છે, તે આ પ્રમાણે—૧ શ્રતધર્મ, ૨ ચારિત્રધર્મ અને ૩ અસ્તિકાયધર્મ ત્રણ પ્રકારે ઉપક્રમ
(ઉપાયપૂર્વક આરંભ) કહેલ છે તે આ પ્રમાણે–૧ ધાર્મિકઉપક્રમ, ૨ અધાર્મિક ઉપક્રમ અને ૩ ધાર્મિકા ધાર્મિક ઉપક્રમ (૧), અથવા ત્રણ પ્રકારે ઉપક્રમ કહેલ છે, તે આ પ્રમાણે–૧ આત્માપક્રમ-શીલરક્ષાદિને અર્થે મરણ વગેરે કરવું તે, ૨ પરોપક્રમ-બીજાનો અથવા બીજાને માટે જે ઉપક્રમ તે, ૩ તદુભયોપક્રમ-પોતાને તથા પરને માટે ઉપક્રમ તે (૨), એમ વૈયાવૃત્ય ત્રણ પ્રકારે છે, તેમાં ૧ આત્મવૈયાવૃજ્ય-તે ગચ્છથી નીકળેલ મુનિને હોય, ર પરવૈયાવૃત્યગ્લાનાદિની સેવા કરનારને હોય અને ૩ તદુભય વૈયાવૃત્ય ગચ્છવાસી મુનિને હોય (૩), એમ અનુગ્રહ (જ્ઞાનાદિનો ઉપકાર) ત્રણ પ્રકારે છે (૪), અનુશિષ્ટિહિતશિક્ષા પણ ત્રણ પ્રકારે છે (૫), ઉપાલંભ-ઠપકો પણ આત્મ, પર અને તદુભય ભેદથી ત્રણ પ્રકારે છે (૬), એવી રીતે વૈયાવૃત્યાદિ દરેક સૂત્રને વિષે ત્રણ ત્રણ આલાપકો જેમ ઉપક્રમમાં કહ્યા તેમ કહેવા. /૧૮૮
248.