SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ३ मिथ्यात्ववर्णनम् १८७ सूत्रम् 'स्थानाङ्गसूत्र सानुवाद भाग १ विभंग अन्नाणकिरिया ५ । अविणते तिविहे पन्नत्ते, तंजहा - देसच्चाती, निरालंबणता, नाणापेज्जदोसे ६ | अन्नाणे તિવિષે પત્રો, તંનહારેલાને, સવ્વાને, ભાવનાને ૭।। સૂ॰ ૮૭ ।। (મૂળ) ત્રણ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે, તે આ પ્રમાણે—૧ ભલી ક્રિયા નહિં તે અક્રિયા, ૨ સારો વિનય નહિં તે અવિનય અને ૩ સભ્યજ્ઞાન નહિં તે અજ્ઞાન (૧), અક્રિયા ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧ પ્રયોગક્રિયા, ૨ સમુદાન (સમ્યક્ પ્રકારે કર્મનું ગ્રહણ) ક્રિયા અને ૩ અજ્ઞાનક્રિયા (૨), પ્રયોગક્રિયા ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧ મનના વ્યાપારરૂપ ક્રિયા તે મનોપ્રયોગક્રિયા, ૨ વચનના વ્યાપારરૂપ ક્રિયા તે વચનપ્રયોગક્રિયા અને ૩ કાયાના વ્યાપારરૂપક્રિયા તે કાયપ્રયોગક્રિયા (૩), સમુદાનક્રિયા ત્રણ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—૧અનંતરસમુદાનક્રિયા (પ્રથમ સમયની ક્રિયા), ૨ પરંપરસમુદાનક્રિયા (બીજા વગે૨ે સમયની ક્રિયા), ૩ તદુભયસમુદાનક્રિયા (પ્રથમ– અપ્રથમ સમયની ક્રિયા) (૪), અજ્ઞાનક્રિયા ત્રણ પ્રકારે કહેલી છે, તે આ પ્રમાણે—૧ મતિઅજ્ઞાનથી થયેલ જે અનુષ્ઠાન તે મતિઅજ્ઞાનક્રિયા, એમ ૨ શ્રુતઅજ્ઞાનક્રિયા અને ૩ વિભંગઅજ્ઞાનક્રિયા જાણવી (૫), અવિનય ત્રણ પ્રકા૨ે કહેલ છે, તે આ પ્રમાણે—૧ દેશત્યાગી—સ્વામીને ગાળ વગેરેનો દેનાર, ૨ નિરાલંબનતા ગચ્છ અથવા કુટુંબ વગેરેના આલંબનનું નિરપેક્ષપણું, ૩ નાના પ્રકારનો પ્રેમàષરૂપ અવિનય (૬), ત્રણ પ્રકારે અજ્ઞાન કહેલ છે, તે આ પ્રમાણે—૧ દેશઅજ્ઞાન–જે વિવક્ષિત દ્રવ્યના દેશને ન જાણે તે, ૨ સર્વઅજ્ઞાન–સર્વથી ન જાણે તે અને ૩ ભાવઅજ્ઞાન– વિવક્ષિત દ્રવ્યને પર્યાયથી ન જાણે તે (૭). ૧૮૭૫ (ટી0) 'તિવિષે મિ∞ત્તે' ત્યાવિ॰ સાત સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે કે—મિથ્યાત્વ એટલે જે વિપરીત શ્રદ્ધાનરૂપ કહેવાય છે તે અહિં વિવક્ષેલ નથી કારણ કે પ્રયોગક્રિયાદિને અને કહેવાતા તેના ભેદોને અસંબંધ છે, તેથી અહિં મિથ્યાત્વક્રિયાદિનું અયથાર્થરૂપપણું મિથ્યાદર્શન અને અનાભોગાદિથી થયેલ વિપર્યાસ દુષ્ટપણું અર્થાત્ અશોભનપણું એવો ભાવ જાણવો. 'અિિરય'ત્તિ॰ અહિં ન શબ્દ દુઃશબ્દના અર્થમાં છે (નિષેધવાચક નથી), જેમ અશીલ એટલે દુઃશીલ કહેવાય છે, તેથી અક્રિયા એટલે મિથ્યાત્વાદિથી હણાયેલને મોક્ષસાધક અનુષ્ઠાન દુષ્ટક્રિયા છે. જેમ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે તેમ જાણવું. એમ અવિનય સંબંધી પણ જાણવું. અજ્ઞાન એટલે અયથાર્થ જ્ઞાન (૧), અક્રિયા તે અશોભન ક્રિયા જ છે, આ કારણથી અક્રિયા ત્રણ પ્રકારે છે એમ કહીને પણ પ્રયોગ ઇત્યાદિ વડે ક્રિયા જ કહેલી છે. તેમાં વીર્યંતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલ વીર્ય દ્વારા આત્મા વડે પ્રયુખ્યતે—જે વ્યાપાર કરાય છે તે પ્રયોગ, મન, વચન અને કાયાલક્ષણની ક્રિયા-કરવું અર્થાત્ વ્યાપ્ત થવું તે પ્રયોગક્રિયા, અથવા મન વગેરે પ્રયોગ વડે યિતે—જે બંધાય છે તે પ્રયોગક્રિયા અર્થાત્ કર્મ, તે દુષ્ટપણાથી અક્રિયા અને અક્રિયા તે મિથ્યાત્વ છે એમ સર્વત્ર સંબંધ જોડવો. 'સમુવાળ' તિ॰ પ્રયોગક્રિયા વડે એકરૂપપણાએ ગ્રહણ કરેલ કર્મવર્ગણાને સમિતિ—સારી રીતે પ્રકૃતિ, બંધ વગેરે ભેદ વડે, દેશઘાતિ અને સર્વઘાતિરૂપપણાએ આવન—સ્વીકારવું તે સમુદાન (આ પદ નિપાતનથી બનેલું છે), તે જે ક્રિયા-કર્મ તે સમુદાનક્રિયા, અજ્ઞાનથી ચેષ્ટા અથવા અજ્ઞાનથી કર્મ તે અજ્ઞાનક્રિયા (૨), પ્રયોગક્રિયા ત્રણ પ્રકારની કહેલ અર્થવાળી છે (૩), નથી અંતર જેણીને તે અનંતર, એવી જે સમુદાનક્રિયા અર્થાત્ પ્રથમ સમયમાં વર્તનારી, બીજા વગેરે સમયમાં વર્તનારી તે પરંપરસમુદાનક્રિયા અને પ્રથમ–અપ્રથમ સમયની અપેક્ષાએ તો તદુભયંસમુદાનક્રિયા જાણવી (૪) 'મઅન્ના જિરિય'1 ત્તિ अविसेसिया मइच्चिय, सम्मद्दिडिस्स सा मइन्नाणं । मइअन्नाणं मिच्छा - दिट्ठिस्स सुयं पि एमेव ।। १५४ || [विशेषावश्यक० ११४ त्ति ] વિશેષ નહિં કરાયેલ તે મતિ જ છે અને સમ્યગ્દૃષ્ટિને તે મતિજ્ઞાનરૂપ છે તથા મિથ્યાદૃષ્ટિને તે મતિઅજ્ઞાનરૂપ છે. 1. આ ગાથાની વ્યાખ્યા વિસ્તારથી અગાઉ કહેવાઈ ગયેલ છે. 247
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy