________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ३ मिथ्यात्ववर्णनम् १८७ सूत्रम् અથવા જે વડે તે ભેદો સંગ્રહ કરાય છે તે સંગ્રહ-મહાસામાન્ય માત્ર (સત્તામાત્ર) સ્વીકારમાં તત્પર ૨, વ્યવહાર કરવો તે વ્યવહાર અથવા વ્યવહાર કરે છે તે અથવા જેના વડે વ્યવહાર કરાય છે તે વ્યવહાર અથવા વિશેષ વડે નિરાકરણ કરાય છે તે અથવા સામાન્ય એવા લોકવ્યવહારને વિષે તત્પર તે વ્યવહાર વિશેષમાત્ર સ્વીકાર કરવામાં તત્પર ૩. આ નિયોના મત વડે જાણવું. 28નું–વક્ર નહિં એટલે સરલ, સન્મુખ શ્રત–શ્રુતજ્ઞાન છે જેનું તે ત્રજુશ્રુત, અથવા ઋજુ-અતીત અને અનાગતરૂપ વક્રના ત્યાગથી ફક્ત વર્તમાન વસ્તુને સૂત્રયતિ–જણાવે છે તે જુસૂત્ર પોતાની અને સાંપ્રત-વર્તમાનને વસ્તુ માને છે, બીજી માનતો નથી અર્થાત્ ભૂતકાળ વિનષ્ટ છે અને ભવિષ્યકાળ અનુત્પન્ન છે માટે તે અવસ્તુ છે, આ પ્રમાણે સ્વીકાર કરવામાં તત્પર છે ૪, શક્યતે–જેના વડે કથન કહેવાય છે તે શબ્દવાચક ધ્વનિ, નિયંતિ–અનેક ધર્માત્મક વસ્તુ છતાં બીજા ધર્મોનો નિષેધ કરીને ચોક્કસપણે એક ધર્મ વડે જે પરિચ્છેદ કરે છે અર્થાત્ માને છે તે નયો, શબ્દની મુખ્યતાવાળા જે નયો તે શબ્દનયો, તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના ત્રણ નયો છે. તેમાં બોલાવવું તે શબ્દ, અથવા જે નામ પ્રત્યે બોલાવે છે તે શબ્દ અથવા જેના વડે વસ્તુ કરાય (બોલાવાય) છે તે શબ્દ, તે શબ્દ કથનના વિમર્શ-વિચારમાં તત્પર નય પણ શબ્દ જ છે. તે ભાવનિક્ષેપરૂપ વર્તમાન (કાલીન) અભિન્ન લિંગવાચક અને બહુપર્યાય પ્રત્યે પણ સ્વીકારે છે ૫. વાચક વાચક પ્રત્યે એટલે સંજ્ઞા સંજ્ઞા પ્રત્યે વાચ્યભેદ–અર્થના ભેદને સમમિરોહતિ–આશ્રય કરે છે તે સમભિરૂઢ કહેવાય, તે નિચે ઉપર કહેલ વિશેષણયુક્ત વસ્તુને પણ શક્ર અને પુરંદર વગેરે વાચક (શબ્દ) ભેદ વડે, ઘટ અને પટના ભેદની માફક, ભેદને સ્વીકારે છે; જેવી રીતે શબ્દનો અર્થ
ઇત્યાદિ લક્ષણ જાણવું ૬, "ઇવ' નિતિ. તેવા પ્રકારના સત્ય અર્થવાળો ઘટાદિ પણ અન્યથા નહિ એવી રીતે સ્વીકારવામાં જે તત્પર તે એવંભૂત નય છે. આ નય તો ભાવનિક્ષેપાદિ વિશેષણ સહિત વ્યુત્પત્તિ અર્થવાળા અર્થને જ જલાહરણાદિ ચેષ્ટાવાળા ઘટની માફક ઇષ્ટ માને છે (સ્ત્રીના મસ્તક ઉપર રહેલ, કંબૂરીવાદિલક્ષણવિશિષ્ટ અને જલ લાવવારૂપ ચેષ્ટા વડે જે નિષ્પન્ન તેને જ ઘટ માને છે) ૭, તેમાં પહેલા ત્રણ નયોનું અશુદ્ધપણાથી અને પ્રાયઃ લોકવ્યવહારમાં તત્પર હોવાથી નરકાવાસોનું પૃથ્વીના આધારે રહેવાપણું છે એવો (તેઓનો) મત છે. ચોથા નયનું શુદ્ધપણાથી અને આકાશને જતાં અથવા રહેતાં સર્વ ભાવો (પદાર્થો)નું એકાંતિક આધારપણું હોવાથી અને પૃથ્વીનું અનૈકાંતિકપણું હોવાથી આકાશપ્રતિષ્ઠિતપણું છે. શબ્દાદિ ત્રણ નયોનું વિશેષ શુદ્ધપણું હોવાથી અને સર્વ ભાવો (પદાર્થો)નું સ્વભાવલક્ષણ અધિકરણ (આધાર)ના અંતરંગપણાથી તેમજ અવ્યભિચારપણાથી (સમવાય સંબંધથી) આત્મપ્રતિષ્ઠિતપણું છે, કેમ કે પોતાના સ્વભાવને છોડીને બીજાના સ્વભાવમાં અધિકરણવાળા ભાવો (પદાર્થો) કદાપિ હોતા નથી, જે માટે કહ્યું છે કેवत्थु वसइ सहावे, सत्ताओ चेयणव्व जीवम्मि । न विलक्खणत्तणाओ, भिन्ने छायातवे चेव ॥१५३।।
[विशेषा० २०४२ त्ति] સર્વે વસ્તુ સત્પણાથી સ્વભાવમાં જ વસે છે (સલ્લક્ષણે દ્રવ્ય) અર્થાત્ જે સત્ છે તે સ્વભાવમાં વસે છે અને જે સત્ નથી તે સ્વભાવમાં વસતી નથી, જેમ જીવમાં ચૈતન્ય (ઉપયોગ) સત્ છે; બીજામાં વિલક્ષણપણાથી છાયા અને તડકાની જેમ અસત્ છે અર્થાત્ જ્યાં છાયા છે ત્યાં આતપ (તડકો) નથી અને જ્યાં આતપ છે ત્યાં છાયા નથી. (૧૫૩) I/૧૮૬ll
નારકોને વિષે જંતુઓની ગતિ મિથ્યાત્વથી થાય છે માટે અથવા એકાંતિક નયો મિથ્યાદૃષ્ટિ છે માટે તેના સંબંધથી મિથ્યાત્વના સ્વરૂપને કહે છે– तिविधे मिच्छत्ते पन्नत्ते, तंजहा–अकिरिता, अविणते, अन्नाणे १।अकिरिया तिविधा पन्नत्ता, तंजहा-पओगकिरिया, समुदाणकिरिया, अन्नाणकिरिया ।पओगकिरिया तिविधा पन्नत्ता, तंजहा-मणपओगकिरिया, वइपओगकिरिया, कायपओगकिरिया ३।समुदाणकिरिया तिविधा पन्नत्ता, तंजहा–अणंतरसमुदाणकिरिया, परंपरसमुदाणकिरिया, तदुभयसमुदाणकिरिया ४। अन्नाणकिरिया तिविधा पन्नत्ता, तंजहा–मतिअन्नााणकिरिया, सुतअन्नाणकिरिया,
246