________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ३ तपस्वीनां कर्त्तव्यम् परिहर्त्तव्यं च १८२ सूत्रम्
તથા આગમમાં કહ્યું છે કે—'પમ સત્તરાતિય ાં મિવુપહિમ પડિવન્નલ્સ બળરસ્ત પર્ સે ભેળ મત્તેનું અવાળાં વઢિયા ગામમ્સ વે' ત્યા॰િ [વશા ૦ ૭/૧૨]—સાત રાત્રિદિવસવાળી પ્રથમ એટલે આઠમી ભિક્ષુપ્રતિમા પ્રતિપન્ન સાધુને કલ્પે, તેમણે ચોવિહાર એકાંતર ઉપવાસ વડે ગ્રામની બહાર રહેવું. उत्ताणगपासल्ली, नेसज्जी वावि ठाण ठाइत्ता । अह उवसग्गे घोरे, दिव्वाई सहइ अविकंपो || १४६ ॥ [ पञ्चा० १८ / १५ ]
(અહિં પારણામાં દત્તીના નિયમનથી આંબેલ કરવું) ૩ત્તાન—ઊંચું મુખ રાખીને ચત્તો સૂનાર, પડખે સૂનાર તથા નિષદ્યાવાનૢ (પલાંઠી વાળી બેઠેલો) (વા શબ્દ વિકલ્પાર્થમાં છે) સ્થાન-કહેલ કાયાની ચેષ્ટાવિશેષ કરીને, ગ્રામાદિથી બહા૨ રહીને દિવ્યાદિ ઘોર ઉપસર્ગોને ચલાયમાન થયા વિના સહે છે. (૧૪૬)
दोच्चा वि एरिसि, च्चिय बहिया गामादियाण नवरं तु । उक्कडु लगंडसाई, डंडायतिउ व्व ठाइत्ता ॥ १४७॥
[પા° ૧૮/૧૬] બીજી એટલે નવમી પણ એજ પ્રમાણે જાણવી એટલે ગ્રામ વગેરેની બહાર રહેવું. એકે ઉત્કટુક ઉભડક આસને બેસે, લગડા (કાષ્ઠ)ની માફક મસ્તક અને પગની પાની માત્ર પૃથ્વીને અડકે પણ વચલો ભાગ ભૂમિને અડે નહિં એવી રીતે ચત્તા સૂવે. અથવા દંડની જેમ લાંબા સૂઈ રહે અને દિવ્યાદિ ઉપસર્ગોને સહન કરે. (૧૪૭)
तच्चाए वि एवं, नवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवा वि, ठाएज्ज य अंबखुज्जो य ॥ १४८ ।। [ पञ्चा० १८/१७]
ત્રીજી એટલે દશમી પ્રતિમા પણ એમ જ છે. વિશેષ એ કે–તેનું આસન ગોદોહી–ગાયને દોવા બેસે તેવું જાણવું અથવા વીરાસને રહેવું. તે વીરાસન આ પ્રમાણે—સિંહાસન પર બેસીને પગ ભૂમિ પર રાખવા, પછી સિંહાસન લઈ લઈએ અને જે આસન રહે તે જ રીતે અદ્ધર રહેવું તે વીરાસન કહેવાય અથવા બીજી રીતે વીરાસન એ છે કે-ડાબા પગને જમણા સાથળ પર અને જમણા પગને ડાબા સાથેળ પર રાખી, ડાબા હાથની હથેળી ઉપર રહેલી જમણા હાથની હથેળી વડે નાભિને સ્પર્શ કરી રહેવું તે અથવા આમ્રકુબ્જ એટલે આંબાના ફળની જેમ વક્ર આકારે રહવું તે: (૧૪૮)
एमेव अहोराई, छट्टं भत्तं अपाणगं नवरं । गामनगराण बहिया, वग्घारियपाणिए ठाणं ॥ १४९ ॥ [ पञ्चा० १८ / १८ ]
એ જ રીતે અગિયારમી પ્રતિમા એક રાત્રિદિવસની છે. તેમાં ચોવિહાર છઠ્ઠુ કરવાનો છે. બાકી પૂર્વની જેમ જાણવું. વિશેષ એ છે કે—ગામ કે નગરની બહાર હાથને લાંબા રાખી ઊભા રહેવાનું છે. આ પ્રતિમા ત્રણ દિવસે થાય છે કારણ કે એક રાત્રિદિવસની પ્રતિમા કર્યા પછી છઠ્ઠ કરવાનો છે. (૧૪૯)
મેવ ારૂં, અક્રમમત્તેન ઝાળ વાહિરો । ફૅસિં પદ્માણ, અનિમિત્તયને વિકીન[] ।। [પદ્મા° ૬૮/૧૬]
બારમી પ્રતિમા પણ એ જ રીતે એક રાત્રિની છે. તેમાં તે રાત્રિને છેડે ચોવિહાર અઠ્ઠમ તપ કરવાનો છે. ગ્રામાદિકની બહાર કાયોત્સર્ગે રહી, કાંઈક શરીરને નીચું નમાવીને રહે અને અનિમેષ નેત્રે એક પુદ્ગલ પર નિશ્ચલ દૃષ્ટિ રાખે.(૧૫૦) साहट्टु दोन्नि[वि]पाए, वग्घारियपाणि ठायति ठाणं । वग्घारिलंबिय भुओ, सेस दसासुं जहा भणियं । । १५१ ।।
[પશ્ચા॰ ૮/૨૦] આ બારમી પ્રતિમામાં બન્ને પગને સંહરીને એટલે બન્ને પગ વચ્ચે ચાર આંગલનું અંતર રાખી, લાંબા હાથ રાખીને કાયોત્સર્ગે રહેવું. બાકીનું દશાશ્રુતસ્કંધમાં જેમ કહ્યું છે તેમ જાણવું. (૧૫૧)
આ પ્રતિમા પૂર્ણ થયા પછી અક્રમ કરવાનો છે માટે આ પડિમા ચાર દિવસે પૂરી થાય છે. આ પ્રમાણે બાર પ્રતિમાનું સ્વરૂપ છે તેમાં ત્રિમાસિકી–ત્રણ મહિનાના કાળપ્રમાણની ત્રીજી, તે પ્રત્યે સ્વીકારનારને દત્તી–એક વાર આહાર કે પાણીના પ્રક્ષેપ (નાખવા) લક્ષણવાળી જાણવી (૧૨). એકરાત્રિકી–બારમી પ્રતિમાનું સારી રીતે અનુપાલન નહિં કરવાથી ઉન્માદચિત્તનો વિભ્રમ, કોઢ વગેરે રોગ, તરત પ્રાણનો ઘાત ક૨ના૨ આતંક-ફૂલ અને વિશૂચિકા એટલે ઝાડો અને ઉલટી વગેરે તે
242