________________
३ स्थानकाध्ययने उद्देशः ३ तपस्वीनां कर्त्तव्यम् परिहर्त्तव्यं च १८२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
પહેલી એક માસની, બીજી બે માસની યાવત્ સાતમી સાત માસની છે. પ્રથમ-આઠમી, બીજી-નવમી અને ત્રીજીદશમી એ ત્રણ સાત સાત અહોરાત્રિના પ્રમાણવાળી છે. અગિયારમી એક અહોરાત્રિી અને બારમી ફક્ત એકરાત્રિની છે. એ પ્રમાણે ભિક્ષુની પ્રતિમાઓ બાર છે. (૧૩૯) पडिवज्जइ एयाओ, संघयणधिइजुओ महासत्तो । पडिमाओ भावियप्पा, सम्मं गुरुणा अणुन्नाओ ॥१४०॥
[પડ્યા ૨૮/૪]. વજઋષભનારાચાદિ સંઘયણવાળો, વૈર્યવાન, મહાસત્ત્વવાનું અને ભાવિતાત્મા, તપ વગેરે પાંચ ભાવના વડે તલના કરનાર અને જેમ આગમમાં દર્શાવેલ છે તેમ ગુરુ વડે આદેશ પામેલ એવો મુનિ પ્રતિમાને સ્વીકારે છે. (૧૪૦) गच्छे च्चिय निम्माओ, जा पुव्वा दस भवे असंपुना । नवमस्स तइयवत्थू, होइ जहन्नो सुयाभिगमो ॥१४१।।
પિશા.૧૮/૧]. ગચ્છમાં રહેતો થકો નિર્માત-આહારાદિવિષયમાં પડિયાકલ્પના પરિકર્મ–અભ્યાસને વિષે સારી રીતે કુશલ હોય, ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન દશ પૂર્વનું શ્રુતજ્ઞાન હોય અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુનું જ્ઞાન હોય. (૧૪૧) वोसठ्ठचत्तदेहो, उवसग्गसहो जहेव जिणकप्पी । एसण अभिग्गहीया, भत्तं च अलेवडं तस्स ।।१४२।। [पञ्चा० १८/६]
પરિકર્મ–શરીરના સંસ્કાર ન કરવા વડે ત્યક્તદેહ-દેહ પ્રત્યે મમત્વ રહિત, જિનકલ્પીની માફક ઉપસર્ગને સહન કરનાર અને એષણાના અભિગ્રહવાળો અર્થાત્ સાત પિંડેષણામાંથી સંસૃષ્ટાદિ પહેલી બે એષણાને છોડી પાંચનું ગ્રહણ કરે, તેમાં પણ બેનો અભિગ્રહ કરે-એક એષણા આહારમાં અને એક પાણીમાં કરે, વળી તેને ભોજન અપકૃત (વાલ વગેરે) હોય. (૧૪૨)
આ પ્રમાણે પરિકર્મને કરનારો શું કરે? તે કહે છે– गच्छा विणिक्खमित्ता, पडिवज्जइ मासियं महापडिमं । दत्तेग भोयणस्सा, पाणस्स वि एग जा मासं ॥१४३॥
પિ૦૨૮૭]. ગચ્છમાંથી નીકળીને તે એક માસ પ્રમાણવાળી મહાપડિમાને સ્વીકારે છે, તેને એક દત્તી ભોજનની અને એક દત્તી પાણીની કલ્પ યાવતું એક માસ પર્યત જાણવું. (૧૪૩)
पच्छा गच्छमुवेति[मतीती], एव दुमासी तिमासी जा सत्त । नवरं दत्तिविवड्डी, जा सत्त उ सत्तमासीए ॥१४४।।
પહેલી પડિમા પૂર્ણ કર્યા પછી ગચ્છમાં આવે, (તપનું બહુમાન અને શાસનની પ્રભાવના માટે આચાર્યાદિના કથનથી રાજા વગેરે તેને બહુમાનથી તેડી લાવે) એવી રીતે બે માસ પ્રમાણવાળી બીજી પડિયા, ત્રણ માસની ત્રીજી યાવત્ સાત માસની સાતમી પડિમા જાણવી. વિશેષ એ કે-એકેક દત્તની વૃદ્ધિ હોય છે અર્થાત્ બીજીમાં બે દત્તી, ત્રીજમાં ત્રણ દત્તી યાવત્ સાતમીમાં સાત દત્તી જાણવી. (૧૪૪) तत्तो अ अट्ठमी खलु, हवइ इहं पढमसत्तराइंदी । तीए चउत्थएणं, अपाणएणं अह विसेसो ॥१४५।। [पञ्चा० १८/१४]
ત્યારપછી આઠમી પડિમા વહન કરે, તેમાં પ્રથમના સાત રાત્રિદિનમાં પાણી રહિત (ચોવિહાર) એકાંતર ઉપવાસ કરે. (૧૪૫).
1. દશ પૂર્વનો અભ્યાસી જે હોય તે ક્ષીરાસવલબ્ધિવાન હોવાથી ધર્મોપદેશ વડે શાસનની વિશેષ ઉન્નતિ કરે છે, તેથી તેને પ્રતિમાના સ્વીકારનો નિષેધ છે, અને નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું જ્ઞાન ન હોય તો તે નિરતિશય જ્ઞાનવાળો હોવાથી કાલાદિ–ભૂતભાવીનું જ્ઞાન ન થાય તેથી, તેને પણ પડિમા વહન કરવાનો નિષેધ છે.
– 241