SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ तपस्वीनां कर्त्तव्यम् परिहर्त्तव्यं च १८२ सूत्रम् આહારને આહારતો (ખાતો) થકો શ્રમણ નિગ્રંથ પ્રકામ (અત્યંત) રસભોજી નથી એ વક્તવ્યતા હોય. વળી ભાવઊણોદરિકા ક્રોધાદિના ત્યાગરૂપ જાણવી. કહ્યું છે કે कोहाईणमणुदिणं, चाओ जिणवयणभावणाओ उ । भावेणोमोदरिया, पन्नत्ता वीयरागेहिं ॥१३८॥ પ્રતિદિન ક્રોધાદિનો જિનેશ્વરના વચનથી ભાવનાથી ત્યાગ કરવો તે ભાવઊણોદરિકા વીતરાગોએ કહેલી છે. (૧૩૮) ઉપકરણ-અવમોદરિકાના ભેદોને કહે છે–૩વરને'ત્યાતિ એક વસ્ત્ર, જિનકલ્પિક વગેરેને હોય, એમ જ એક પાત્ર પણ તેને જ હોય. ' પાયે નિશ્વિપ્નિયા"I'મિતિ વવનાત્ [ગોપ.નિ. ૬૭૧] એક પાત્ર જિનકલ્પિકોને હોય એવું વચન છે. તથા 'વિયત્ત ” સંયમને આ ઉપકારક છે એવી પ્રીતિ વડે મલિનાદિને વિષે અપ્રીતિ ન કરવા વડે, અથવા 'વિયત્તત્સ વા’ સંયમીઓને માન્ય ઉપધિરજોહરણ વગેરેને 'સફિક્ત'ત્તિ સેવા–સ્વીકાર તે 'વિયત્તવદિસન્નિપથ'ત્તિ (૭). "વિયો ' ૦િ પૂર્વે કહેલાના હવે બધાય વિપર્યય ભેદો કહે છે–'તો' રૂટ્યાત્રિ સ્પષ્ટ છે, પરંતુ હિતા – અપથ્યને માટે, કસુરવીય–દુઃખને માટે, નિઃશ્રેયસાય—અમોક્ષને માટે, બનાનુનામિત્વીય–શુભના અનુબંધને માટે નહિં, જૂનનતા–દીનસ્વરે બોલવું, રતાશય્યા, ઉપાધિ વગેરેના દોષોના ઉદ્ભાવનપૂર્વક બડબડાટ કરવો તથા અપધ્યાનતા-આર્ત અને રૌદ્રધ્યાનનું ધ્યાવવું (૮). આ કહેલ સૂત્રથી વિપરીત સૂત્રો હિતને માટે, સુખને માટે વગેરે સ્પષ્ટ છે (૯) નિગ્રંથોને જ પરિહરવા યોગ્ય ત્રણ વસ્તુઓ કહે છે-'તમો” ત્યા૦િ શક્યતે જેના વડે બાધા-પીડા થાય તે શલ્ય. દ્રવ્યથી તોમર, તરવાર વગેરે, ભાવથી તો ત્રણ પ્રકારે છે-માયા અને કપટ તે જ શલ્ય તે માયાશલ્ય ૧, એમ સર્વત્ર જાણવું. વિશેષ કહે છે નિતરાં રીયતે–જે અનિંદ્ય બ્રહ્મચર્ય વગેરે વડે સાધ્ય જે મોક્ષદ્ય અને કુશલ-શુભ કર્મરૂપ કલ્પવૃક્ષનું વન, દેવઋદ્ધિ વગેરેની પ્રાર્થનાના પરિણામરૂપ તીણ તલવાર વડે છેદાય છે તે નિદાન ૨, મિથ્યા-વિપરીત એવું દર્શન તે મિથ્યાદર્શન ૩. (૧૦). નિગ્રંથોને જ લબ્ધિવિશેષના ત્રણ કારણને કહે છે–'તિદી' ત્યાદિ વિપુલ છતાં પણ સંકોચેલી, જો ન સંકોચે તો સૂર્યબિંબની, માફક ન જોઈ શકાય એવી તેજોલેશ્યા-તપની શક્તિથી ઉત્પન્ન થયેલ તેજસ્વીપણું, તૈજસ્ શરીરની પરિણતિરૂપ મહાજવાલા સમાન છે જેના વડે તે સંક્ષિપ્ત વિપુલતેજોલેશ્યા, ગાતાપના-શીત, તાપ વગેરે વડે શરીરને સારી રીતે તપાવવું-કષ્ટ આપવું તે આતાપન, તેનો જે ભાવ તે આતાપનતા, શીત તથા તાપાદિને સહન કરવા વડે ૧, ક્ષાંત્યાક્રોધના નિગ્રહ વડે, ક્ષમાસહનશીલ, પરંતુ અશક્તિ વડે નહિ, એવી ક્ષાંતિ-ક્ષમા વડે ૨, પાનન–પારણાના સમયથી અન્યત્ર બીજા કાળમાં છઠ્ઠ વગેરે તપશ્ચર્યા વડે પ્રાપ્ત થાય છે ૩. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે–ને બોલાતા! II સનદી જુમ્માસપિડિયા છો य वियडासणेणं छठें छटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डं बाहाओ पगिज्झिय २ सूराभिमुहे आयावणभूमीए માયા વેમાને વિદર સે જ સંતો છદં માસા સંવિવિપુલ જોસે મવડું' [માવતી ૨૫/૧૪ રિ૦]–હે ગોશાલક! જે નખ સહિત વાળેલી અડદના બાકળાની મુઠ્ઠી વડે અને એક વિકટાશય-એક ચુલુકપ્રમાણ પાણી વડે નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી, ઊંચા હાથ રાખીને સૂર્યની સન્મુખ આતાપન ભૂમિને વિષે આતાપના લેતો થકો વિહરે, તો તેને છ માસને અંતે (અપ્રયોગકાળે) સંક્ષિપ્ત અને (પ્રયોગકાળે) વિસ્તીર્ણ એવી તેજલેશ્યા પ્રાપ્ત થાય. (આ પ્રમાણે ભગવંતે ગોશાલકને કહ્યું) (૧૧). "તે માસિય” મિત્કારિ૦ ભિક્ષની પ્રતિમા એટલે કે સાધુઓના અભિગ્રહવિશેષો, તે બાર છે. તેમાં એકમાસિકી વગેરે માસોત્તરા (એક એક માસની વૃદ્ધિવાળી) સાત છે, ત્રણ (આઠથી દસ) પ્રત્યેક સાત આહોરાત્રિના પ્રમાણવાળી છે, એક (અગિયારમી) અહોરાત્રિના પ્રમાણવાળી છે અને એક બારમી) એક રાત્રિના પ્રમાણવાળી છે. ભિક્ષુપ્રતિમા સંબંધી કહ્યું છે કે मासाई सत्तंता पढमा १, बि[इ] २ तइय ३ सत्तराइदिणा १० । अहराइ ११ एगराई १२, भिक्खूपडिमाण बारसगं ॥१३९।। ['आव०भा०; पञ्चाशक० १८/३ ति] . 1. आवश्यकस्य सूत्रस्य चतुर्थेऽध्ययने बारसहिं भिक्खुपडिमाहिं इत्यस्य हारिभद्र्यां वृतौ-भाष्यगाथेयम् .. 240
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy