SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ३ स्थानकाध्ययने उद्देशः ३ तपस्वीनां कर्त्तव्यम् परिहर्त्तव्यं च १८२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પ્રમાણે છે—આહ્લાદને માટે કૂર (ભાત)ને વિશાલ અને ઊંચે ઉપડતા કાંસા વગેરેના ભાજનને વિષે નાખેલું છે, તે પાત્રમાંથી જમનારાઓને માટે આપ્યું, તેમાંથી બાકી રહેલ ભોજનને ફરી પિઠકર–ખુલ્લા મુખવાળા ભાજનમાં નાખતી થકી આપે અથવા ખુલ્લા મુખવાળા ભાજનમાં પીરસતી છતી આપે તે ત્રીજું અવગૃહિત. આ સંબંધી શ્લોક નીચે પ્રમાણે જાણવો— भुत्तसेसं तु जंभूओ, छुब्भंती पिठरे दये । संवट्टंती व अन्नस्स, आसगंमि पगास || १३३ || [ व्यव० भा० ९ / ३८३० त्ति] ભુક્તશેષ ભાજનને (પીરસતાં વધેલાંને) પાછું ખુલ્લા મુખવાળા પૂર્વના ભાજનમાં નાખતી અથવા તેવા ભાજનમાંથી લઈને પીરસતી છતી આપે તે ત્રીજું અવગૃહીત છે. (૧૩૩) પ્રશ્ન—મત્સ્યે—મુખમાં જે નાંખે છે તેવો મુખ્ય અર્થ હોવા છતાં પિઠરકાદિના મુખમાં નાખે છે એવી વ્યાખ્યા કેમ કરાય છે? ઉત્તર—મુખમાં પ્રક્ષેપ કરવાનું વ્યાખ્યાન જુગુપ્સા (સુગ) થવાથી અયુક્ત છે. કહે છે કે—'પસ્તેવ પુછા, આસો વુડમુહાસુ । [વ્યવ૦ ૧/૩૮ર૬ ત્ત]' મુખમાં પ્રક્ષેપ કર્યો છતે દુગંચ્છા થાય છે માટે પિઠરાદિના મુખમાં પ્રક્ષેપનો આદેશ છે, કારણ કે તેમ ક૨વાથી જુગુપ્સાનો અભાવ થાય છે. અવમન્—ઊભું ઉદર છે જેને તે અવમોદ૨ અથવા ઊણું ઉદ૨ તે અવમોદ૨, તેનો ભાવ તે અવમોદરતા (પ્રાકૃતપણાથી ઓમોયુરિયા શબ્દ છે.) અથવા ઉદ૨ને ઊભું કરવું તે અવમોરિકા. શબ્દની વ્યુત્પત્તિ આ છે, પ્રવૃત્તિ તો ન્યૂનતા માત્રમાં છે. તેમાં પહેલી (એક વસ્ત્રધારણરૂપ) જિનકલ્પિક વગેરેને જ છે, બીજાઓને નહિં; કારણ કે શાસ્ત્રમાં કહેલ ઉપધિના અભાવમાં તો સમગ્ર સંયમનો અભાવ થઈ જાય. અથવા અધિક ન ગ્રહણ કરવારૂપ ઊનોદરતા છે. કહ્યું છે કે— નં વટ્ટર સવારે, નવરાં તેં સિ (તેસિ) હોર્ વારાં । માં અહિરળ, મનમો અનયં પરિહતો ।।૩૪।। જે ઉપકરણ જ્ઞાનાદિના ઉપકારમાં સાધુને વર્તે છે તે ઉપકરણ છે અને જે અધિક રાખે છે તે અધિકરણ છે (કેમકે તે મૂર્છાનું કારણ બને છે). અયતનાવાળો અયતના વડે ધારણ કરતો જે ઉપકરણ તે જ અધિકરણરૂપ છે. (૧૩૪) વળી ભક્તપાનની અવમોદરતા પોતાના આહારના પ્રમાણના પરિત્યાગથી જાણવી. કહ્યું છે કે— बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ।। १३५ ।। [પિઽનિ ૬૪૨] 1 પુરુષને નિશ્ચે બત્રીશ કવલ (કોળિયા) આહાર કુક્ષિપૂરક કહેલ છે અને સ્ત્રીને અઢાવીશ કવલનો આહાર હોય.(૧૩૫) कवलाण य परिमाणं, कुक्कुडिअंडगपमाणमेत्तं तु । जो आ अविगियवयणो, वयणंमि छुहेज्ज वीसत्थो । १३६ ।। કવલોનું પરિમાણ તો કુર્કટી (કૂકડી)ના ઇંડાના પ્રમાણ જેટલું છે અથવા અવિકૃતપણે સુખપૂર્વક મુખમાં પ્રવેશ થઈ શકે તેટલું પ્રમાણ પણ જાણવું. (૧૩૬) આ ઊણોદરકા ૧ આઠ, ૨ બાર, ૩ સોળ, ૪ ચોવીશ અને ૫ એકત્રીશ સુધીના કવલો વડે ક્રમથી અલ્પાહારાદિ સંજ્ઞાવાળી પાંચ પ્રકારે છે. કહ્યું છે કે— अप्पाहार १ अड्डा २, दुभाग ३ पत्ता ४ तहेव किंचूणा ५ । अट्ठ १ दुवाल २ सोलस ३, चडवीस ४ तहेक्कतीसा य ५ ।। १३७ ।। ૧ એકથી આઠ કવલ પર્યંત અલ્પાહાર, ૨ નવથી બાર પર્યંત અપાર્શ્વ, ૩ તેથી સોળ પર્યંત દ્વિભાગ, ૪ સત્તરથી ચોવીશ સુધી પ્રાપ્ત અને ૫ પચ્ચીશથી એકત્રીશ કવલ સુધી કિંચિત્સૂન ઊણોદરિકા જાણવી. (૧૩૭) 'ત્ત્વ' આવી જ રીતે પાણીને વિષે પણ ઊણોદરિકા કહેવી. શ્રી ભગવતીજીમાં પણ કહ્યું છે કે—''વત્તીસ कुक्कुडिअंडगपमाणमेत्ते कवले आहारमाहारेमाणे पमाणपत्ते ति वत्तव्वं सिया, एत्तो एक्केण वि कवलेण ऊणगं આહારમાહારેમાળે સમને ાિંથે નો પામરસમો ત્તિ વત્તવ્વ સિય'' [માવતી ૭/૨/૧૬ ત્તિ॰]—કુકડીના અંડક (ઠંડું) પ્રમાણવાળા બત્રીશ કવલોના આહારને ખાતો છતો પ્રમાણપ્રાપ્ત એવી વક્તવ્યતા હોય, એનાથી એક કવલ વડે પણ ન્યૂન 239
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy