SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने १ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ વેયવયાં ન.માળ, ગોતેય તિ નિમ્નિય (તિ સમય) નેળ । વ્મવૃંતવિરુદ્ધ, વયાં = ઞોજ્ઞેયં ૨ રૂ૪।। वुच्चइ त्ति वयणं, पुरिसाभावे उ नेयमेवं ति । ता तस्सेवाभावो नियमेण अपोरुसेयत्ते ||३५|| (युग्मम् ) जं [પદ્મવસ્તુ॰ ૨૨૭૮-૨૨૭૬ કૃતિ] જે હેતુથી અપૌરુષેય વેદ વચન નિર્માણ કરાયેલ છે તેથી પ્રમાણભૂત નથી, કારણ કે વચન અને અપૌરુષેય આ બંને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. જે બોલાય છે તે વચન, પુરુષના અભાવમાં તો વચન જ ક્યાંથી હોય? તે કારણથી અપૌરુષેયત્વમાં ચોક્કસ વચનનો જ અભાવ છે. (૩૪-૩૫). અથવા આ (વક્ષ્યમાણ) ભગવાને કહેલું છે, પણ ભીંત વગરેથી નીકળેલું નથી. કોઈક આ પ્રમાણે સ્વીકારે છે— तस्मिन् ध्यानसमापन्ने चिन्तारत्नवदास्थिते । निःसरन्ति यथाकामं कुड्यादिभ्योऽपि देशना ||३६|| [તત્ત્વસંગ્રહ રૂ૨૪૦] ધ્યાનમાં પ્રાપ્ત થયેલ અને તે પ્રભુ સ્થિર થયે છતે ચિંતામણિ રત્નની માફક યથાકામ (ઇચ્છિત જેમ થાય તેમ) ભીંત વગેરેથી પણ દેશનાઓ નીકળે છે. (૩૬) આ વર્ણનનો અસ્વીકાર કરવા માટે કહે છે કે— कुड्यादिनिःसृतानां तु न स्यादाप्तोपदिष्टता । विश्वासश्च न तासु स्यात् केनेमाः कीर्त्तिता इति ॥३७॥ [તત્ત્વસંગ્રહ ૨૨૪૩] ભીંત વગેરેથી નીકળેલ દેશનાઓ તો આપ્તપુરુષ વડે ઉપદેશાયેલી નહિં થાય, તે દેશનાઓમાં વિશ્વાસ પણ નહિ થાય. કારણ કે આ દેશનાઓ કોણે કહેલી છે તેવી શંકા પણ પ્રગટશે. (૩૭) બધા પદના સમુદાય વડે પોતાની ઉદ્ધતાઈનો ત્યાગ કરવાથી ગુરુના ગુણોની પ્રભાવનામાં તત્પર એવા પુરુષોએ શિષ્યો માટે દેશના કરવી એમ કહ્યું. એવી રીતે દેશના આપવાથી શિષ્યો ગુરુઓને વિષે ભક્તિપરાયણ થાય, ભક્તિપરાયણતા વડે વિદ્યાદિની પણ સફળતા થાય. યદુ— . भत्तीए जिणवराणं, खिज्जंती पुव्वसंचिया कम्मा। आयरियनमोक्कारेण, विज्जा मंता य सिज्झति ||३८|| [आवश्यक नि० १११० त्ति ] જિનેશ્વરોની ભક્તિ ક૨વાથી પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે. આચાર્યને નમસ્કા૨ ક૨વાથી વિદ્યા અને મંત્રો સિદ્ધ થાય છે (૩૮). અહિં નમસ્કાર એ ભક્તિ જ છે અથવા 2'આડઅંતેĪ'તિ એ શબ્દ ભગવાનનું વિશેષણ છે. આયુષ્માન્ ચિરંજીવી ભગવાન વડે એ પ્રમાણે તેનો અર્થ છે. આ વિશેષણથી ભગવાનનું બહુમાન મંગળરૂપ હોવાથી ભગવાનનું બહુમાનગર્ભિત મંગલ કહેલું છે. અથવા 'આયુષ્યત્તે'તિ બીજા માટે (પરોપકાર માટે) દેશનાદિ પ્રવૃત્તિ વગેરેથી, પ્રશસ્ત આયુષ્યને ધારણ કરનારા મોક્ષપ્રાપ્તિ કરીને પણ તીર્થનો તિરસ્કારાદિ જોઈને, અભિમાનાદિ ભાવથી ફરીને આ લોકમાં આવના૨ની જેમ અપ્રશસ્ત આયુષને ધારણ કરતા નથી. ઇતરધર્મી કેટલાએક વડે આમ કહેવાય છે કે— ज्ञानीनो धर्म्मतीर्थस्य कर्त्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।३९।। ધર્મતીર્થના કરનારા જ્ઞાનીઓ, પરમપદ (મોક્ષ) પામીને, તીર્થના તિરસ્કારથી ફરીને પણ સંસારમાં આવે છે. (૩૯) જેમકે— 1. તાલ્વાદિ સ્થાનજન્ય વચન છે અને અપૌરુષેયમાં તાલ્વાદિ સ્થાનનો અભાવ હોવાથી વચનનો ઉચ્ચાર જ થઈ શકે નહિં. 2. પ્રથમ 'આણં! તેĪ'એ બે પદોના ભિન્ન-ભિન્ન અર્થ કહેલ છે. અહિં આસંતેનું એક શબ્દરૂપ કહેલ છે ને તે ભગવાનનું વિશેષણ છે. 3. મોક્ષમાં જઈને ફરી સંસારમાં અવતાર ધારણ કરવો એ અપ્રશસ્ત છે. 13
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy